અમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 07.11.2025ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વર્ષભર ચાલનારા સ્મરણ સમારોહનો શુભારંભ કર્યો હતો.દેશભરમાં ઉજવાતા“રાષ્ટ્રવ્યાપી ઉત્સવ”ના ભાગરૂપે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં પણ આ ઐતિહાસિક પ્રસંગ પૂરા શ્રદ્ધા, ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો હતો।માનનીય પ્રધાનમંત્રીએ આ પ્રસંગે150વર્ષનું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટપણ પ્રકાશિત કર્યા હતા.આ કાર્યક્રમ7નવેમ્બર2025થી7નવેમ્બર2026સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે.જે આ અમર રચના,જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.આ ઉત્સવ દરમિયાન“વંદે માતરમ્”ના પૂર્ણ સંસ્કરણનુંસામૂહિક ગાનદેશભરના જાહેર સ્થળોએ આયોજિત કરવામાં આવ્યું,જેમાં સમાજના તમામ વર્ગોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક…
Author: gujarat
Chaitar Vasava BJP Allegation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા, આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ ખોટા કેસ દાખલ કરીને તેમની પાર્ટીને નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, “હું જંગલમાં મુક્તપણે ફરતો વાઘ છું. હું સર્કસ વાઘ નહીં બનીશ.” વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. પીએમ મોદી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લેવાના છે. ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે.ખોટા કેસ દાખલ કરવાનો આરોપવડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના અથડુંગરીમાં “ગુજરાત…
ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે દર્શનાર્થે આવેલા મહિલા દાગીના સ્ટીલના ડબ્બામાં મુકીને બેગ લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતાઊંઝા, ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે દર્શન કરવા આવેલા દર્શનાર્થીના બેગમાં રહેલા સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના કિં.રૂ. ૧૦ લાખની કોઈ અજાણ્યો ચોર ભીડનો લાભ લઈ ચોરી કરી લઈ જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ઊંઝા શહેરમાં પાટણ રોડ પર આવેલી નોબેલ હાઇટ્સમાં મીનાબેન દીપકકુમાર પટેલ રહે છે. જેઓના કુટુંબમાં લગ્નપ્રસંગ હોઈ તેમના પતિ સાથે એક્ટિવા પર તેની સાસુના ઘરેણાં જે ઊંઝા માર્કેટયાર્ડના બેન્કના લોકરમાં પડેલા હતા તે લેવા માટે આવ્યા હતા. જે બેન્કમાંથી…
મળી રહેલી માહિતી મુજબ, માંડવી શહેરના એક અગ્રણી રાજકીય કાર્યકરની પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમના પતિએ બબ્બે વખત અન્ય મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ રાખ્યા હતા અને તે સંબંધોમાં તેમને રંગે હાથ પકડ્યા હતા. તાજેતરમાં તેઓ પોતાના પુત્રની ડાન્સ ટીચર સાથે પણ નજીકના સંબંધોમાં હતા અને બંનેના ફોટા પત્નીના હાથમાં આવી જતા ઘરમાં ભારે તંગદિલી સર્જાઈ હતી.ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પતિને દારૂ પીવાની ખરાબ આદત છે, જેને લઈને અવારનવાર ઘરમાં ઝગડા થતા હતા. એક પ્રસંગે પત્ની સતત ત્રાસથી કંટાળી જઈ ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ…
પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યોભારેલ ગામ પાસે મોમાઈ હોટલની સામે અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષિય ભીક્ષુક જેવી મહિલા સાથે અકસ્માત સર્જાયો હતોઆણંદ, આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ તારાપુર સ્ટેટ હાઇવે ઉપર આવેલા પેટલાદ તાલુકાના ભારેલ ગામની સીમમાં એસટી બસની ટક્કરે અજાણી ભીક્ષુક જેવી મહિલાનું મોત નિપજ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે.બોરસદ તાલુકાના રાસ ગામે નીલકંઠ ચોક વિસ્તારમાં ૩૨ વર્ષીય વિવેકભાઈ હર્ષદભાઈ દરજી પોતાના માતા, પિતા સહિતના પરિવાર સાથે રહે છે અને છેલ્લા ચાર વર્ષથી બોચાસણ ટોલ પ્લાઝાના હાઈવે પેટ્રોલીંગમાં સુપરવાઇઝરની નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે.બુધવારે વિવેકભાઈ દરજી હાઈવે પેટ્રોલીંગની ગાડીના ડ્રાઇવર મહેશભાઈ ભલાભાઇ પરમાર, હેલ્પર ભાવિનભાઈ ફતાભાઈ…
