અમદાવાદ: રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે 108-EMS (EMRI-Gujarat) દ્વારા એક સુદ્રઢ અને સકારાત્મક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તહેવારના ઉત્સાહમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર ‘પૂર્વતૈયારી એ જ શ્રેષ્ઠ સારવાર’ના મંત્ર સાથે મેદાનમાં ઉતર્યું છે.ટેકનોલોજી અને ડેટાના માધ્યમથી સુરક્ષા કવચ -108-EMS દ્વારા અત્યાધુનિક ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને સંભવિત કટોકટીના સમયની આગાહી કરવામાં આવી છે. આ આગોતરા આયોજનનો હેતુ એ છે કે જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ અગાઉથી જ તૈનાત કરી શકાય.ત્વરિત પ્રતિસાદ માટે ધુળેટીના દિવસે વધતા કેસોને પહોંચી વળવા…
Author: gujarat
વર્ષ-૨૦૧૭માં પ્રકાશિત વર્તમાન છઠ્ઠી આવૃત્તિમાં ૭૩,૨૪૩ શબ્દો સંગ્રહિત –નવી સંવર્ધિત આવૃત્તિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૧૨૦૦ જેટલા નવા શબ્દોની દરખાસ્ત મળીઅમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠના ‘કોશ કાર્યાલય’ દ્વારા ગુજરાતી ભાષામાં અધિકૃત ગણાતા ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની સાતમી નવી સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં રહી છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતી ભાષાના આ સમૃદ્ધિ અભિયાનમાં જોડાવા અને શબ્દકોશ માટે નવા શબ્દો માટે ભાષાપ્રેમીઓને આહ્વાન કરવામાં આવ્યું છે.વર્ષ-૧૯૨૯માં કાકાસાહેબ કાલેલકરના માર્ગદર્શન હેઠળ સાર્થ જોડણીકોશની શરૂઆત માત્ર ‘જોડણીકોશ’ તરીકે થઈ હતી. ત્યાર બાદ સમયની માંગને ધ્યાને રાખી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વર્ષ ૧૯૩૧માં બીજી આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં શબ્દોની સાથે તેના અર્થોનો પણ સમાવેશ કરવામાં આવતા…
ગુજરાત બનશે દેશનું ‘સ્પોર્ટ્સ હબ’: સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ દ્વારા રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિનો પાયો નંખાયોવર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની સાથે ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સજ્જએશિયન વોલીબોલ મેન્સ કપ-૨૦૨૬ અંતર્ગત જૂન-૨૦૨૬માં અમદાવાદ ખાતે ૧૨ દેશોની ટીમો વચ્ચે સ્પર્ધા થશે. મણિનગર-અમદાવાદના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ દ્વારા રજૂ કરાયેલ ‘ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩‘બિન-સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં સ્વીકારાયોગુજરાત વિધાનસભા ખાતે ‘ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩’ ના મહત્વપૂર્ણ વિષય પર રજૂ થયેલા બિન-સરકારી સંકલ્પને ટેકો આપતા રમત-ગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રમત ગમત અને ઉદ્યોગ…
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પંચાયત રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ રાજ્યની ‘તીર્થગામ’ અને ‘પાવનગામ’ યોજનાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં યોજના અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયત વિભાગ ગ્રામીણ નાગરિકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તે માટે રાજય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.ગ્રામીણ વિસ્તારોમાં પરસ્પર સદભાવના વધે, અરસ પરસના વિવાદો ગામમાં જ ઉકેલાય અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આ યોજના અમલમાં છે.યોજના વિશે વિગતે માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે જે ગામમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અકસ્માત સિવાયનો કોઈ ગુનો નોંધાયો ન હોય તેને‘તીર્થગામ’જાહેર કરવામાં આવે છે. જે ગામમાં…
તારાપુરના પરિવાર સાથે ઠગાઈ, બે સામે ફરિયાદઆણંદ, આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર ખાતે રહેતા યુવક, તેનો સાળો અને કુટુંબી ભત્રીજાને વિદ્યાનગરમાં વિઝાનું કામ કરતા બે શખ્સોએ કેનેડાના વર્ક પરમીટ વિઝા કરી આપવાના નામે બનાવટી અને ખોટા ઓફર લેટર, એસેસમેન્ટ લેટર સાચા તરીકે ઉપયોગ કરી રૂ.૪પ.પ૪ લાખ પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના તારાપુરમાં રહેતા સંદીપ પારેખ તેમજ તેમના સાળા વિજય પારેખ અને કુટુંબી ભત્રીજા પાર્થને કેનેડાના વર્ક પરમીટ મેળવીને કેનેડા જવાની ઈચ્છા હોવાથી તપાસ કરતા હતા. દરમિયાન જુલાઈ ર૦ર૪માં સંદીપ કુમારને વિદ્યાનગર ખાતે શ્રીજી ઈન્ટરનેશનલ વાળા વિઝાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સંદીપકુમારે પોતાના…
