Author: gujarat

વર્લ્ડ હેરિટેજ વીક – 2025ની શરૂઆત : અમદાવાદમાં વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિગ થશે.યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ 2025માં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનો સ્ટોલ મૂકાયો છે, જ્યાં જાહેર જનતા અમદાવાદનાં હેરિટેજને કઇ રીતે વધુ યોગ્ય બનાવી શકાય તે માટેનાં સૂચનો આપી શકે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલી સત્તાવાર વેબસાઇટ https://heritagewalkahmedabad.com/ પરથી અમદાવાદ હેરિટેજ વૉક વિશેની માહિતી મળશેઅમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી થઇ રહી છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે…

Read More

CM Bhupendra Patel News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સાદગી અને નમ્ર વર્તન માટે જાણીતા છે. જોકે, ગુજરાતની સમુદ્રીય સીમા પર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા અને અમદાવાદના ચંડોળા તળાવ પર ‘મિની બાંગ્લાદેશ’નો સફાયો કરાવવા જેવી ઘટનાઓમાં તેમનો દૃઢ સ્વભાવ પણ જોવા મળ્યો છે. જોકે, ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સંવેદનશીલ પાસાને કારણે હેડલાઇન્સમાં છે. કારણ એ છે કે તેમણે એક હિન્દુ પરિવારની પુત્રીના લગ્ન માટેની તેમની યોજના બદલી નાખી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે આવવાના હતા. નજીકમાં એક હિન્દુ પરિવારના લગ્ન યોજાઈ રહ્યા હતા. પરિવારે મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવારને ફોન કરીને કહ્યું, “હું તમારું દુઃખ…

Read More

અમદાવાદ, શહેરના શાહઆલમ પાનવાળી ચાલીમાં બીએલઓની કામગીરી કરતી મહિલા બીએલઓ ઓફિસર સાથે સ્થાનિક શખ્સે અસભ્ય વર્તન કરીને માથાકૂટ અને તકરાર કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.શખ્સે મહિલા બીએલઓ અધિકારીને તેનું ફોર્મ ભરી આપવા કહ્યું, અને ચૂંટણી અધિકારીએ નહીં ભરી આપતા શખ્સ ઉશ્કેરાઈને અશ્લીલ ભાષા બોલવા લાગ્યો. આ મામલે મહિલા બીએલઓ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સમીરાબાનુ સૈયદ, જે રામોલ ગામમાં પરિવાર સાથે રહે છે, ખમાસા પાસે આવેલી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. સમીરાબાનુના પતિ રામોલમાં જ મોબાઈલની દુકાન ચલાવે છે. છેલ્લા બે મહિનાથી સમીરાબાનુને ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી છે. દાણીલીમડા ૫૪ મત વિસ્તારમાં શાહઆલમ પાનવાળી ચાલીમાં બીએલઓ(બૂથ…

Read More

Jignesh Mevani Police Dispute: ગુજરાતના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લઈને કરાયેલા નિવેદન બાદ રાજકીય માહોલ તંગ બન્યો છે. આ વિવાદ વચ્ચે સોમવારે કચ્છના ભુજ શહેરમાં મેવાણી વિરુદ્ધ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીડિયા સંસ્થાઓને આ રેલી કવર કરવા માટે વોટ્સએપ ગ્રુપ મારફતે અપીલ કરવામાં આવી હતી, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મેવાણીએ અગાઉ ચેતવણી આપી હતી કે ભ્રષ્ટ અધિકારીઓને ખુશ કરવામાં કોઈ પોલીસકર્મીએ પોતાની નોકરી જોખમમાં ન મુકવી જોઈએ.સોશિયલ મીડિયાથી શરૂ થયેલું આયોજન, પોલીસની ભાગીદારી પર સવાલવાવ-થરાદમાં મેવાણીના કટાક્ષ બાદ તેમની સામેનો…

Read More

ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-૨ વિસ્તારમાં શુક્રવારે (૨૧ નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે દોષી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જેમની ઓળખ ૫૦ વર્ષીય કમલભાઈ દોષી, ૪૫ વર્ષીય દેવલબેન દોષી, ૨૪ વર્ષીય કમલ દોષી અને ૨૨ વર્ષીય રાજ દોષી તરીકે થઈ છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સમગ્ર ગોધરા શહેરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.દુઃખદ વાત એ છે કે,…

