યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત હરહંમેશથી દેશમાં અગ્રણી :- શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાAI/MLતથા સોફ્ટવેર ડેવલપમેન્ટના તાલીમ કાર્યક્રમો માટે રિષભ સોફ્ટવેર-વડોદરા સાથે, ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો માટે સ્યોર સેફટી પ્રા.લિ – વડોદરા સાથે તેમજ સ્કીલ કોર્સિસ માટે ટાટા ઇન્ડિયન ઇન્સ્ટી.ઓફ સ્કિલ્સ-અમદાવાદ,ટોપ્સ ટેકનો. સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર-અમદાવાદ,વારી એનર્જીઝ લિ. તથા યશસ્વી સ્કિલ્સ લિ. સાથેMoUપર હસ્તાક્ષર કર્યા હતા.• *ફર્નિચર ડિઝાઈન,પ્લમ્બીંગ ટેક્નોલોજી,ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન,રોબોટીક્સ ટેક્નોલોજી,ઈ.વી ટેક્નોલોજી,હેલ્થકેર,એડવાન્સડ સાયબર સિક્યોરીટી,ડિજિટલ ફોરેન્સિક,એગ્રી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ,ઉદ્યોગ સાહસિકત્તા,ઈનોવેશન,હોસ્પિટાલીટી,ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા વિવિધ અભ્યાસક્રમો માટેLoIઅર્પણ કરાયા*ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ૦૬ ઉદ્યોગોએ પોતાના ઉદ્યોગ એકમો ખાતે જ નવા તાલીમ કાર્યક્રમો…
Author: gujarat
બિહારી શ્રમિકો મતદાન માટે વતન જતાં કાપડ સહિતના ઉદ્યોગોમાં કામદારોની અછત(એજન્સી)અમદાવાદ, બિહાર વિધાનસભાની ચૂંટણીની અસર હજાર કિલોમીટર દૂર ગુજરાતના ઉદ્યોગોમાં પણ અનુભવાઈ રહી છે. બિહારમાં ચૂંટણી પ્રચાર માટે રાજ્યના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પટણા પહોંચી ગયા છે સાથે જ બિહારના ગુજરાતમાં રહેતા મતદારોને પણ વતન પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જેના પગલે લાખો બિહાર કામદારો ‘માદરે વતન’ ચાલ્યા ગયા હોવાથી સુરત, રાજકોટ, તથા અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરોની અછત સર્જાઈ છે. ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં બિહારી કામદારો કામ કરતા હોવાથી કામદારોની અછત જોવા મળી રહી છે. કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ બિહારી કામદારોની અછત વર્તાઈ રહી છે.દિવાળીની રજાઓમાં ઉત્તર પ્રદેશ…
ફલેશ મેસેજ મોકલી યુવકના ખાતામાં રહેલા ૭૦,૦૦૦ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા(એજન્સી)અમદાવાદ, સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાને અટકાવવા માટે ગુજરાત પોલીસના સાયબર વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સાયબર માફિયાઓ પણ ઠગાઈની નીતનવી મોડેસ ઓપરેન્ડીથી લોકોની મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં ચાંઉ કરી જાય છે.કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને સામાન્ય સુથારી કામ કરતા યુવકના મોબાઈલમાં અચાનક ફલેશ મેસેજ આવ્યો અને થોડી જ વારમાં મોબાઈલ અપડેટ થવા લાગ્યો અને યુવક કશું સમજે તેની પહેલાં તેના એકાઉન્ટમાં રહેલા તમામ રૂપિયા સાયબર ગઠિયાઓએ ટ્રાન્સફર કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.નિકોલ નરોડા વિસ્તારમાં સોસાયટીમાં રહેતો ૩પ વર્ષીય યુવક તેના પરિવાર સાથે…
બાવીસગામ લેઉવા પાટીદાર સમાજે રજૂઆત કરી -આણંદ, ખંભાત, ડાકોરની મેમુ ટ્રેનને મણિનગર સ્ટોપેજ આપો(એજન્સી)અમદાવાદ, ખાનગી કંપનીઓમાં નોકરી કરનારા, કોલેજોના વિદ્યાર્થી સહિત મધ્ય ગુજરાતના ર લાખથી વધુ લોકો અમદાવાદમાં રહે છે છતાં તેમને અપ-ડાઉન કરવા કે વતન આણંદ, પેટલાદ, ખંભાત અને ડાકોર જેવા માત્ર એક માત્ર વિકલ્પરૂપે માત્ર એસટી બસ છે.આથી બાવીસગામ લેઉવા પાટીદાર સમાજના અમદાવાદ વિભાગે આણંદ-ખંભાત, આણંદ-ડાકોર અને આણંદ-ગોધરા વચ્ચે નિયમિત રીતે દોડતી મેમુ ટ્રેનને મણિનગર સુધી સ્ટોપેજ આપવા માગણી કરી છે.બાવીસગામ લેઉવા પાટીદાર સમાજના અમદાવાદના પ્રમુખ હિતેષ પટેલે જણાવ્યું કે, બસમાં ભીડ, ટ્રાફિક અને ભાડામાં વધારો થવાને કારણે મુસાફરોને સમય અને પૈસાનો વધારાનો ભાર પડે છે. તેની સામે…
મતદાર યાદી ખાસ સુધારણા માટે મ્યુનિ. કર્મચારીઓને સ્વયંસેવક તરીકે નિમાશે(એજન્સી)અમદાવાદ, ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદી ખાસ સુધારણા અભિયાનમાં મતદારો અને બીએલઓને મદદરૂપ થવા માટે મ્યુનિ. આસિસ્ટન્ટ કમિશનરોને ઝોન-વોર્ડ વિસ્તારમાંથી ર૦-ર૦ મ્યુનિ. કર્મચારીઓને સ્વયં સેવક તરીકે નિમવાનો આદેશ જારી કરાયો છે.સ્વયં સેવકો કોઈ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન હોવાની શરત માથાનો દુઃખાવો બની છે કારણ કે કોણ સંકળાયેલું છે કે નહીં ? તે મ્યુનિ. આસિ. કમિશનરો માટે જાણવું મુશ્કેલ છે.ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથોને કોઈ હેરાનગતિ ન થાય તેમજ તેમને શકય એટલી સુવિધા પ્રદાન કરવા માટે સ્વયં સેવકોની મદદ…
