રૂ.૧૬૮ કરોડના ખર્ચે નવો STP પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન નાંખવાનું આયોજન-દક્ષિણ બોપલ, શાંતિપુર સર્કલ પાસે એપલવોડ ટાઉનશીપ સામેનો વિસ્તાર, સરખેજના એસપી રીંગ રોડને સમાંતર વિસ્તારોમાં મકતમપુરા, સનાથલ જેવા વિસ્તારોમાં માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધા વધારાશે(એજન્સી)અમદાવાદ,અમદાવાદ શહેરના વિકાસને જોતા ડ્રેનેજ સુવિધાઓ ઊભી કરવા માટેના આયોજન થઈ રહ્યા છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર, સરખેજ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે ફતેહવાડી ખાતે રૂ.૧૬૮ કરોડના ખર્ચે નવો એસટીપી પ્લાન્ટ અને ડ્રેનેજ લાઈન નાંખવાનું નક્કી કરાયું છે. આ માટે ગુરૂવારના રોજ મળનારી કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આ દરખાસ્ત પર મંજૂરી લાગ્યા બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, હાટકેશ્વરની સેવન્થ ડે સ્કૂલના મામલે આખરે ત્રણ નોટિસ બાદ પણ સ્મૂલ ઓથોરિટીએ જવાબ ન આપતા મ્યુનિ.એ સ્કૂલની જગ્યા પરત લઈ લેવા કાર્યવાહી શરૂ કરી છે. હવે એક સપ્તાહમાં આ જગ્યા પરત લઈ લેવા માટેની છેલ્લી નોટિસ અપાશે.સાથે આ અંગેનો કેસ પણ કોÂમ્પટન્ટ ઓફિસર પ્રોસિડિંગ્સ સમક્ષ સુનાવણી માટે મૂકાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જગ્યા પરત લઈ લેવામાં આવશે. ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાટકેશ્વરમાં એફપી ૭૦૯ની ૧૦૪૬પ ચોરસ મીટર જગ્યા ઈન્ડિયા ફાઈનાÂન્સયલ અસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટને ૯૯ વર્ષના ભાડા પટ્ટે અપાઈ હતી.આ શાળામાં અત્યારે અન્ય સંસ્થા દ્વારા જ શિક્ષણ કાર્ય ચલાવવામાં આવે છે જેને કારણે તમારો આ…
નિયમો અને શિસ્ત એ એવા બે અનાથ બાળકો છે જેને જન્મ આપનારા તો છે પણ પાલન પોષણ કરનારા નથી. આ વાક્યા વાંચ્યા પછી તમને જે વિચાર આવે છે તે સાચો જ છે. ભારતીયો જેવા નિયમ પાલનના આગ્રહીઓ બીજા કોઈ નહીં હોય. આપણે જયારે વિદેશી જઈએ ત્યારે ત્યાંના નિયમો પાળીએ છીએ પણ આપણા દેશના નિયમોમાંથી છટકબારી શોધવા પ્રયાસરત હોઈએ. આજે જાહેર માર્ગો પર ચાલુ વાહને ફોન પર રહેતા યુવાનોને લઈએ.તીર્થના મોબાઈલની તૂટેલી સક્રીન જોઈને પ્રાચીને તેને કહ્યું કે ફરી તે ચાલુ વાહને ફોન ઉપાડ્યોને! તને ના પાડી છે તો પણ કેમ ચાલુ વાહને ફોન વાપરે છે ? બન્નેને અટકાવતા મેં પ્રાચીને…
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના ગામોમાંથી પસાર થતા હાઇવે નવીનીકરણના કામમાં વીજ પોલ ખસેડવાની કામગીરી દરમિયાન કલાકો સુધી પાવર બંધ રહેતા લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છેસવારના ૮ થી સાંજના ૬ સુધી કૃષિ અને જ્યોતિગ્રામની વીજળી નહીં મળતા રવિ સુઝનમાં પિયત થઈ શકતું નથી .આ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અંસ યુજીવીસીએલના અધિકારીને રજુઆત પણ કરવામાં આવી છે.વિજયનગર તાલુકાના ગામોમાંથી પસાર થતા વિજયનગર રાજપુર ચંદવાસાસ ખોખરા બોર્ડર થઈ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૮ નું ફોરલેનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રોડ સાઈડના વીજ પોલ ખસેડવાને લીધે ફીડરમાં દિવસે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી એગ્રીકલ્ચર…
રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્ટેલ, હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ પર ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરતરાજ્યમાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન’ પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નેમ અને ડિઝાઇન સાથે30નવી ‘મંગલમ કેન્ટીન’ શરૂ કરાશેરાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPCતમામ જિલ્લાઓમાં મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતી અને મહિલાઓના સશક્તીકરણ-રોજગાર માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજ્યમાં ૫૦ નવી કેન્ટીન સહિત ૨૦૦થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત કરવામાં આવી છે. સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત આ કેન્ટીન રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓ,હોસ્ટેલ,હોસ્પિટલ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અનેNGOજેવી મહત્વપૂર્ણ…
સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ.પી. સિંગ બધેલસરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં માનનીય પ્રવચનોભારત રત્ન સરદાર વલ્લભભાઈની સાર્ધ શતી શતાબ્દિઅનુસંધાને કરમસદથી નીકળેલી સરદાર@૧૫૦ પદયાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં સહભાગી બનેલા તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ જણાવ્યું કે,ભારત દેશ એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વએ દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળતા હાંસલ કરી છે. તેમના નૈતિક અને વ્યવહારું નેતૃત્વએ સમગ્ર વિશ્વને નવી રાહ આપી છે.રાષ્ટ્રીય એકતા પદયાત્રાના કાર્યક્રમ દરમિયાન,તામિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ આસોદર ખાતે પોતાના…
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીધામમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) સાથે એક મહત્વપૂર્ણ બેઠક અને સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેની અધ્યક્ષતા મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે કરી.આ બેઠકમાં ઉદ્યોગ પ્રતિનિધિઓ, વ્યાવસાયિક સંગઠનો અને વિવિધ સ્ટેકહોલ્ડર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રેલ પરિવહનને વધુ અસરકારક તથા મજબૂત કરવા માટે પોતાના સૂચનો અને અપેક્ષાઓ રજૂ કરી.કચ્છ ઔદ્યોગિક કોરિડોરમાંથી 50 MTથી વધુ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશનનો લક્ષ્યબેઠકનો મુખ્ય ફોકસ કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાંથી 50 મિલિયન ટનથી વધુ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશનના લક્ષ્યને મજબૂત બનાવવો હતો. શ્રી પ્રકાશે જણાવ્યું કે પશ્ચિમ રેલવે ઉદ્યોગ જગત સાથેની ભાગીદારીને વધારે મજબૂત બનાવી લોજિસ્ટિક્સને વધુ ઝડપી, વિશ્વસનીય…
વલસાડ, ધરમપુર ખાતે ચાલી રહેલી 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગસત્રથી કરાઈ; આશ્રમના પરિસરમાં વહેલી સવારે યોજાયેલ યોગસત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લઈ શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો.વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી એ ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવાઈ.ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતાં આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું; આ પ્રસંગે મંત્રી મંડળના સૌ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી સનદી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા…વલસાડના ધરમપુરના…
શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ, સ્વચ્છ પાણી અને સ્કુબા ડાઇવિંગ માટે લોકપ્રિય સ્થળ-2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે.VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશેદ્વારકા, શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2023 અને 2024માં 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી છે. આ રીતે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપીને ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર રાજ્યના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું…
કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે,ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો ઉગાડવા માટેની એક નવી પહેલનું આ સપ્તાહે અબડાસા તાલુકાના આરીખણા ગામમાં ઉદ્દઘાટન કરાયું છે.આશરે4.5હેક્ટર જેટલી સામાન્ય જમીન પર શરૂ કરાયેલી આ પહેલ થકી આશરે1100પશુઓને ફાયદો થવાની અપેક્ષા છે. જેના પગલે આ વિસ્તારના ખેડૂતોને ઉનાળા દરમિયાન ઘાસચારાની તીવ્ર અછતનો પડકાર દૂર કરવામાં મદદ મળશે.કચ્છમાં નાના ખેડૂતો માટે ઘાસચારો મળવો એ હંમેશાથી ચિંતાનો વિષય રહ્યો છે કારણ કે તેમણે ક્યાં તો દૂરના બજારો પર નિર્ભર રહેવું પડે છે અથવા તો મોંઘોદાટ ચારો ખરીદવો પડે છે. આ બાબતને ધ્યાનમાં…
