Gujarat ATS terror attack foiled: ગુજરાત ATSએ ભારતમાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે. ATSએ ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. ATS અનુસાર મુખ્ય આરોપી પાસેેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરીટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને 4 લિટર અરણ્ડીનું તેલ મળી આવ્યું છે. ATSના ડી.આઈ.જી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે હૈદરાબાદનો એક વ્યક્તિ સૈયદ અહમદ મોહિયુદ્દીન આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તે આ માટે અમદાવાદ આવવાનો છે. તપાસ બાદ તેની અમદાવાદમાં હલચલની માહિતી મળી. તેને અડાલજ નજીકના ટોલપ્લાઝા પર પકડી પાડવામાં આવ્યો.રાસાયણિક ઝેરથી વિનાશનો પ્લાનડી.આઈ.જી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે સૈયદ અહમદ મોહિયુદ્દીને ચીનમાંથી એમબીબીએસ…
Author: gujarat
કુલેકામાં ટ્રેકટર ઘોડીને અડી જતાં પટેલ અને ક્ષત્રિય વચ્ચે વૈમનસ્ય થતાં તંગદિલીમાં એકનું મૃત્યુબાબરા, તાલુકાના ફૂલઝર ગામે ફુલેકામાં ટ્રેકટર ઘોડીને અડી જતાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલી બબાલમાં બન્ને પક્ષની ફરિયાદના અંતે કુલ પચાસથી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છેજેમાં ક્ષત્રિય સમાજના હરદીપભાઈ દેવકુભાઈ વાળાએ પોતાની ફરિયાદમાં સામા પક્ષના ર૯ જેટલા નામનો સહિત કુલ પ૦ લોકો સામે ગેરકાયદે મંડળી રચવા અને પિતા-પુત્ર અને ભાઈ ઉપર હુમલો કરવા સહિતના મુદ્દે ફરિયાદ આપી છેજ્યારે સામા પક્ષે પટેલ રઘુભાઈ ગોકુળભાઈ પદમાણી દ્વારા કુલ છ જેટલા લોકો સામુ હુમલો કરવા અને વાહન અડફેટે મોટા દેવળિયાથી ફૂલઝર આવેલા મહેન્દ્રભાઈ ભાણાભાઈ વાળાનું મૃત્યુ…
Gujarat ATS ISIS Module Arrest: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આજે એક મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા ત્રણ શખસોને ATSની ટીમે ઝડપી પાડ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા છે. આ શંકાસ્પદ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો હોવાની જાણકારી છે.બાતમીના આધારે વોચ ગોઠવાઈગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી,…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે ગુરુવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઉત્તર ભારતના પ્રવાસેથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા બસ આગળ ચાલી રહેલી આઇશર ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો હતો અને મુસાફરોમાં એક ક્ષણ માટે હાહાકાર મચી ગયો હતો.માહિતી મુજબ, આ લક્ઝરી બસમાં કુલ ૫૬ પ્રવાસીઓ સવાર હતા, જે મોડાસા તરફથી ઉત્તર ભારતના ધાર્મિક પ્રવાસ બાદ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. રસ્તામાં શહેરા નજીક અચાનક બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે બસનું નિયંત્રણ…
Gujarat Cyber Crypto Money Laundering: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના કામરેજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે છેલ્લા ચાર મહિનામાં ₹10 કરોડથી વધુની છેતરપિંડીની રકમને ક્રિપ્ટોકરન્સી USDT મારફતે પાકિસ્તાન મોકલી હતી.કૌભાંડનું પાકિસ્તાન અને ચીન કનેક્શનસાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, રાજ્યના કેટલાક શખસો કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઈનીઝ ગેંગ સાથે મળીને આ કૌભાંડ આચરી રહ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોની બેન્કોમાં છેતરપિંડીથી જમા થતી રકમને આ એજન્ટો રોકડમાં ઉપાડીને અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પાકિસ્તાન અને દુબઈ સ્થિત એજન્ટોને મોકલતા હતા.