Ambaji Marble Gujarat GI Tag: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શિક્તિપીઠ અંબાજી ધાર્મિક સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતી ધરાવે છે, ત્યારે અંબાજીની કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અંબાજી વિસ્તારમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓગળ મેળવી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા વિસ્તારમા માર્બલને ‘જીઆઈ ટેગ’ (Geographical Indications Tags)ની માન્યતા આપવામાં આવી છે. જેથી હવે વિસ્તારના માર્બલને “અંબાજી માર્બલ’ તરીકે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે.અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ‘જીઆઈ ટેગ’ તરીકેની માન્યતા આપી છે. અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને…
મિથિલાની સંસ્કૃતિ અને સંસ્કારોએ મને હંમેશા પ્રેરિત કર્યો છે. મિથિલા સમાજની વિનમ્રતા, શિક્ષા અને સામૂહિક ભાવનાએ એમના જીવનની દિશા નિર્ધારિત કરી છે.અમદાવાદ, ગુજરાતમાં મિથિલા સમાજ દ્વારા રવિવારના રોજ મિથિલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, આઈએએસનું ઉત્કૃષ્ટ સેવાઓ અને મુખ્ય સચિવ તરીકે કરાયેલ વરણીને પગલે સન્માનિત કરાયા હતા.તેમનું બહુમાન મિથિલાની પરંપરા અનુસાર ધોતી, કુર્તા, ચાદર, પાઘડી અને પુષ્પગુચ્છથી કરવામાં આવી હતી. આ બહુમાનમાં મિથિલા સમન્વય ફાઉન્ડેસન, બરોડાના તમામ મુખ્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું નેતૃત્વ શ્રી પી.કે. જ્હા, વિધાન જ્હા અને પ્રવિણ જ્હા દ્વારા સાકાર કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં મુખ્ય…
અગાઉ એએમસીના પ્લોટો ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે વેચાણ કરવાને પરિણામે એએમસીને વધુ સારા ભાવ મળે છે.પ્રાઈમ લોકેશનના પ્લોટના વેચાણથી નોન-ટેકસ રેવન્યુમાં વધારો -હરાજીથી શહેરમાં ૧૭ પ્લોટના વેચાણથી ને AMCરૂ.૧,૩રપ.૭ર કરોડની આવક -રૂ.૧૩૪.૭ર કરોડની આવકના બે પ્લોટના વેચાણની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મંજૂર(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઈમ લોકેશન પર આવેલા રેસિડેÂન્સયલ અને કોમર્શિયલ હેતુ માટેના ૧૭ પ્લોટ હરાજીથી કાયમી ધોરણે વેચાણથી આપીને રૂ.૧,૩રપ કરોડ, ૭ર લાખ એકત્રિત કર્યા છે.એએમસી દ્વારા ઓગસ્ટ ર૦રપ સુધીમાં ૧પ પ્લોટના વેચવામાં આવ્યા હતા અને રૂ.૧૧૯૧ કરોડની આવક થઈ હતી જ્યારે તાજેતરમાં ટીપી-ર૧પમાં…
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ શહેર વર્ષ ૨૦૧૬માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર ત્રણના સ્ટેશન રોડ પાસે આવેલી મારવાડી ચાલનાર રહીશું સ્માર્ટ સિટીમાં રહેતા હોવાની શરમ અનુભવે છે.દાહોદ નગર પાલિકાની ઘોર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતા અને કાઉન્સિલરોની અનુપસ્થિતિને કારણે આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય છે. માણસો તો ઠીક પશુઓ પણ રહી શકે તેમ નથી. પારાવાર ગંદકી ભરી દારુણ સ્થિતિથી પીડિત સ્થાનિક રહીશોની વેદના આજે છલકાઈ પડી છે અને…
ડે.કલેકટરને પત્ર પાઠવી બીએલઓને વ્યવસ્થિત કરવા સૂચના આપવા માંગ કરીતળાજા, મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે ત્યારે તળાજા તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ પોતાના ફૂલસર ગામની અંદર સોળસો આસપાસનું મતદાન છે તેમાંથી ત્રણસો જેટલા મતદારો બોગસ અથવા તો અન્ય નગરમાં અને અહીં બન્ને સ્થળે મતદાર તરીકે છે તેવા દાવા સાથે ડેપ્યુટી કલેકટરને પત્ર લખ્યો છે.સંજય કટારિયાએ તળાજા ડેપ્યુટી કલેકટરને પાઠવેલા પત્રમાં માંગ કરી છે કે, એસઆઈઆરની જે કામગીરી શરૂ થઈ છે તે કામગીરી પોતાના ફૂલસર ગામમાં કરવા આવતા બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપવાની માંગ કરી છે તે કામગીરી પોતાના ફૂલસર ગામમાં આવતા બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપવાની માંગ…
