અખંડ ભારતના આર્કીટેક: સરદાર પટેલઅખંડ ભારતનો નકશો માત્ર રાજકીય દસ્તાવેજ નહીં પણ સરદારના લોખંડી સંકલ્પનું જીવંત ઉદાહરણØરજવાડાના વિલીનીકરણથી આધુનિક ભારત માટે મજબૂત,એકીકૃત અને કેન્દ્રીય રાષ્ટ્રનો આધાર તૈયાર થયોØસરદારની દૂરંદેશીતાથી ભારત આજે એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સમક્ષ ઉભર્યુંØકુનેહ,મુત્સદ્દીગીરી અને મક્કમતાનો સમન્વય:‘પ્રિવી પર્સ‘અને‘જોડાણ પત્ર‘ના દસ્તાવેજોએ ભારતનો ઇતિહાસ બદલ્યોઆઝાદી પછી ભારતને સ્વતંત્રતા તો મળી ગઈ પણ દેશનું હ્રદય હજુ અનેક ટૂકડાઓમાં વહેંચાયેલું હતું. ભારતીય ઉપખંડમાં ફેલાયેલા ૫૬૨ દેશી રજવાડાંઓનું ભવિષ્ય એક પડકાર હતો. બ્રિટિશ સત્તાએ આઝાદીની સાથે જ આ રજવાડાંઓને સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપીને ભારતને અસંખ્ય નાના ટુકડાઓમાં વહેંચવાની રમત રમી હતી. જો આ રજવાડાંઓ સ્વતંત્ર રહી જાત,તો ભારતમાં કાયમી અરાજકતા…
Author: gujarat
Anjali Rupani Politics: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ પછી હવે નવી હલચલ સામે આવી છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે દિવંગત પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી રાજકારણમાં પગલું મૂકી શકે છે. ૧૨ જૂને અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવા પર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થઈ ગયું હતું. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન)ના ગુજરાત પ્રવાસમાં તેમની અંજલિ રૂપાણી સાથે મુલાકાત પછી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. બી.એલ. સંતોષ સાથે મુલાકાતમાં વિજય રૂપાણીના પુત્ર પણ હાજર રહ્યા. બી.એલ. સંતોષે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની…
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગનાં સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુંઘરમાંથી Indian star tortoise- ૩૪ નંગ અને સુડા પોપટ (રોઝ રીંગ પેરાકીટ) -101 નંગ પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ.અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદના સ્ટાફ ધ્વારા મળેલ માહિતીના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાર્શ કરવા માટે ડૉ. જયપાલ સિંધ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સહકારથી સુશ્રી વિધી ચૌધરી, IPS, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ,અમદાવાદ રેન્જ તથા ડૉ. કે. રમેશ (IFS), ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ, અમદાવાદ દ્વારા માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપવામાં આવ્યુ હતું. જેના આધારે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શ્રી ઓમપ્રકાશ જાટ, IPS, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ,…
Kutch Liquor Seizure: કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલે બે દિવસમાં મોટું ઓપરેશન ચલાવીને અંગ્રેજી શરાબ ભરેલા બે કન્ટેનર જપ્ત કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ જ દિવસોમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ પર આપેલા નિવેદનને લઈને વિરોધનો માહોલ ઘડાઈ રહ્યો હતો. અંદાજે ત્રણ કરોડની કિંમતનો આ જથ્થો મુન્દ્રાપોર્ટ પરથી ટ્રેન મારફતે કચ્છ વિસ્તારમાં ઉતારવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા ત્રણ મહિને 11 જેટલા કન્ટેનર કચ્છ સુધી પહોંચ્યા હતા અને તેમની કુલ કિંમત પંદર કરોડ જેટલી ગણાય છે. દરેક કન્ટેનર પર સરેરાશ 1.30 કરોડનો સુરક્ષા હપ્તો સેટ થયાનો દાવો પણ સામે આવ્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મુન્દ્રા પોર્ટ…