દાહોદ, દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા અઢારમાં સાંસદ ઢોલ મેળાનું આયોજન આવતી ર૮મી તારીખે કરવામાં આવ્યું છે. પૂર્વ નિવૃત્ત આઈપીએસ અધિકારી નગરસિંહ પલાસ દ્વારા સ્થાપિત ભીલ સુધારણા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ ઢોલ મેળો વિશાલ લોકચળવળનું સ્વરૂપ ધારણ કરી ચૂકયો છે.શરૂઆતના સમયમાં અનેક વિરોધ અને અટકળો વચ્ચે માત્ર પ૦ ઢોલીઓ સાથે શરૂ થયેલો આ મેળો વર્ષોથી સતત વિકાસ પામતો રહ્યો છે. ગયા વર્ષે ૩૭૦ જેટલા ઢોલીઓએ ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે ૪૦૦થી વધુ ઢોલ મંડળીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઢોલ, માંદળ અને વાંસળી જેવા…
(પ્રતિનિધિ)ગોધરા, ૨૭ ફેબ્રુઆરી. સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ ૨૦૦૨ માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં ૫૯ જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોઝારી ઘટનાને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે.ઘટનામાં મોતને ભેટેલા ૫૯ કાર સેવકોને આજે ૨૪ મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી ૨૪ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે કેટલાક કારસેવકો પરત ફરી રહ્યા હતા.ગોધરામાં એ કેબિન પાસે ઉભેલી ટ્રેનના એસ-૬…
વડોદરા, વડોદરા જિલ્લાની બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે રસાકસી રહી હતી. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના તેર ઝોનમાં કુલ પંચાવન ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.રસાકસી બની રહેલી ચૂંટણીમાં સંખેડા ઝોન ૧૧માં વર્તમાન ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકી એક માત્ર ઉમેદવાર રહ્યા હોવાથી બિનહરીફ નિશ્ચિત બન્યા ન હતા જ્યારે અન્ય બેઠકો પર વર્તમાન ડિરેકટરોની સામે ખુદ ભાજપના જ સમર્થકો મેદામાં આવ્યા હતા.આગામી તા.૧૮મી માર્ચના રોજ બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ ૧૦૭૧ મતદાન કરનાર છે. કુલ તેર ઝોનના ઉમેદવાર માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આવતીકાલે ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવશે. બાદમાં…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સહિત સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્ર સચેત બની ગયું હતું.ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીને પણ સમાન ઈ-મેઇલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ ધમકીભર્યો ઈ-મેઈલ હેડ પોસ્ટ ઓફિસના સુપરિટેન્ડન્ટના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર પ્રાપ્ત થયો હતો.ઈ-મેઈલ મળતા જ કચેરીમાં કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.તાત્કાલિક સુરક્ષાના પગલાં રૂપે કચેરી ખાલી કરાવી તમામ કર્મચારીઓ તથા હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ,એસઓજી તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.ત્યાર બાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની…
લક્ષ્મીપુરાના એક જ પરિવારનાં પાંચ સભ્યો સામે બે રાજયોમાં મતદાર યાદીનો ગુનો નોંધાયોપાટણ, સરસ્વતીના લક્ષ્મીપુરા લદાણી ગામના એક જ પરીવારના પાંચ સભ્યો સામે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજયોની મતદાર યાદીમાં નામ ધરાવતા અને ચુંટણી ગેરમાર્ગે દોરવા બદલ વાળડોદ પોલીસે ગુનો નોધ્યો છે. આ શખ્સો પર ડુપ્લીકેટ સહીઓ કરી ખોટા દસ્તાવેજો રજુ કરવાનો આરોપ છે.આ ગેરરીતિ લક્ષ્મીપુરા પ્રાથમીક શાળાના શિક્ષક અને બીએલઓ રમેશભાઈ ખોડીદાસ પટેલ દ્વારા નવેમ્બર ર૦રપમાં મતદાર યાદીમાં સુધારણા અંતર્ગત એસઆઈઆર ગણતરી ફોર્મ ભરવાની કામગીરી દરમ્યાન સામે આવી હતી. રમેશભાઈની ફરીયાદના આધારે પોલીસે છેતરપિડી અને ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજુ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.ફરીયાદ મુજબ લક્ષ્મીપુરા…