Read More

ગીર, અંબાણી પરિવારનો ધર્મ અને ભક્તિ પ્રત્યેનો લગાવ અવારનવાર જોવા મળે છે. ત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ગીર વિસ્તારમાં બનાવેલા ભવ્ય મહાદેવના મંદિરમાં ધાર્મિક વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.આ ધાર્મિક પ્રસંગે બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક જાણીતા સેલેબ્સે હાજરી આપી હતી. આ પ્રસંગમાં શિવજીના મંત્રોચ્ચાર વચ્ચે ઉપસ્થિત તમામ લોકો ભક્તિરસમાં તરબોળ જોવા મળ્યા હતા.અંબાણી પરિવારે ગીરમાં શિવજીના મંદિરની સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તાજેતરમાં આ પ્રસંગનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં મુકેશ અંબાણી હવનમાં આહુતિ આપતા જોવા મળ્યા હતા.નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, પુત્ર આકાશ અને અનંત, તેમજ પુત્રવધૂ શ્લોકા અને રાધિકા ભગવાનની આરતી ઉતારતા…

Read More

એસઆઈઆરની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા -સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ(એજન્સી)કોડીનાર, કોડીનારના બીએલઓ શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એસઆઈઆર કામગીરીના દબાણથી માનસિક તણાવ આપઘાત કરી મોત વ્હાલુ કર્યું. તેમણે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી સતત થાક અને તણાવ અનુભવું છું. તો બીજી તરફ, બીએલઓની કામગીરીથી શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે.ગીર સોમનાથના કોડીનારનાં દેવળી ગામે રહેતા યુવા શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શિક્ષકે મોત પહેલા લખાયેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં જૈિ ની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે.શિક્ષકે આપઘાત કરતા પહેલા પત્નીના નામે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડી.…

Read More

આતંકવાદીઓ અમદાવાદ હથિયાર લેવા આવ્યા હતા -અહેમદ સૈયદ મોઇનુદ્દીન, ૭ નવેમ્બરની સાંજે અમદાવાદમાં હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો(એજન્સી)અમદાવાદ, ગુજરાત એસટીએસએ આઈએસઆઈએસ મોડ્યુલ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. આ મોડ્યુલના આતંકીઓ રાઈઝિન નામના કેમિકલનો ઉપયોગ કરીને દેશવ્યાપી કેમિકલ હુમલાનું આયોજન કરી રહ્યા હતા. મોડ્યુલનો માસ્ટરમાઇન્ડ, અહેમદ સૈયદ મોઇનુદ્દીન ૭ નવેમ્બરની સાંજે અમદાવાદમાં હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ હથિયારો એકત્રિત કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી કાળા આઈએસઆઈએસ ઝંડા મળી આવ્યા છે, જે આ જ મોડ્યુલમાં સામેલ અન્ય એક આતંકવાદી છે. ચીનથી એમબીબીએસ…

Read More

ગોધરામાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના ૪ લોકોના મોત(એજન્સી)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-૨ વિસ્તારમાં શુક્રવારે (૨૧ નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે દોષી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જેમની ઓળખ ૫૦ વર્ષીય કમલભાઈ દોષી, ૪૫ વર્ષીય દેવલબેન દોષી, ૨૪ વર્ષીય કમલ દોષી અને ૨૨ વર્ષીય રાજ દોષી તરીકે થઈ છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સમગ્ર ગોધરા શહેરમાં ઘેરા…

Read More

(પ્રતિનિધિ) દાહોદ, મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર વ્યુહાત્મક વોચ દરમિયાન કતવારા પોલીસે રૂપિયા ૧,૪૩,૪૯,૬૦૦/-ની કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૯૦૫ સાથે ટાટા કંપનીનું બંધ બોડીનું કન્ટેનર (કેપ્સ્યુલ) પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી તેની પાસેથી એક મોબાઇલ પકડી પાડી રૂપિયા ૨૦ લાખની કિંમતના કન્ટેનર સહિત કુલ રૂપિયા ૧,૬૩,૫૪,૬૦૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.હાલ ચાલી રહેલી કડકડતી ઠંડીની શિયાળાની મોસમમાં વધતી જતી વિદેશી દારૂની માંગને પહોંચી વળવા બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે તેની સામે દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા દાહોદ જિલ્લા પોલીસ પણ એટલી જ સક્રિય બની છે.તેવા સમયે ગઈકાલે બપોરના સમયે પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં…

Read More