Author: gujarat

અમદાવાદ , હિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પીઝા સહિત ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ આ ત્રણ એકમો સીલ કરાયા છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૬૭ એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ ૯૪ એકમોને નોટિસ ઈશ્યુ કરાઈ છે.આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૮૫ હજારનો દંડ વસૂલ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોર્ડમાં જાહેર માર્ગાે પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ,…

Read More

Sandesara case supreme court: મોટા નાણાકીય ગોટાળાથી જોડાયેલા સ્ટર્લિંગ બાયોટેક મામલામાં સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના આશરે 18000 કરોડ રૂપિયા ડૂબાડનાર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની 5100 કરોડ રૂપિયા 30 દિવસમાં જમા કરાવવાની દરખાસ્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકારી લીધી છે. આ ચુકાદાથી રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે એટલા ભારે ડિફોલ્ટ સામે ઓછી રકમ જમા કરીને મુક્તિ મળે તે મુદ્દો ચર્ચામાં રહ્યો છે. સાંડેસરા કેસમાં અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.18000 કરોડ સામે 5100 કરોડનો પ્રસ્તાવ અને સુપ્રીમ કોર્ટની શરતકોર્ટને મૂકવામાં આવેલી દરખાસ્ત…

Read More

રાંચી, ઝારખંડની રાજધાની રાંચીમાં શનિવારે સવારે એક અત્યંત દર્દનાક અને કરુણ ઘટના બની છે. અહીંના હટિયા ડેમમાં ચાર પોલીસકર્મીઓને લઈ જઈ રહેલી એક કાર કાબૂ ગુમાવીને ડેમમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક પોલીસકર્મી હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.મળતી માહિતી મુજબ, આ ચારેય પોલીસકર્મીઓ શનિવારે સવારે એક કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર હટિયા ડેમ પાસે પહોંચી, ત્યારે ડ્રાઇવરે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર સીધી ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ.પ્રાથમિક જાણકારી અનુસાર, આ દુર્ઘટનાનો ભોગ બનેલા ચાર પોલીસકર્મીઓમાંથી બે એક ન્યાયિક અધિકારીના…

Read More

અમદાવાદ. શહેરમાં જાણીતી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસને એક કડવો અનુભવ થયો હતો. એક્ટ્રેસે ગાડી ધીમી ચલાવતાં ને બીજે રસ્તેથી લઈ જતાં ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી. જેથી ડ્રાયવરે તેને ધમકી આપી હતી. એક્ટ્રેસે આ અંગે પોસ્ટ મૂકતા પોલીસ દોડતી થઈ હતી. જોકે એક્ટ્રેસ તેની ટ્રેન ચૂકી ગઈ હતી અને પોલીસે તેને બીજી ટ્રેનમાં રવાના કરી હતી.જે બાદ એક્ટ્રેસે પોસ્ટ ડિલિટ કરી હતી.ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની જાણીતી અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરના કારણે અસુરક્ષિત મહેસૂસ કરવાનો બનાવ સામે આવ્યો હતો.અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરીને પોલીસ પાસે મદદ માંગી હતી, જેના પગલે અમદાવાદ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. નીલમ પંચાલ…

Read More

૧૫૫ કિલો લીલા છોડ સાથે એકની ધરપકડ(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અને વાવેતર મામલે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કપાસના પાકની આડમાં કરાયેલું કરોડો રૂપિયાની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે એસઓજીએ ૧૫૫ કિલોગ્રામ ગાંજાના લીલા છોડ સાથે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક માહિતી મુજબ, એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી.…

