“ઠક્કરબાપા”ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવશ્રી સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.અત્રે નોંધનીય છે કે,શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે તા. ૨૯મી નવેમ્બર,૧૮૬૯માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા મહાત્મા ગાંધીજીના પ્રિયજન તેમજ હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા. અનુકંપા અને દયાના ગુણો તેમને વારસામાં મળ્યા હતા. વર્ષ ૧૯૧૪માં તેઓ હિન્દ સેવક સમાજ સાથે સક્રિય રીતે જોડાઈ સર્વાંગી સમાજસેવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.પૂજ્ય ઠક્કરબાપાએ વર્ષ ૧૯૧૯ અને ૧૯૨૨માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે…
Author: gujarat
ગુજરાતના ગામડાનો વિકાસ હવે વધુ વેગવંતો બનશેઆ વ્યાપક ફાળવણીના આધારે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૫,૦૦૦થી વધુ વિકાસ કામો હાથ ધરાશે: પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ૧૫ માં નાણા પંચ હેઠળ વર્ષ છેલ્લા એક વર્ષમાં માં કુલ રૂ. ૨,૬૧૯ કરોડની ફાળવણી કરાઈરાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.૭૪૧.૯૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે…
કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત(એજન્સી)અમદાવાદ, શહેરમાં ઈડબ્લ્યુએસ આવાસો બનાવવાના કામમાં બે કામમાં મળી ૧૪પ૬ આવાસો બનાવવાનું કામ પૂર્ણ કરવા માટે પૂરતી તકો આપ્યા બાદ પણ કામગીરી પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગમાં મંજૂરી લીધા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતોજેમાં હાઈકોર્ટના ઓરલ ઓર્ડર બાદ હવે આ કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ઈડબ્લ્યુએસ વર્ગ માટે આવાસો બનાવવાના કામના ફેઝ-૩ પેકેજ ૮માં ૭૮૪ આવાસો બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર…
૪૧ કરોડનો ચૂનો લગાડનાર નિવૃત્ત નાયબ સચિવનો ઠગ પુત્ર આખરે પોલીસ સકંજામાં(એજન્સી)ગાંધીનગર, ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિ.કોર્પોરેશનના ‘નકલી ટેન્ડર’ બનાવી છેતરપિંડી આચરવામાં માસ્ટર માઈન્ડ નિવૃત્ત નાયબ સચિવના ઠગ પુત્ર નીરવ દવેની ઈન્ફોસિટી પોલીસે ધરપકડ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. છેતરપિંડીની ત્રણ ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.તે દરમિયાન નિરવ અને તેની પત્ની મીરાએ ર૦થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી રૂપિયા ૪૧ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસ કરનાર ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી.આર.ખેરએ જણાવ્યું કે, આરોપી નીરવ દવેને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.સે-ર૩માં રહેતા નીરવ મહેન્દ્રભાઈ દવે (પ્રાણકુંજ સોસાયટી) વિરૂદ્ધ ભાવિક રમેશચંદ્ર પટેલ (રહે.સંગીત કોમ્પલેકસ, સોલા)એ ઈન્ફોસિટી…
અમદાવાદ, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદપ્રકાશે ગાંધીધામ ખાતે અત્યાધુનિક (GDLG) ગવર્મેન્ટ ડીઝલ લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું નિરીક્ષણ કર્યું. મીઠીરોહર નજીક સ્થિત, આ શેડ ભારતીય રેલ્વેના સૌથી મહત્વપૂર્ણ મેન્ટેનન્સ કેન્દ્રોમાંનું એક છે, જ્યાં 250 ઉચ્ચ-ક્ષમતાવાળા લોકોમોટિવ્સની વિશ્વસ્તરની જાળવણી કરવામાં આવે છે.નિરીક્ષણ દરમિયાન, ડીઆરએમ શ્રી વેદપ્રકાશે શેડના સુવ્યવસ્થિત કાર્યપ્રણાલી, સ્વચ્છ વાતાવરણ, અદ્યતન તકનીકી સુવિધાઓ અને સ્ટાફ કાર્યક્ષમતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એકમાત્ર શેડ છે, જ્યાં ઉચ્ચ-હોર્સપાવર લોકોમોટિવ્સનું આયોજન, ગુણવત્તા અને કાર્યક્ષમતા સાથે જાળવણી કરવામાં આવે છે. અહીં કોઈ તેલ લીકેજ કે કોઈપણ પ્રકારની ગંદકી નથી – તે ખરેખર ભારતીય રેલ્વે માટે એક…
