સીજી રોડ પરથી પોતાના ધંધાના નાણાંની ઉઘરાણી કરીને વેપીર પરત ફરી રહ્યા હતા. તેમણે આ રોકડ રકમ પોતાની કારની ડિકીમાં મૂકી હતીઅમદાવાદ, અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે બુધવારે બપોરે એક સનસનાટીભરી લૂંટનો બનાવ બન્યો છે. સ્ટીલ-લોખંડના બ્રોકર પાસેથી અજાણ્યા શખ્સો રૂ.૧૮ લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ધોળે-દહાડે બનેલી આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પાસે બની હતી. ફરિયાદી સ્ટીલ-લોખંડની દલાલીનો ધંધો કરે છે, તેઓ સીજી રોડ પરથી પોતાના ધંધાના નાણાંની ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા.…
Author: gujarat
સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે. પીએમ મોદી દેવ મોગરા ધામની મુલાકાત લેશે -આ વર્ષે આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છેનર્મદા, સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરશે. દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા બિરાજમાન છે.નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો કણી-કંસરી અહીં યોજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી…
સુરત RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરાયો-સોનસ સોલંકી હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છેસુરત, સુરત શહેર ના RFO સોનલ સોલંકી પર ફાયરીંગ કેસના આરોપીને ઝડપવા માટે જોખાથી નાસિક અને સુરતથી સાપુતારા સુધીના ૧૦૦૦ CCTV ચેક કર્યા હતા. પોલીસથી બચવા બંને આરોપીઓ ૨૫૦૦ કિમી સુધી ભાગ્યા હતા. જોકે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત સોનસ સોલંકી હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છેસુરત શહેર વન ભવન ખાતે ફરજ બજાવતા ઇર્હ્લં સોનલ સોલંકી પોતાના બાળકને કારમાં લઈને સવારે શાળાએ મૂકવા જઈ રહ્યા હતા, તે દરમિયાન કામરેજ તાલુકાના વાવ જોખા રોડ પર…
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)દ્રારા જાન્યુઆરી–જૂન ૨૦૨૫ બેચના મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર પ્રદ્યુમ્ન વ્યાસ (પ્રેસિડેન્ટ,વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન;સિનિયર એડવાઇઝર,કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી;ભૂતપૂર્વ ડાયરેક્ટર,એન.આઈ.ડી.;અને ભૂતપૂર્વ મેમ્બર સેક્રેટરી,ઇન્ડિયા ડિઝાઇન કાઉન્સિલ) ઉપસ્થિત રહ્યા હતા.તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી જિગીશ દોશી (સ્થાપક અને ચેરમેન,વિશાખા ગ્રુપ) હાજર રહ્યા હતા. બંને મહાનુભાવો દ્રારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એએમએ કાર્યકારી સમિતિના સભ્ય શ્રી શૈલેશ ગોયલે સ્વાગત પ્રવચન આપ્યું હતુંઅને એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉમેશ દીક્ષિતે આભારવિધિ કરી હતી.એએમએના નિરંતર શિક્ષણ કાર્યક્રમોએ વ્યક્તિઓ,સંસ્થાઓ અને સમાજને…
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી પૂરજોશમાંઅમદાવાદ, માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.અમદાવાદ નજીક રાજ્ય ધોરીમાર્ગ પરના ક્ષતિગ્રસ્ત ભાગોને ઉચ્ચ ગુણવત્તાવાળા ડામર પેચવર્ક દ્વારા સફળતાપૂર્વક રિપેર કરવામાં આવ્યા છે. વિભાગની આ કામગીરી ત્વરિત અને ગુણવત્તાયુક્ત સમારકામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.અમદાવાદ જિલ્લામાં ૧૫૩ કરોડના ખર્ચે બગોદરા, ફેદરા ધંધુકા રોડ ૮૨/૩૦ થી ૧૧૭/૫૦ કિલોમીટર ( ફેદરા થી તગડી સુધી) પર ચાર માર્ગીયકરણની કામગીરી આખરી તબક્કામાં પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ કર્યાબાદ અમદાવાદ થી બોટાદ તથા ભાવનગર જિલ્લા તરફ મુસાફરી કરતા…