રૂ.૧૮.૧ર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ઃ એલ.સી.બી. પોલીસના સ્વાંગમાં રૂપિયા પડાવતા હતાપાટણ, પાટણ સીટી ‘બી’ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાંથી નકલી એલ.સી.બી. પોલીસ બનેલા ઈસમોને અસલી એલસીબી પોલીસે કુલ કિ. રૂ.૧૮,૧ર,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આર.જી. ઉનાગર એલસીબી પીઆઈ પાટણના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન બાતમી મળેલ કે, કેટલાક ઈસમો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી પી.ટી.ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોઈ અને આ ઈસમો બી-ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલ વેપારીપાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોઈ જે બાબતે ટીમે છટકું ગોઠવી ૬ ઈસમોને રવેટા હોટલના રૂમમાંથી ઝડપી…
Radha Yadav Welcome Vadodara: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવનું શનિવારે (આઠમી નવેમ્બર) રાત્રે તેના હોમટાઉન વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરણી એરપોર્ટ પરથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ચાહકો અને શહેરના નાગરિકો ઉમટી પડ્યા હતા, જાણે આખું શહેર પોતાની દીકરીના ગૌરવમાં ઝૂમી ઊઠ્યું હોય.ભાવુક થઈ રાધા યાદવે વ્યક્ત કર્યો આભારપોતાના ભવ્ય સ્વાગતથી ભાવુક થયેલી રાધા યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘એક મહિલા ક્રિકેટર માટે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવી પહોંચશે તે ક્યારેય વિચાર્યું ન હતું. આ ક્ષણ માત્ર મારા…
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા એસટી ડેપોના મેનેજરની મનસ્વીતા કે પછી વહીવટી અણઆવડતના કારણે એસટી બસોના સંચાલનમાં ગંભીર ક્ષતિઓ સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે.ડેપો દ્વારા નિયમિતપણે વધુ આવક આપતા રૂટ પરની બસો કાપીને અન્ય જગ્યાએ દોડાવવામાં આવી રહી છે. વર્ષોથી નિયમિત ચાલતી અને ડેપોને સારી આવક આપતી ખેડા ડેપોની સાંજે ૫.૩૦ કલાકે નડિયાદ થી વાયા વડતાલ, વિદ્યાનગર, આણંદ જતી એસટી બસ કોઈ અગમ્ય કારણોસર રદ કરી નાખવામાં આવી છે. આ બસ જે રૂટ પર દોડતી હતીતે રૂટ પર મુસાફરોની સંખ્યા સારી રહેતી હતી અને ડેપોને નોંધપાત્ર આવક પણ થતી હતી, છતાં આ બસ રદ કરી દેવામાં આવી છે. ખેડા એસટી ડેપો દ્વારા…
(પ્રતિનિધિ) વાપી, વાપીથી લગભગ ૫૪ કિલો મીટર દૂર આવેલા ધરમપુરના અંતરિયાળ ગામ રહેતા વાલજી હળપતિના પત્નીને પ્રસૂતિના સમયેની બ્લડની જરૂર પડતા તેઓએ વાપીના શ્રી કિરણભાઈ રાવલને ફોન કર્યો હતો.‘રકતદાન એ મહાદાન’ સૂત્ર ને ધ્યાનમાં રાખી હંમેશા રકતદાન કરવામાં અગ્રેસર રહેનારા એવા ૪૩ વર્ષના વાપીના કિરણભાઈ રાવલ દ્વારા આ વખતે પોતાની જિંદગીમાં ૧૦૬મી વખત રક્તદાન કર્યુ હતું. આમ કિરણભાઈ રાવલ અને એમના ટ્રસ્ટ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષમાં લગભગ ૫ વખત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવી ચૂક્યું છે.કિરણભાઈ રાવલે પોતાના રક્તથી આજદિન સુધી સેંકડો લોકાના જીવ બચાવ્યા છે. કિરણભાઈ રાવલ સરેરાશ દર ત્રણ મહિને એટલે કે ૮૦ થી ૯૦ દિવસે…
બોગસ પાવર ઓફ એટર્ની અને જિકમાં પકડાયેલી ખોટી સહીના આધારે આઠ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદજેતપુર, સંપત્તિની લાલચમાં લોહીના સંબંધો કેવી રીતે લજવાય છે તેનું એક સનસખીખેજ ઉદાહરણ જેતપુરમાં સામે આવ્યું છે. જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.સુરત ખાતે વેપાર કરતાં કેશુભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ.૬૧)એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ વિરૂદ્ધ, આશરે રૂ.પ કરોડની રકમ હડપી જવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.ફરિયાદી કેશુભાઈએ જણાવ્યું હતું કે, તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ…