‘ગરવી ગુર્જરી’ના સહયોગથી ગાંધીનગરના રિદ્ધિબહેન ચાવડાએ કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન,કાપડ ઉપરાંત હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગ ઉતાર્યાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત રાજ્ય મજબૂત સમર્થન પૂરું પાડી રહ્યું છે. ખાસ કરીને,હસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના દૃષ્ટિકોણ સાથે સ્વદેશી કારીગરી અને પરંપરાગત હસ્તકલાને આધુનિક બજારમાં નવી ઓળખ આપી રહી છે. આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા “ગરવી ગુર્જરી” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી…
મોડાસા તાલુકાના ખલીકપુર-૧ અને ર ના BLOને કારણદર્શક નોટીસ આપવામાં આવીમોડાસા, અરવલ્લી જીલ્લા સહીત મોડાસા તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમ કામગીરીને આગળ વધારવામાં આવી રહી છે. જેમાં શિક્ષકો સહીત સરકારી કર્મચારીઓને મતદાર સુધારણાની જવાબદારી સોપવામાં આવી છે.મોડાસા તાલકુના ખલીકપુર-૧ અને ખલીકપુર-રના બીએલઓને ઈએફ ફોર્મ ભરાવામાં બેદરકારી દાખવતા મતદાર નોધણી અધિકારીએ કારણદર્શ્ક નોટીસ ફટકારી બે દિવસમાં ધીમી કામગીરી અંગે ખુલાસો માંગતા બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.અરવલ્લી જીલ્લાના ૩૧ મોડાસા વિધાનસભામાં સમાવીષ્ટ વિસ્તાર ભાગ નંબર ૧૯૬ ખલીકપુર-૧ની કામગીરી કરતા બીએલઓ શૈલેષભાઈ પટેલ અને ભાગ નંબર ૧૯૭ ખલીકપુર-રના અંજનાબેન પટેલને મતદાર નોધણી અધિકારીએ બીએલઓની કામગીરીમાં સમય મર્યાદામાં ઓછા પ્રમાણમાં કામગીરી કરવા માટે…
જળસંચય અંતર્ગત ૩રપથી વધુ તળાવો તથા ૩૦ હજારથી વધુ શોષ કૂવાનું નિર્માણ કર્યુંપાલનપુર, ગુજરાતની ગૌરવવંતી સંસ્થા બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા ‘નેશનલ વોટર એવોડ્ર્ઝ’માં પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે નેશન વોટર એવોર્ડ એનાયત કરાયો હતો. The award “National Water Award 2024″ was conferred on Banas Dairy at Delhi by the hands of the President Smt. Draupadi Murmu.બનાસ ડેરીને પુરસ્કાર ‘શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમ’ની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરાયો છે. જે સમગ્ર ગુજરાતના…
પાટણ, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના એચ.આર. મેનેજર અલ્કેશકુમાર રાજપુતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આપઘાતનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા ૩૬ વર્ષીય અલ્કેશકુમારનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો, જેની જાણ વહેલી સવારે પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.આ ઘટના સિદ્ધપુર શહેરના હાઈવે નજીક આવેલી ભાઈકાકા સોસાયટીના સી-પર નંબરના મકાનમાં બની હતી. અલ્કેશકુમારે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે સફેદ ખેસ વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસની ટીમ સ્થળ પર…
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદની સંસ્કાર વિધાલયના પટાંગણમાં રૂપિયા અઢી લાખના ખર્ચે બનનારા રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્યા વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડી.કે.સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણમાં ખુશી જોવા મળી હતી.આ પ્રસંગે ધારાસભ ડી.કે.સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું.તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવતાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરે ટકોર પણ…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.આવું પ્રદુષિત પાણી વરસાદી કોસોમાં થઈને ખાડીઓ અને નર્મદા નદીમાં જતું હોઈ જેથી બંનેના જળ પ્રદુષિત થાય છે અને સાથોસાથે આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકશાન થાય છે.તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે.ત્યારે ગતરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં એક સાથે આઠ ગામોના રહસ્યમમ સંજોગોમાં મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ ઘરજીયા (ભરવાડ) દ્વારા ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના…