Read More

Gujarat Jan Aakrosh Yatra: ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસે રાજ્યસ્તરે જનઆક્રોશ યાત્રાનું આયોજન શરૂ કર્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસન સામે નવો રાજકીય લહાવો ઊભો કરવા કોંગ્રેસ સક્રિય બની છે. આ યાત્રા દ્વારા પક્ષ જનતાના મુદ્દાઓને સીધા લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરશે. રાજ્યવ્યાપી રાજકીય હલચલ વચ્ચે આ યાત્રાને કોંગ્રેસ માટે સંગઠનને ફરી સજીવન કરવાની તક તરીકે જોવામાં આવી રહી છે.યાત્રાનો હેતુ અને ભાજપ સામેનો અભિયોગકોંગ્રેસ જણાવે છે કે ભાજપના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર, બેરોજગારી, મહિલાઓની મુશ્કેલી અને ગુનાખોરીમાં વધારો થયો છે. આ તમામ મુદ્દાઓને જાહેર મંચ પર લાવવાનું આયોજન જનઆક્રોશ યાત્રા દ્વારા થશે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી…

Read More

(એજન્સી)ભાવનગર, શહેરના તળાજા રોડ પાસેના કાચના મંદિરની સામે એક ભયાનક ઘટના સામે છે. મળતી માહિતી મુજબ, કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી ત્રણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. મળેલા મૃતદેહોમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે, જેઓ અંદાજે આઠ દિવસ પહેલા ગુમ થયા હતા, ત્યારે હાલ તેઓના મૃતદેહ મળતા આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આખા ભાવનગર શહેરને હચમચાવતી આ ઘટના આજે બપોરના સમયે જ સામે આવી છે. શહેરના પ્રખ્યાત કાચના મંદિર સામે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં જમીનની નીચે દટાયેલા આ ત્રણેય મૃતદેહ મળી આવ્યા હતા. મજૂરોની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે,…

Read More

(એજન્સી)સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાની સ્પેશિયલ આૅપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન, ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રભાસ પાટણ નજીક આવેલી ઐતિહાસિક હઝરત કચ્છી પીર બાબાની દરગાહ પર તપાસ શરૂ કરી હતી.એસઓજીની ટીમે દરગાહના વિવિધ ખૂણાઓ અને રૂમોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેમને આ ધાર્મિક સ્થળમાંથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે ધાર્મિક સ્થાનો પર આ પ્રકારના હથિયારો રાખવા એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં દરગાહના એક ગુપ્ત ભાગમાંથી કુહાડી…

Read More

ગુજરાતના નવા મંત્રીમંડળની રચનાને એક માસ જેટલો સમય થયો હોવા છતાં સમગ્ર મંત્રીમંડળ હજુ થાળે નથી પડ્‌યું. આનુ કારણ એ છે કે (૧)ઃ-મંત્રીઓને હજુ કાયમી સ્ટાફ મળ્યો નથી. અરે, ટેલીફોન ઓપરેટર કે કમ્પ્યુટર ઓપરેટર પણ મંત્રીઓનાં કાર્યાલયને ઉપલબ્ધ થયા નથી.એ ઉપરાંત (૨)ઃ-મંત્રીઓની સત્તાઓ અંગે પણ કોઈ સ્પષ્ટતાઓ થઈ નથી એટલે સરકારના જે વિભાગમાં કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રી નિમાયા છે તે વિભાગો તેમની ફાઈલો રા. ક. ના મંત્રી મારફત કેબિનેટ મંત્રીને મુકવી કે સીધી કેબિનેટ મંત્રીને મુકવી એ અંગે દ્વિધા અનુભવે છે.આમછતાં કેટલાક વિભાગો રા. ક. ના મંત્રીને ફાઈલ મોકલે છે અને કેટલાક વિભાગો હિંમત કરીને રા. ક. ના મંત્રીને કોરાણે…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચમાં વિશેષ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી, AMC કમિશ્નર બંછાનિધી પાની, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.અમદાવાદ: અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સોમવારે સવારે અમદાવાદમાં ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ – પદયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય એકતાની પદયાત્રામાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયં સહભાગી થઈને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ યુનિટી માર્ચ સોમવારે (૧૭ નવેમ્બર, ૨૦૨૫) સવારે ૮:૩૦ કલાકે આંબલી સ્થિત ખોડિયાર મંદિરથી શરૂ થઈ હતી. પદયાત્રા આ માર્ગો પર આગળ વધી:આ પદયાત્રામાં અમદાવાદના મેયર, કમિશ્નર, કેબિનેટ મંત્રી @irushikeshpatel…

Read More