ચિંતન શિબિર- ૨૦૨૫ સમાપન-રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર એનાયત કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ માં આ પુરસ્કાર આપ્યા હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટરશ્રી નૈમેષ દવે,પાટણના તત્કાલીન કલેકટરશ્રી અરવિંદ વી,મોરબીના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિ અને આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના નો સમાવેશ થાય છે.આ પુરસ્કાર અંર્તગત પ્રત્યેકને રૂ.…
82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં તૈયાર થયું નવસારીનું અદ્યતન બસપોર્ટ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું મંગળવારે નવસારીમાં લોકાર્પણ કરશેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સાકાર થયોનવસારી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૨૫ નવેમ્બરે નવસારીમાં રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન…
ગાંધીનગર, કલોલ શહેરમાંથી પસાર થતો હાઇવે ક્રોસ કરવાનો ફુટ ઓવર બ્રિજ જોખમી બની ગયો છે. પતરા ઉખડી જવાના કારણે પગમાં ગંભીર ઇજા થવાની રાહદારીઓમાં દહેશત પ્રવર્તે છે. તેમજ તૂટેલા પતરામાંથી નીચે ધસમસતા વાહનો દેખાતા હોવાથી નીચે પડી જવાની ચિંતામાં લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. તેમજ મોટા ઉપાડે બનાવાયેલુ એસ્કેલેટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે.હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી. તેના કારણે કલોલ શહેર સહિતના બ્રિજ ઉપરથી પસાર થતા કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે સંપૂર્ણ ખાડે ગયેલુ તંત્ર કોઇ જીવલેણ અક્સમાતની પ્રતિક્ષા કરી રહ્યું છે કે શું..કોઇનો…
રાજકોટ, રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીટીસી ગ્રાઉન્ડમાં ચૌહાણ પરિવાર દ્વારા પુત્રની બીમારી દૂર કરવા માટે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુઓની બલિ ચડાવવામાં આવી રહી હતી. આ અંગે જીવદયા ફાઉન્ડેશનને જાણ થતાં તેમની ટીમે પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.પોલીસ અને જીવદયાની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આયોજકો દ્વારા છ પશુઓની બલિ ચડાવી દેવામાં આવી હતી. જોકે, દરોડા દરમિયાન અન્ય નવ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ આવતાં જ માંડવના આયોજકો અરવિંદ ચૌહાણ, રાહુલ ચૌહાણ અને પરબત ચૌહાણ સહિતના લોકો નાસી છૂટ્યા હતા.પ્રાથમિક વિગતો અનુસાર, માંડવા માટે કુલ ૧૫ પશુઓ…
રાજકોટ, રાજકોટના ક્રિસ્ટલ મોલ પાછળ રહેતા એક કારખાનેદાર પરિવારના ૧૮ વર્ષના એકના એક પુત્રનું વોલીબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થયું છે. તેને હાર્ટ એટેક આવ્યાનું અનુમાન લગાવાય છે.મળતી માહિતી મુજબ, એસએનકે સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી-પટેલ રમતગમતમાં ખૂબ સક્રિય હતો.યુવાન આદિત્ય વાછાણી (ઉંમર ૧૮) રવિવારે સાંજે તેના મિત્રો સાથે એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા ગયો હતો. આ દરમિયાન, તે અચાનક ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.મૃત્યુના સમાચાર મળતા જ આદિત્યના કુટુંબીજનો, શાળાના શિક્ષકો સહિતના…
