અમરેલી, અમરેલીના ભામાશા સન્નારી ઈન્દુબેન નગીનદાસ સંઘવીનું ૯૩ વર્ષની વયે અવસાન થયું. ગર્ભસીમંત હોવા છતાં તેઓએ જીવનમાં અનેક પડકારોનો સામનો કરી પુરૂષાર્થ અને દ્રષ્ટિપૂર્વકના આયોજનથી શિક્ષણ ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી.મુંબઈની પ્રતિષ્ઠિત હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક અને પછી આચાર્ય તરીકે શ્રેષ્ઠ કામ કરી નિવૃત્ત થયા. અમરેલીની મણિનગર સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યા ભારતી ટ્રસ્ટ રૂપાયતન સંચાલિત નગીનદાસ સંઘવી પ્રાથમિક શાળાના નિર્માણમાં તેમના પરિવારનો ફાળો હતો.ઈન્દુબેન આ સંસ્થાના પ્રારંભથી શુભેચ્છ હતા. સંસ્થા સાથે તેમનો સંબંધ છેક ૧૯૮પથી બંધાયેલ છે. તેમણે તથા તેમના પરિવારે વખતો વખત સંસ્થાને સહાય કરી છે. નગીનદાસ દેવશી સંઘવી રૂપાયતન પ્રાથમિક શાળાનું મકાન સંપૂર્ણપણે તેમના પરિવારના દાનથી બનેલ છે.દિવંગત લક્ષ્મીદાસભાઈ સંઘવી…
Author: gujarat
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ પાસે આવેલી સોલાર કંપની દ્વારા વારંવાર વિવાદોમાં આવી રહી છે જયારે આ સોલર કંપની દ્વારા રોડ ઉપર મોટા પ્રમાણમાં કચરો ઠાલવી અને પર્યાવરણને નુકસાન કરી અને રણમાં જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આ અંગે તંત્ર તાત્કાલિક પગલાં લઈ અને કાર્ય કરવાની લોકમાગણી ઉઠી છે.ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે રણ કાંઠા વિસ્તારમાં એક સોલાર કંપની દ્વારા પોતાનો પ્લાન ઉભો કરવામાં આવે છે. આ કંપની વારંવાર વિવાદોમાં આવી રહી છે ત્યારે આ કંપની દ્વારા પ્લાન શરૂ કરવામાં આવ્યા બાદ પ્લાનમાં રહેલો પ્લાસ્ટિક સહિતનો કચરો પ્લાનની બહાર રોડ…
સાંસદોના અધ્યક્ષસ્થાને બેઠક મળી: દિલ્હી રજૂઆત કરવા ખાત્રીવાંકાનેર, વાંકાનેર સીરામીક રીફેકટરી તેમજ ટ્રેડર્સ મિનરલ્સ ગ્રાઈન્ડીંગ યુનિટ વગેરેની બેઠક મળી હતી. જેમાં રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરાયું હતું. સીરામીક ઉદ્યોગકારોએ વાંકાનેરની ભૌગોલિક પરિસ્થિતિ બાબતે રજૂઆત કરી હતી.ઉપરાંત માજી સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા પણ આ બેઠકમાં હાજર હતા. રીફેકટરી યુનિટ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૧૮ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે, તે પાંચ ટકા કરવા સીરામીક ઉદ્યોગકારોએ જોરદાર રજૂઆત કરી હતી.રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારમાં અગાઉ સીરામીક ઉદ્યોગકારો દ્વારા મળેલી રજૂઆતના અનુસંધાને કેન્દ્રના નાણામંત્રી નિર્મળા સીતારમનને તા.૪.૯.રપના રોજ લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત…
નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડિરેકટર સમક્ષ માંગસુરત, નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડિરેકટર ડૉ.સુરેન્દ્રકુમાર બગડે સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ગુજરાતના અનેક અગ્રણી એસોસિએશનોની ઉપસ્થિતિમાં મળેલી ઓનલાઈન બેઠકમાં ચેમ્બરે ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રભાવિત કરતા મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા સાથે પ્રોફેશનલ ટેકસ દૂર કરવાની માંગ કરી હતી. આ સાથે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી હેઠળ સમયમર્યાદા વધારવા રજૂઆત કરાઈ હતી.ચેમ્બરે પ્રોફેશનલ ટેકસ દૂર કરવાની માંગ કરી હતી કારણ કે, પ્રોફેશનલ ટેકસની રકમ ખૂબ જ ઓછી હોય છે છતાં તેનો દર મહિને કોમ્પ્લાયન્સ કરવો પડે છે. જેને લીધે એમએસએમઈએસ સહિતના ઉદ્યોગોને અનાવશ્યક પ્રશાસનિક બોજ વેઠવો…
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં ડીજીપીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવાર અને રવિવારે મુંદરા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે કુલ ૨.૯૭ કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર પકડી પાડ્યા હતા. દારૂના ગોરખધંધા માટે પાસાતળે જેલમાં રહેલા કચ્છના કેરા ગામના બુટલેગર અનોપસિંહ રાઠોડે પંજાબથી ટ્રેન મારફતે મુંદરા પોર્ટ ઉપર દારૂ મગાવવાનું નેટવર્ક ગોઠવ્યું છે.જેલમાં હોવા છતાં બૂટલેગરનું નેટવર્ક ચાલતું હતું અને ટ્રેન માર્ગે ત્રણ જ મહિનામાં દારૂના ૧૧ કન્ટેનર પંજાબથી મુંદરા પોર્ટ માર્ગે ધુસાડી દેવાયાં છે. મુંદરા પોર્ટથી દેશમાં જ ચીજવસ્તુની હેરાફેરીના બહાને દારૂની હેરાફેરી કરવાનું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્વસ્ત કર્યું છે.પોલીસ સત્તાધીશોનું કહેવું છે કે, દેશમાં જ ચીજવસ્તુ લઈ જવાતી હોવાથી ડોમેસ્ટિક કન્ટેનર્સની…
