ઈસ્લામાબાદ, એજન્સી. પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવીએ તેમના ઈરાની સમકક્ષ ઈસ્કંદર મોમેનીને ખાતરી આપી છે કે ઈસ્લામાબાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સ્થાયી શાંતિ માટે તેમના પ્રયાસો ચાલુ રાખશે. મોમેની મંગળવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના પ્રતિનિધિમંડળ સાથે એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. અમેરિકા અને ઈરાને ગયા અઠવાડિયે પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સપ્તાહની શરૂઆતમાં તેમણે સ્વિત્ઝર્લેન્ડમાં ટેકનિકલ સ્તરની વાતચીત કરી હતી. આ વાતચીત મધ્યસ્થીઓની હાજરીમાં થઈ હતી. વાતચીત બાદ અમેરિકા અને ઈરાન 60 દિવસમાં શાંતિ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા હતા.
બુધવારે ઇસ્લામાબાદમાં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, નકવી અને મોમેનીએ પાકિસ્તાન-ઇરાન સંબંધો અને ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. નકવીએ સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરાયેલ સંયુક્ત નિવેદન માટે મોમેનીને અભિનંદન આપ્યા અને કહ્યું કે ઈરાન સરકારના સાચા પ્રયાસો અને મોમેનીની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વિના આ શક્ય બન્યું ન હોત.

