અમદાવાદ, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદપ્રકાશે ગાંધીધામ ખાતે અત્યાધુનિક (GDLG) ગવર્મેન્ટ ડીઝલ લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું નિરીક્ષણ કર્યું. મીઠીરોહર નજીક સ્થિત, આ શેડ ભારતીય રેલ્વેના સૌથી મહત્વપૂર્ણ મેન્ટેનન્સ કેન્દ્રોમાંનું એક છે, જ્યાં 250 ઉચ્ચ-ક્ષમતાવાળા લોકોમોટિવ્સની વિશ્વસ્તરની જાળવણી કરવામાં આવે છે.નિરીક્ષણ દરમિયાન, ડીઆરએમ શ્રી વેદપ્રકાશે શેડના સુવ્યવસ્થિત કાર્યપ્રણાલી, સ્વચ્છ વાતાવરણ, અદ્યતન તકનીકી સુવિધાઓ અને સ્ટાફ કાર્યક્ષમતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એકમાત્ર શેડ છે, જ્યાં ઉચ્ચ-હોર્સપાવર લોકોમોટિવ્સનું આયોજન, ગુણવત્તા અને કાર્યક્ષમતા સાથે જાળવણી કરવામાં આવે છે. અહીં કોઈ તેલ લીકેજ કે કોઈપણ પ્રકારની ગંદકી નથી – તે ખરેખર ભારતીય રેલ્વે માટે એક…
Author: gujarat
ચિંતન શિબિર- ૨૦૨૫ સમાપન-રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર એનાયત કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ માં આ પુરસ્કાર આપ્યા હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટરશ્રી નૈમેષ દવે,પાટણના તત્કાલીન કલેકટરશ્રી અરવિંદ વી,મોરબીના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ. પ્રજાપતિ અને આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના નો સમાવેશ થાય છે.આ પુરસ્કાર અંર્તગત પ્રત્યેકને રૂ.…
82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં તૈયાર થયું નવસારીનું અદ્યતન બસપોર્ટ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું મંગળવારે નવસારીમાં લોકાર્પણ કરશેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સાકાર થયોનવસારી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૨૫ નવેમ્બરે નવસારીમાં રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન…
ગાંધીનગર, કલોલ શહેરમાંથી પસાર થતો હાઇવે ક્રોસ કરવાનો ફુટ ઓવર બ્રિજ જોખમી બની ગયો છે. પતરા ઉખડી જવાના કારણે પગમાં ગંભીર ઇજા થવાની રાહદારીઓમાં દહેશત પ્રવર્તે છે. તેમજ તૂટેલા પતરામાંથી નીચે ધસમસતા વાહનો દેખાતા હોવાથી નીચે પડી જવાની ચિંતામાં લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. તેમજ મોટા ઉપાડે બનાવાયેલુ એસ્કેલેટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે.હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી. તેના કારણે કલોલ શહેર સહિતના બ્રિજ ઉપરથી પસાર થતા કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે સંપૂર્ણ ખાડે ગયેલુ તંત્ર કોઇ જીવલેણ અક્સમાતની પ્રતિક્ષા કરી રહ્યું છે કે શું..કોઇનો…
રાજકોટ, રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીટીસી ગ્રાઉન્ડમાં ચૌહાણ પરિવાર દ્વારા પુત્રની બીમારી દૂર કરવા માટે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુઓની બલિ ચડાવવામાં આવી રહી હતી. આ અંગે જીવદયા ફાઉન્ડેશનને જાણ થતાં તેમની ટીમે પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.પોલીસ અને જીવદયાની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આયોજકો દ્વારા છ પશુઓની બલિ ચડાવી દેવામાં આવી હતી. જોકે, દરોડા દરમિયાન અન્ય નવ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ આવતાં જ માંડવના આયોજકો અરવિંદ ચૌહાણ, રાહુલ ચૌહાણ અને પરબત ચૌહાણ સહિતના લોકો નાસી છૂટ્યા હતા.પ્રાથમિક વિગતો અનુસાર, માંડવા માટે કુલ ૧૫ પશુઓ…
