Indian Railways Projects News: કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ચાર જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આનાથી ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં 224 કિલોમીટરનો વધારો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹2,781 કરોડ થશે. આ પ્રોજેક્ટ્સમાં ગુજરાતમાં દ્વારકા-કનાલુસ રેલ્વે લાઇનનું ડબલિંગ અને મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં બદલાપુર અને કર્જત વચ્ચે ત્રીજી અને ચોથી લાઇનનું બાંધકામ શામેલ છે.બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવીમાહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ₹2,781 કરોડના કુલ ખર્ચ સાથે બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. દેવભૂમિ દ્વારકા (ઓખા)-કનાલુસ રેલ્વે લાઇનનું ડબલિંગ દ્વારકાધીશ મંદિર સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે,…
Author: gujarat
બંધારણ દિવસ: ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને બંધારણ દિવસ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન માં સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપીને બાબાસાહેબ આંબેડકરની ભાવ વંદના કરી હતી.આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ,ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ,શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે,ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. .વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી 2015થી દર વર્ષે26નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે . આ દિવસે બંધારણના આમુખ પઠન પણ કરવામાં આવે છે.
Doctor Ganesh Baraiya: ૨૫ વર્ષની ઉંમરે, ત્રણ ફૂટ ઊંચા અને ૨૦ કિલોગ્રામ વજન ધરાવતા ગણેશ બારૈયાએ તે કાર્ય પૂર્ણ કર્યું છે જે ઘણા લોકો અશક્ય માનતા હતા. દવાના પોતાના અધિકાર માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા આ નાના ડૉક્ટરે ગુરુવારે મેડિકલ ઓફિસર તરીકેની તેમની પહેલી પોસ્ટિંગ શરૂ કરી. આ બરૈયા માટે એક નોંધપાત્ર સફરનો અંત છે, જે વામનત્વ સાથે જન્મ્યા હતા, જેના પરિણામે ૭૨% ગતિશીલતામાં ખામી હતી.બરૈયા જન્મથી જ વામનત્વથી પીડાય છે. શારીરિક મર્યાદાઓ હોવા છતાં, તેમણે ધોરણ ૧૨ માં ૮૭% ગુણ મેળવ્યા. ત્યારબાદ તેમણે ડૉક્ટર બનવાના સ્વપ્ન તરફ પગલાં ભર્યા, NEET ની તૈયારી કરી અને પાસ થયા. ગણેશ બરૈયાએ NEET…
અરવલ્લીના ધનસુરાના ભેસાવાડા પાસે ભયંકર અકસ્માત સર્જાયો-વીજ કરંટ લાગતા બે અજાણ્યા શખ્સો જીવતા ભૂંજાયા -મૃતક બંને શખ્સો ચોરીના ઈરાદે અહીં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ભેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પૂલ પાસે વીજ કરંટ લાગવાને કારણે બે અજાણ્યા શખ્સોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં વીજ કરંટ એટલો જોરદાર હતો કે બંને વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણ રીતે બળી ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામની સીમમાં આવેલા સાકરી પૂલ નજીકથી પસાર થતા વીજપોલના જીવંત તારના સંપર્કમાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.…
16 Floor Ahmedabad Station: ગુજરાતમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. તે દેશના સૌથી ઊંચા અને આધુનિક 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક નવું પરિવહન ધોરણ સ્થાપિત કરશે. રેલ્વેના જણાવ્યા અનુસાર, આ વિશાળ પ્રોજેક્ટ પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.નવું સ્ટેશન કેવું દેખાશે?નવું સ્ટેશન તેની ઊંચાઈ, ડિઝાઇન અને સુવિધાઓને કારણે સંપૂર્ણપણે અલગ અને આધુનિક દેખાવ ધરાવશે. તે માત્ર એક રેલ્વે સ્ટેશન જ નહીં પરંતુ મુસાફરો, પ્રવાસીઓ અને શહેરના રહેવાસીઓ માટે બહુહેતુક…
ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ,ગાંધીનગર ખાતે *“DGP’S Commendation Disc -2024”અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કરવામાં આવી**“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો,દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” :શ્રી વિકાસ સહાય*“DGP’S Commendation Disc -2024”અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં,ગુજરાત પોલીસ અકાદમી કરાઈ,ગાંધીનગર ખાતે કરવામાં આવી.ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા,શૌર્ય અને સમર્પણને બિરદાવવા વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલા “DGP’S Commendation Disc”એવોર્ડ સમારોહ અંતર્ગત,આજે છઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી,ગાંધીનગર કરાઈ ખાતે ગુજરાત પોલીસ પરિવારના સભ્યો,અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી.આ સન્માન પ્રસંગે શ્રી વિકાસ સહાયે સન્માનિત થનાર તમામ…
*રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી આ ચિંતન શિબિરની ૧૨મી શૃંખલામાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે**મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,મંત્રી મંડળના સૌ સભ્યો સહિત ૨૪૧ ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં સહ ભાગી થશે**શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે*રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ,વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ…
અખંડ ભારતના આર્કીટેક: સરદાર પટેલઅખંડ ભારતનો નકશો માત્ર રાજકીય દસ્તાવેજ નહીં પણ સરદારના લોખંડી સંકલ્પનું જીવંત ઉદાહરણØરજવાડાના વિલીનીકરણથી આધુનિક ભારત માટે મજબૂત,એકીકૃત અને કેન્દ્રીય રાષ્ટ્રનો આધાર તૈયાર થયોØસરદારની દૂરંદેશીતાથી ભારત આજે એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સમક્ષ ઉભર્યુંØકુનેહ,મુત્સદ્દીગીરી અને મક્કમતાનો સમન્વય:‘પ્રિવી પર્સ‘અને‘જોડાણ પત્ર‘ના દસ્તાવેજોએ ભારતનો ઇતિહાસ બદલ્યોઆઝાદી પછી ભારતને સ્વતંત્રતા તો મળી ગઈ પણ દેશનું હ્રદય હજુ અનેક ટૂકડાઓમાં વહેંચાયેલું હતું. ભારતીય ઉપખંડમાં ફેલાયેલા ૫૬૨ દેશી રજવાડાંઓનું ભવિષ્ય એક પડકાર હતો. બ્રિટિશ સત્તાએ આઝાદીની સાથે જ આ રજવાડાંઓને સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપીને ભારતને અસંખ્ય નાના ટુકડાઓમાં વહેંચવાની રમત રમી હતી. જો આ રજવાડાંઓ સ્વતંત્ર રહી જાત,તો ભારતમાં કાયમી અરાજકતા…
Anjali Rupani Politics: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ પછી હવે નવી હલચલ સામે આવી છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે દિવંગત પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી રાજકારણમાં પગલું મૂકી શકે છે. ૧૨ જૂને અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવા પર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થઈ ગયું હતું. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન)ના ગુજરાત પ્રવાસમાં તેમની અંજલિ રૂપાણી સાથે મુલાકાત પછી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. બી.એલ. સંતોષ સાથે મુલાકાતમાં વિજય રૂપાણીના પુત્ર પણ હાજર રહ્યા. બી.એલ. સંતોષે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની…
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગનાં સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુંઘરમાંથી Indian star tortoise- ૩૪ નંગ અને સુડા પોપટ (રોઝ રીંગ પેરાકીટ) -101 નંગ પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ.અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદના સ્ટાફ ધ્વારા મળેલ માહિતીના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાર્શ કરવા માટે ડૉ. જયપાલ સિંધ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સહકારથી સુશ્રી વિધી ચૌધરી, IPS, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ,અમદાવાદ રેન્જ તથા ડૉ. કે. રમેશ (IFS), ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ, અમદાવાદ દ્વારા માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપવામાં આવ્યુ હતું. જેના આધારે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શ્રી ઓમપ્રકાશ જાટ, IPS, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ,…