Gujarat ATS Ricin Plot: 8 નવેમ્બર, 2025 ના રોજ, ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ અહેમદ મોહિઉદ્દીન સૈયદ નામના એક ડૉક્ટરની ધરપકડ કરી. એવું કહેવાય છે કે આ ડૉક્ટર ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) સાથે જોડાયેલા છે અને ભારતના અનેક શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા, 30 જીવંત કારતૂસ, બે લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન અને 4 કિલોગ્રામ એરંડાના બીજ, જેમાંથી રિસિન નામનું ભયાનક ઝેર કાઢવામાં આવે છે, જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસની ધરપકડ ATS ને શંકા છે કે આરોપી ભીડવાળા વિસ્તારોમાં રિસિનથી વિનાશ મચાવવાનો ઇરાદો રાખતો હતો. તે બે અન્ય વ્યક્તિઓ સાથે…
રેગિંગ મુદ્દે સસ્પેન્ડ મેડિકલના ૧૫ વિદ્યાર્થીએ કરેલી અરજી પરત ખેંચી લીધીઆરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઈએ, એક લાખ રૂપિયાથી કોઈનો દીકરો પાછો નહીં આવેઃ હાઇકોર્ટની ટકોરઅમદાવાદ, ધારપુરની GMERS મેડિકલ કોલેજના ૧૫ વિદ્યાર્થીઓને રેગિંગ બદલ સસ્પેન્ડ કરી દંડ કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઇકોર્ટનું આકરું વલણ જોતાં હાલ પૂરતી પરત ખેંચી લેવામાં આવી છે. આ કેસમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ રેગિંગનો ગંભીર મામલો છે. આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઈએ.એક લાખ રૂપિયાથી કોઈનું બાળક પાછું આવશે નહીં. અરજદાર વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડવા ભણવા આવ્યા છે. એક-એક વિદ્યાર્થીને ૩૫ લાખ દંડ થવો…
ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ(તસ્વીરઃ અશોક જોષી) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતાનગર સુધી નીકળનારી જનજાતિય ગૌરવ યાત્રાને તા. ૭ નવેમ્બરના રોજ ઉમરગામના સરઈ ગામ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અનેશહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત અને અમદાવાદ નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ બિરસા મુંડા સહિતના આદિવાસી…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે એક ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહી, જેના કારણે નાના બાળકો અને મહિલાઓ સહિતના શ્રમિકોને કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રહેવાનો વારો આવ્યો હતો.માહિતી મુજબ, શહેરા તાલુકાના નાડા ગામના ૨૭ શ્રમિકો દિવાળી બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામ માટે જઈ રહ્યા હતા. તમામે દાહોદથી જામનગર જતી એસટી બસ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, જેથી બેઠકોની સગવડ મળી રહે.છતાં પણ ડાકોર ડેપોની આ બસ તેઓને લીધા વગર જ આગળ નીકળી ગઈ હતી. બસ છૂટી જતાં શ્રમિકોએ ડાકોર એસટી…
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારતની આઝાદીની ચળવળના મહામંત્ર જેવા વંદે માતરમ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ભારત વિકાસ પરિષદ અને સ્ટેશન શાળાના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન શાળામાં તારીખ ૭- ૧૧- ૨૦૨૫ ને શુક્રવારના રોજ ૧૧ઃ૦૦ કલાકે આન બાન અને શાન સાથે ઉજવણી કરાઇ.ઉપસ્થિત મહેમાનો, શાળાનો સ્ટાફ તથા ઉપસ્થિત બાળકો એ સમૂહમાં વંદે માતરમનું ગાન કરી ભારત રાષ્ટ્રને મજબૂત કરવા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અને ભારતના તમામ વ્યાપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી દિપકભાઈ પટેલ, મટોડા…