રાજકોટ, રાજકોટના ક્રિસ્ટલ મોલ પાછળ રહેતા એક કારખાનેદાર પરિવારના ૧૮ વર્ષના એકના એક પુત્રનું વોલીબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થયું છે. તેને હાર્ટ એટેક આવ્યાનું અનુમાન લગાવાય છે.મળતી માહિતી મુજબ, એસએનકે સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી-પટેલ રમતગમતમાં ખૂબ સક્રિય હતો.યુવાન આદિત્ય વાછાણી (ઉંમર ૧૮) રવિવારે સાંજે તેના મિત્રો સાથે એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા ગયો હતો. આ દરમિયાન, તે અચાનક ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.મૃત્યુના સમાચાર મળતા જ આદિત્યના કુટુંબીજનો, શાળાના શિક્ષકો સહિતના…
GIFT City Commonwealth Games: સાબરમતી નદીના કિનારે આકાર લઈ રહેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) વર્ષ ૨૦૩૦ માં જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ની મેજબાની કરશે, ત્યારે તે આ આયોજનમાં ચાર ચાંદ લગાવશે. ગાંધીનગરમાં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે બની રહેલા આ ગિફ્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમાલનું છે. આ સમયે, બાજુમાં આવેલું ગિફ્ટ સિટી વિદેશી ખેલાડીઓ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને આકર્ષિત કરશે. માનવામાં આવે છે કે તે સમયે આ નવું શહેર મેરેથોન, વૉલીબૉલ સહિતની ઘણી સ્પર્ધાઓની મેજબાની પણ કરશે.વૈશ્વિક સુવિધાઓ અને રોકાણઅહીં હૉન્ગકૉન્ગ, સિંગાપોર અને દુબઈ જેવી કારોબાર અને રહેણીકરણીની વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.રોજગાર: આ જ કારણ છે કે…
Narayan Sai Mobile Jail: આસારામના દીકરા નારાયણ સાંઈની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બળાત્કારના એક કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ માં મોબાઇલ ફોન રાખવા અને તેનો ઉપયોગ કરવા બદલ નવો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ સચિન પોલીસ સ્ટેશન માં નોંધાયો છે.જેલ પ્રશાસનને ગુરુવારે ગુપ્ત માહિતી મળી હતી કે હાઈ-સિક્યુરિટી બેરક નંબર-૧ માં બંધ નારાયણ સાંઈ પાસે મોબાઇલ ફોન છે. માહિતી મળતાં જ જેલ સ્ક્વૉડે તુરંત કાર્યવાહી કરી અને નારાયણ સાંઈના અલગ સેલ (સેલ નંબર-૧) ની સઘન તલાશી લીધી. તલાશી દરમિયાન લોખંડના મુખ્ય દરવાજાની પાછળ એક સ્માર્ટફોન ચુંબકની મદદથી ચોંટાડેલો…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે મહિના પહેલા બોડકદેવ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કાંડના મુખ્ય બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર અને તેમના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કર છે.મળતી માહિતી મુજબ, ગત ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કર પર શીલજ સર્કલ નજીક ફાયરિંગ થયું હતું. મૌલિકભાઈએ ઘરગથ્થુ ઝઘડાના મુદ્દે ફરિયાદીની ઉપર રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ફરિયાદીના પેટમાં વાગી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. નાસતા ફરતા બંને આરોપીઓની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી હતી.બંને આરોપીઓ ઉજ્જૈનના મહાકાલ અને હરસિધ્ધી મંદિરે…
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયોવેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હુડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં લગભગ ૧૨ દિવસ પહેલાં થયેલું ભાવનાબેન ચાંડેગરાનું મોત હવે હત્યામાં પરિણમ્યું છે.પોલીસે આ કેસની ગૂંચ ઉકેલી સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે, જે મોજશોખ અને પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા માટે લૂંટના ઇરાદે બે નિર્દાેષ લોકોનો ભોગ લીધો હતો.એસ.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૧૨ દિવસ પહેલા આરોપી શ્યામ ચૌહાણ ભાવનાબેનના ઘરે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવાના બહાને આવ્યો હતો. બ્લડ સેમ્પલ લેવાના સમયે તેણે એનેસ્થેસિયાનું ઓવર ડોઝ ઇન્જેક્શન આપી દીધું હતું.બાદમાં, ભીના…
