વડોદરા, વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ પોતાના જ ટીમ લીડર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના મામલામાં રૂપિયા ૩૧.૪૬ લાખ ગુમાવ્યા હોવાના મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હરણી પોલીસ સ્ટેશન પાસે આવેલ સત્યમ નિર્વાણા ખાતે રહેતા શિવમ રાજેન્દ્ર ટોકરકરે આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવતો જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિત (રહે–આદિત્ય એસ્પાયર, વાસણા–ભાયલી રોડ / મૂળ રહે–મુંબઈ) થોડા સમય પહેલાં નોકરી છોડી ગયો હતો.ફેબ્›આરી માસમાં જીતેન્દ્રે ગોલ્ડ ખરીદવાની સ્કીમ આપતાં શિવમ અને તેમના મિત્રોએ મળીને આશરે ૨૦ તોલા સોનું…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ધો.૧૨ પછી ન‹સગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે જ સ્વનિર્ભર કોલેજની ખાલી ૩૩૫૨૪ બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવી છે.પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાઉન્સિલ દ્વારા ચાર સ્વનિર્ભર કોલેજને મંજૂરી આપવામાં આવી છે.ન‹સગ, ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશની મુદત ૩૦મી નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સ્થિતિમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી બેઠકો માટે તાજેતરમાં વધારાનો છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં જુદા જુદા સાત કોર્સની ૭૦ સરકારી…
ફોરેસ્ટ અધિકારી જ પત્ની-સંતાનોનો હત્યારો નીકળ્યો -પત્ની અને બે બાળકોની હત્યાં કરી લાશને ઘર નજીક દાટી દીધી અને બાદમાં ત્રણે લોકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં પત્ની-પુત્રી-પુત્રન ટ્રિપલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો છે. પરિવારનો મોભી એવા વનવિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંધલાંએ પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી. પત્ની અને બે બાળકોની હત્યાં કરી લાશને ઘર નજીક દાટી દીધી હતી. અને બાદમાં ત્રણે લોકો ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી.ભાવનગરના તળાજા રોડ પર આવેલા ઘાસના દંગા તરીકે ઓળખાતા ફોરેસ્ટ કોલોની માંથી પુત્ર, પુત્રી અને માતા સહીત ત્રણ લોકોના મૃતદેહ માળી આવતા ચકચાર મચી ગઈ હતી. અગાઉ પતિ…
(એજન્સી) ગાંધીનગર, પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો પર વહીવટીતંત્રએ સખત કાર્યવાહી કરી છે.પ્રશાસને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વકફ બોર્ડમાં નોંધાયેલી મોટી અને નાની દરગાહોના ગેરકાયદેસર કબજાને હટાવી દીધા છે. આ કાર્યવાહી અંતર્ગત શહેરના સેક્ટર ૧ થી ૩૦ માં આવેલા ૧૪૦૦ થી વધુ ગેરકાયદેસર ઘર-ઝૂંપડાંના દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ૧૪૦૦થી વધુ દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે, નોટિસોનો કોઈ…
(પ્રતિનિધિ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ૧૭ નવેમ્બરના રોજ મળેલી વોટર સપ્લાય કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ૧૨૩૦ જેટલી મિલકતોમાં રૂ. ૨૩.૬૩ કરોડના ખર્ચે સિસ્ટમ નાખવાના કારણે વરસાદી પાણી વેડફાશે નહીં. આ સિસ્ટમના કારણે વરસાદી પાણી મિલકતોમાં ઉપયોગમાં લેવામાં આવશે.વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વિવિધ ઈમારતોના રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત જળસંચય કરવા ૧૨૩૦ ઇમારતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂ. ૨૩.૬૩ કરોડ રૂપિયાના ખર્ચે…
મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર નજીક મોટી દુર્ઘટના સર્જા હતી. મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર એક બાળક સહિત ચારના મોત નિપજ્યાં હતા.જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, મોડાસાની ‘રિચ હોસ્પિટલ’ની એમ્બ્યુલન્સમાં એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, બાળક અને અન્ય એક વ્યક્તિનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે.જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની…
ભાવનગર, ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપના ઘા ઝીંકીને પોતાની ભાવિ પત્નીની કરપીણ હત્યા કરીને નાસી છૂટેલા આરોપી સાજનને પોલીસે ઝડપી લીધો છે.આ કેસની વિગતો એવી છે કે, પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેન (ઉંમર ૨૪) નામની યુવતીની સવારે લોખંડના પાઇપના ઘા ઝીંકીને તેના ભાવિ પતિ સાજન બારૈયાએ હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગઇકાલે રવિવારે હત્યા કરીને નાસી છૂટેલા સાજન બારૈયાને ઝડપી લીધો છે.મૃતક યુવતી સોનીબેન અને આરોપી સાજન છેલ્લા આઠ મહિનાથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કર્યા હતા અને ગઈકાલે તેમના લગ્ન…
અમદાવાદ, પશ્ચિમ વિસ્તારમાં ચોરીના ત્રણ અલગ અલગ બનાવ સામે આવ્યા છે. વેપારી માતાની દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે ગાડીનો કાચ તોડી અજાણી વ્યક્તિ રૂ. ૬.૦૮ લાખ ચોરી ફરાર થઇ ગઈ હતી. જ્યારે મકરબામાં રહેતો પરિવાર મકાન બંધ કરી કામ પર ગયો ત્યારે તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલીને રૂ. ૪.૬૨ લાખની મતા ચોરી કરી હતી.જ્યારે વેજલપુરમાં ૧.૨૫ લાખની મતા ચોરી થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોતાના મૌલિકભાઈ પંચાલ પ્લાસ્ટિકનો વેપાર કરે છે. મૌલિકભાઇ તા.૧૦મીએ જુહાપુરા ખાતે ગયા હતા ત્યાંથી વેપારી પાસેથી ૨.૯૪ લાખ રોકડા લઇ બાદમાં એસ.જી હાઈવેની આંગડિયા પેઢીમાંથી ૧ લાખ લઇને નીકળ્યા હતા.જે બાદ…
મહેસાણા, મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી ઐતિહાસીક વિરાસત એવી ‘બોત્તેર કોઠા’ની વાવ ખંડેર જેવી બની ગઈ છે ત્યારે કોર્પાેરેશન દ્વારા તેની હેરિટેજ પ્રોપર્ટી જળવાઈ રહે તે રીતે રિસ્ટોરેશન કરીને આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે રૂ.૩.૨૫ કરોડના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.બોત્તેર કોઠાની ૧૧ મજલાની આ ઇંટેરી વાવ ૧૮મી સદીમાં બાબુરી સમયમાં નિર્માણ પામી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ ઐતિહાસિક વિરાસત ખંડેર બની ગઈ છે.વાવની ઉપર અને આસપાસ ઝાડી-ઝાંખરાં ઊગી ગયાં હતાં અને લોકો ધાર્મિક વિધિનો સામાન વગેરે વાવમાં ફેંકી જતા હોઈ પાલિકા અને મનપા દ્વારા સફાઈ કરીને કમ્પાઉન્ડ વોલ બનાવાઈ છે.જો કે, હવે કોર્પાેરેશન…
અમદાવાદ, શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ત્યારે જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પણ વધુ નફો મેળવવાની લાલચમાં ૮.૩૩ લાખ રૂપિયા ગુમાવ્યા છે.તેને પહેલા ૧૦ હજારનું રોકાણ કર્યું જેમાં તેને ૭૫૦ નફો મળ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીએ ૮.૩૩ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં તેને ૨૭ લાખ રૂપિયા નફો ઓનલાઇન બતાવવામાં આવતો હતો.દાણીલીમડા મદની એપાર્ટમેન્ટમાં રહેતો મોહમંદ ઝૈદ સલીમ મેમણ (૨૦) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સીએનો અભ્યાસ કરે છે. ઝૈદની ફરિયાદ મુજબ તેમને થોડા સમય પહેલા જ તેણે મોબાઇલ પર સોશિયલ મીડિયા પર શેરબજારના રોકાણની વિગતો આવી હતી.જેના આધારે ઝૈદે થોડી તપાસ કરતાં…