Rajkot Couple Murder: રાજકોટના નાગેશ્વર રોડ પર આવેલાં સમેત શિખર એપાર્ટમેન્ટમાં ગયા શનિવારે વહેલી સવારે અચાનક ગોળીબારના અવાજોથી આસપાસના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડ્યા ત્યારે પાર્કિંગ વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં પડેલા એક પુરુષ અને થોડે અંતરે ગંભીર ઘાયલ હાલતમાં એક મહિલા નજરે પડી. થોડા જ સમયમાં પહોંચેલા તેમના વીસ વર્ષીય પુત્રએ આ દૃશ્ય જોઈને હિમ્મત ગુમાવી દીધી હતી. છેલ્લા દોઢ મહિનાથી માતાપિતાના તણાવ અને ઝઘડાઓને કારણે તેઓ માનસિક રીતે પહેલેથી જ નબળા પડી ગયા હતા, અને આ ઘટનાએ તેમને સંપૂર્ણ રીતે તોડી મૂક્યા હતા.દંપતી વચ્ચેના કલહની પાછળનું કારણરાજકોટના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય લાલજી પઢિયાર અને તેમની પત્ની…
Teachers in Unity March: શિક્ષકોને સર’ની કામગીરી સોંપાઈ છે જેમાં ધરપકડ વોરંટ જાહેર કરતાં હવે ચૂંટણીલક્ષી કામનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. ‘સર’ના કામની ઝંઝટ તો પૂરી થઇ નથી ત્યાં શિક્ષકોને ભાજપની યુનિટી માર્ચમાંય જવા સૂચના અપાઇ રહી છે. સાથે સાથે હવે દરેક વિધાનસભા બેઠક પર યોજાનારી યુનિટી રનની જવાબદારી પણ શિક્ષકોના માથે થોપાઈ છે. આ કારણોસર શિક્ષણ કાર્યે સિવાયના કામનો બોજ લાદી દેવાતાં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવનાર જ નથી.BLOs તરીકે મહિલા શિક્ષકોની નારાજગીગુજરાતની સર’ની કામગીરીને લઈને શિક્ષકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. બુથ લેવલ અધિકારી (BLO)તરીકે શિક્ષકોને મતદાર યાદીને લઇને કામકાજ સોંપાયુ છે. આજે અમદાવાદમાં કલેકટર કચેરીએ મહિલા શિક્ષકોએ દેખાવ કરીને…
વડોદરા, વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝને ઓનલાઇન શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપીને ૨૯.૯૯ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવી છે.માંજલપુરના માનવધર્મ આશ્રમ પાસે આવેલી સંધ્યા પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ કાંતિલાલ જોષીને ગત ૧૬ મે ૨૦૨૫ના રોજ તેમના વોટ્સએપ પર મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનાર કંગના શર્મા નુવામા વેલ્થ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ છે અને બ્લોક ટ્રેડિંગ તથા ક્વાર્ટર પ્રોફિટ પ્લાનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે.ત્યારબાદ ઠગોએ રૂ. ૫ લાખ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તેના પર દરરોજ તમને ૧૦%થી ૧૫% પ્રોફિટ મળશે એવી લાલચ આપીને ૩૦ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે કહ્યું હતું અને તેમને…
Gujarat Farmer Suicides: ગુજરાતમાં આ વખતે માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે. ઓચિંતા વરસેલાં વરસાદને લીધે રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોંચાડ્યું છે, જ્યારે 16 હજારથી વધુ ગામડાઓને ખેડૂતો અસરગ્રસ્ત થયાં છે. ખેતરોમાં ઊભા પાક ભોંયભેગાં થતાં ખેડૂતોના મોઢાંમાંથી જાણે કોળિયો છીનવી લેવાયો છે. આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતો મજબૂરવશ થઈ જીવન સંકેલી રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનામાં ગુજરાતમાં કુલ મળીને છ ખેડૂતોએ આપઘાત કર્યો. આના પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.આર્થિક સંકડામણને લીધે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબૂરમાવઠાને લીધે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણના ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો…
સુરત, ૧૦ વર્ષ પહેલા સુરત જિલ્લાના કામરેજમાં નાણાકીય લેતીદેતીમાં ગોળી મારી એકની હત્યા અને બીજાની હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.કામરેજમાં રહેતા ધીરેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુરોહી તથા તેમના પિતા જસવંતસિંહ રાજપુરોહિત ૧૦-૬-૨૦૧૫ના રોજ સાંજના સુમારે તાપી બ્રીજ બાદ આવતી હાંડી હોટલ ખાતે ગયા હતા.જ્યાં પહેલાથી પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ ભંવરલાલ સિંઘવી હાજર હતાં તેમણે જસવંતસિંહને જણાવ્યું હતું કે આરોપી ભગવતી ઉર્ફે ભગુ હસમુખભાઈ શાહ (રહે.૨૭, રણછોડનગર, નાના વરાછા, સુરત.મુળ રહે. મોકુંડા, તા.રાયપુર, જી.ભીલવાડા, રાજસ્થાન) વડોદરાથી હમણા આવે છે, હું પણ હમણા વડોદરાથી આવ્યો છું. ત્યાર બાદમાં પંદર વીસ મિનીટમાં…
