નડિયાદ, નડિયાદમાં એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જ્યાં સુરજબા મહિલા આટ્ર્સ કોલેજમાં એમએ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરતી એક તેજસ્વી વિદ્યાર્થિનીએ પિતાના લાંબી માંદગી બાદ થયેલા અવસાનના ગણતરીના કલાકોમાં જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરી યુનિ.ની પરીક્ષા આપી છે. પિતા ગુમાવ્યાની અસહ્ય વેદના વચ્ચે પણ મનોબળ ટકાવી રાખનાર આ દીકરીની હિંમત જોઈ સમગ્ર કોલેજ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ સાગરપાર્ક સોસાયટીમાં રહેતી મનીષાબેન રજનીકાંત સોલંકી નામની યુવતી હાલમાં નડિયાદ મીલ રોડ પરની સુરજબા મહિલા આટ્ર્સ કોલેજમાં એમએ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરી રહી છે તેના પિતા રજનીકાંતભાઈ સોલંકી લાંબા સમયથી લીવરના કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા.મંગળવારે…
Author: gujarat
ધ્રાંગધ્રા, નીલકંઠ વિદ્યાપીઠ ટ્રસ્ટ (હૈદરાબાદ) સંચાલિત શ્રી સ્વામિનારાયણ આશ્રમ જેગડવા ચોકડી, ધ્રાંગધ્રા મુકામે પાંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તારીખ ૨૬ થી ૩૦ દરમિયાન યોજાનાર મહોત્સવના પ્રેરક પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશ દાસજી છે.આ પ્રસંગે હૈદરાબાદથી પધારેલ શ્રી વિવેકસાગર સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સહિત નાના-મોટા ૨૧૨ સંતોની ઉપસ્થિતિમાં જય યજ્ઞ, સંત સંમેલન, વ્યાખ્યાન માળા, મહાપૂજા ઉપરાંત શ્રીમદ સત્સંગી જીવન કથા હૈદરાબાદ સ્થિત પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી હરિદર્શનદાસજી સ્વામીના શ્રીમુખે સાંભળવાનો લહાવો મળશે.તારીખ ૨૬ ના સવારે શ્રી સ્વામિનારાયણ આશ્રમથી પોથી યાત્રા કથા સ્થળે મહોત્સવ જશે. નૂતન મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ,…
Gandhinagar Medical College Ragging: ગુજરાતના ગાંધીનગર મેડિકલ કૉલેજમાં રેગિંગની ઘટના પર રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. રેગિંગની ઘટનાની તપાસ અને સીસીટીવીમાં અમાનવીય કૃત્ય કરવા બદલ સરકારે દોષિત વિદ્યાર્થીઓને બે અને છ મહિનાની સમય અવધિ માટે સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે આવી ઘટના બીજા કૉલેજોમાં પણ ન થવી જોઈએ. જો રાજ્ય સરકારને નાની પણ ફરિયાદ મળશે, તો તેના પર તરત જ એક્શન જરૂર લેવામાં આવશે. રાજ્ય સરકારે થર્ડ યરના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જ્યારે સેકન્ડ યરના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.આરોગ્ય મંત્રીનો કડક સંદેશમંત્રીમંડળના ફેરબદલમાં આરોગ્ય…
(પ્રતિનિધિ) દેવગઢ બારીયા, એસજીએફઆઈ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ટેક્વોન્ડો ચેમ્પિયનશિપમાં દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થી અર્શીલ ઈરફાનભાઈ મકરાણીએ ઉત્તમ પ્રદર્શન કરતા પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસિક સરવાળો કર્યો છે.અર્શીલની શિસ્ત, સતત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામ રૂપે આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજ્યકક્ષાની કઠોર સ્પર્ધામાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને પાછળ રાખીને ગોલ્ડ મેડલ મેળવવો દેવગઢ બારિયા અને દાહોદ જિલ્લાના માટે ગૌરવની બાબત ગણાય છે.આ સિદ્ધિ સાથે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે-સાથ દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો અને સમગ્ર ગુજરાતનું નામ ઉજ્જવલ થયું છે. હાલમાં અર્શીલ મકરાણી સુરત ખાતે નેશનલ લેવલની તૈયારી માટેના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા…