(એજન્સી)સુરેન્દ્રનગર, એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું છે. ખીટલા ગામની સીમમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૮૦ છોડ, જેનું વજન ૫૫૯ કિલો અને કિંમત રૂપિયા ૨૭,૯૮,૫૦૦૦ના મુદ્દામાલ સાથે વાડી માલિકને ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી અવારનવાર ગાંજો, અફીણ સહિતના માદક દ્રવ્યો ઝડપાય છે ત્યારે વધુ એક વાર આવા માદક દ્રવ્યોનો કાળો કારોબાર ઝડપાયો છે. સાયલા તાલુકાના ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભૂપતભાઈ ખવડએ ખીટલા ગામની પામર નામની સીમમાં આવેલ પોતાની વાડીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડો કર્યો…
(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જિલ્લામાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઇવ દરમ્યાન ર્જીંય્ ટીમે બે વર્ષથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢી હતી. લાંબા સમયથી પીડિત પરિવાર પોતાની પુત્રીને મળવા માટે આતુર હતો, ત્યારે SOGએ સતત તપાસ અને બુદ્ધિશાળી કાર્યપદ્ધતિથી આ કેસે સફળ પરિણામ આપ્યું.માહિતી મુજબ, બે વર્ષ પહેલા ગુમ થયેલી યુવતીનો કોઈ પતો મળી રહ્યો ન હતો. પરિવાર દ્વારા અનેક પ્રયત્નો કર્યા છતાં કોઈ સુત્ર હાથ લાગતું ન હતું. પોલીસ અધિક્ષક મહીસાગર દ્વારા ગુમશુદા કેસોને પ્રાથમિકતા આપવા ખાસ સૂચના આપવામાં આવ્યા બાદ SOGએ ફરી તપાસ શરૂ કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ, સ્થાનિક તપાસ અને ગુપ્તચરોની માહિતીના આધારે…
અહીં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતોઅમદાવાદ, અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના ગીચ ગણાતા ઘી કાંટા વિસ્તારમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર ઘી કાંટા વિસ્તારમાં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો…
વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં આવેલી ચાંદ પાર્ક હાઇટ્સ સોસાયટીમાં પોલીસના દરોડાવડોદરા, વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચલણી નોટો (ચિલ્ડ્રન બેંક)ના મોટા જથ્થાની ગુપ્ત માહિતી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, ર્જીંય્ અને જે.પી. રોડ પોલીસ સ્ટેશને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને તાંદલજા વિસ્તારમાં આવેલી ચાંદ પાર્ક હાઇટ્સ સોસાયટીમાં સવારે પોલીસે મોટો દરોડા પાડ્યા હતા. જે દરમિયાન રૂ. ૧.૫ કરોડની ચિલ્ડ્રન બેંકની નકલી નોટો અને ૩ કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ ઝડપ્યા છે, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વિગતવાર વાત કરીએ તો, વડોદરા પોલીસને મળેલી ગુપ્ત માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચ, ર્જીંય્ અને જે.પી. રોડ પોલીસ સ્ટેશને સંયુક્ત ઓપરેશન હાથ ધરી હતી અને શહેરના તાંદલજા…
Gujarat Police Project VISWAS: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી, 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહેલા ગુજરાતમાં ટૂંક સમયમાં નવા યુગની પોલીસિંગ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધુનિક પોલીસિંગના વિઝનને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસે પ્રોજેક્ટ વિશ્વાસનો બીજો તબક્કો પૂર્ણ કર્યો છે. વિશ્વાસ એટલે વિડીયો ઇન્ટિગ્રેશન અને સ્ટેટવાઇડ એડવાન્સ્ડ સિક્યુરિટી. અત્યાર સુધીમાં, ગુજરાત પોલીસે આ પ્રોજેક્ટ હેઠળ 54 શહેરોમાં 12,500 થી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પ્રોજેક્ટ વિશ્વાસમાં ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચેના 79 આંતરરાજ્ય ચેકપોઇન્ટ પણ આવરી લેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં, 7,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે દેખરેખ, ગુના નિયંત્રણ…