Kutch Murder Love Affair: ગુજરાતના કચ્છમાં રુંવાડા ઊભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. એક મહિલા જેને પ્રેમ કરતી હતી, તે જ પ્રેમીએ તેનો જીવ લઈ લીધો. મહિલાની નિર્મમતાથી હત્યાની સૂચના મળતાં વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ, તલાકશુદા મહિલા પોતાના પિયરમાં રહેતી હતી. અહીં જ રહેતા એક વ્યક્તિ સાથે મહિલાને પ્રેમસંબંધ હતો. મહિલાએ જ્યારે પ્રેમીને જણાવ્યું કે તેના લગ્ન નક્કી થઈ ગયા છે, તો તેણે કહ્યું કે ‘તું મારી નહીં હોય તો કોઈની પણ નહીં થવા દઉં.’ આ પછી તેણે મહિલાની હત્યા કરી નાખી.સાત વર્ષના અફેર બાદ હત્યાજાણકારી અનુસાર આ ઘટના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સામે…
બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશેમહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે22નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે.22અને23નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન,વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે ગુજરાત સરકારના વન,પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન…
રાજ્યમાં કાર્યરત ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની OPD સેવાનો ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ લીધો લાભમોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું – ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે.નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા છેવાડાના માનવી સુધી પહોચી રહી છે.રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી રાજ્યમાં ૧૦૨ મોબાઇલ હેલ્થ યુનિટ અને ૩૫ મોબાઈલ મેડીકલ યુનિટ એમ કુલ ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ સેવારત છે. જે પૈકી ૮૦ આદિજાતિ વિસ્તારમાં,૨૩…
Vadodara wife killed Husband: ઇન્દોરમાં થયેલા બહુચર્ચિત સોનમ રાજા રઘુવંશી હત્યાકાંડને લોકો હજુ ભૂલી શક્યા નથી. હવે, ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યના સંસ્કારી શહેર વડોદરામાં, એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. ત્યારબાદ, તેમણે તેનું મૃત્યુ કુદરતી હોવાનું જણાવીને તેને દફનાવી દીધો હતો. મૃતકના પરિવારની ફરિયાદ બાદ, પોલીસે પાંચ દિવસ પછી કબર ખોદી કાઢી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં પત્નીના કાવતરાનો પર્દાફાશ થયો. એવું બહાર આવ્યું છે કે પત્નીએ મુંબઈમાં રહેતા તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. વડોદરાના તાંડલજા વિસ્તારમાં થયેલી આ હત્યાએ લોકોને ચોંકાવી દીધા છે.ઊંઘની ગોળીઓ આપ્યા બાદ…
*સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે*Ahmedabad, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—૨૦૨૬માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે તેમ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે,આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૪ થી…
Ahmedabad Inspector Molestation Case: ગુજરાત પોલીસ દળને શરમજનક બનાવતી એક ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સામે આવી છે. અહીં એક ૧૯ વર્ષીય બીબીએની વિદ્યાર્થીનીએ એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે લિફ્ટમાં છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ઇન્સ્પેક્ટર સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.લિફ્ટમાં છેડતીની ઘટનાઆરોપ: ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીનો આરોપ છે કે વેજલપુરના એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં આરોપી ઇન્સ્પેક્ટરે તેની છેડતી કરી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, લિફ્ટ ચાલુ થતાં જ ઇન્સ્પેક્ટરે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.આરોપી: આરોપી ઇન્સ્પેક્ટરનું નામ બરકત ચાવડા છે.પોલીસનો સંપર્ક: ઘટના બાદ પીડિતાએ તાત્કાલિક ગુજરાત પોલીસ હેલ્પલાઇન નંબર અભયમ ૧૮૧ પર ફોન કરીને મદદ માંગી…
