Author: gujarat

અમદાવાદ, તા.૨૪ઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ઉચ્ચ શિક્ષણમાં આમ તો પાંચ વર્ષથી થઈ ગયો છે પરંતુ ભારત સરકારની આ ટીચર કાઉન્સિલ દ્વારા ટેકનિકલ કોર્સ એવા ધો.૧૦ પછી ડિપ્લોમા આર્કિટેકચરના અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ડિગ્રી આર્કિટેકચરમાં પણ લાગુ કરવાની હવે તૈયારી કરી દેવાઈ છે.તાજેતરમાં કાઉન્સિલ ઓફ આર્કિટેકચરનો અભ્યાસ પાંચ વર્ષનો છે. હવે ધો.૧૦ પછી ડિપ્લોમા આર્કિટેક્ચર એટલે કે ત્રણ વર્ષનો અભ્યાસ અને પછી ડિગ્રી આર્કિટેક્ચર એટલે કે બે વર્ષને બદલે સીધો બીજા વર્ષમાં પ્રવેશ આપવા માટેનો નિર્ણય કરાયો છે.જેથી આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્લસ ડિગ્રીમાં અભ્યાસ સાથે કુલ ૮ વર્ષનો અભ્યાસ કરવો પડે, જેથી આર્કિટેક્ચર પાસ વિદ્યાર્થીઓને ડિગ્રીમાં (ડિપ્લોમા ટુ ડિગ્રી) પ્રવેશ…

Read More

Gujarat Duplicate Voter List Verification: ગુજરાતમાં 60 લાખથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારો હોવાનો આરોપ છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે હવે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન પુનરાવર્તન (એસઆઈઆર) શરૂ કરવા નક્કી કરાયુ છે. જોકે, સમગ્ર પ્રક્રિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં આટોપી લેવાશે. તે જોતાં પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ હજુ પાછી ઠેલાઈ શકે છે. પંચાયતમાં સભ્ય અને મહાનગરપાલિકામાં કોર્પોરેટર બનવા થનગનતા દાવેદારોએ હજુ રાહ જોવી પડે તેમ છે.બોગસ વોટિંગ રોકવા કેન્દ્રીય પંચની કવાયતરાહુલ ગાંધીએ કર્ણાટક સહિત મહારાષ્ટ્રમાં ડુપ્લીકેટ અને શંકાસ્પદ મતદારોને લઈને પુરાવા રજૂ કર્યાં છે ત્યાર બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે ચૂંટણીઓમાં બોગસ…

Read More

Gujarat Stroke Emergency Cases: છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે સ્ટ્રોકની ઈમરજન્સીના 10,098 કેસ નોંધાયેલા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોકની સારવાર માટે ઈમરજન્સી સેવા ‘108’ ની મદદ લેવી પડે છે. સ્ટ્રોકના પ્રત્યેક 10માંથી 4 કેસ હવે 50 વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં નોંધાય છે. આજે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ છે, ત્યારે સ્ટ્રોકના વધતા કેસે ચિંતાજનક સ્થિતિ સર્જી છે.ઈમરજન્સી સેવા ‘108’પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટ્રોકની ઈમરજન્સીના સૌથી વધુ 9968 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આ પછી સુરત 3717 સાથે બીજા અને વડોદરા 2441 સાથે ત્રીજા સ્થાને છે. આમ, અમદાવાદમાં…

Read More

કપાળે વાગ્યો લોખંડનો ટુકડોઆ ઘટના બાદ મૃતક સગીરાના પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીઅમદાવાદ, અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં ગંભીર બેદરકારીના કારણે ૧૬ વર્ષની સગીરાનું કરુણ મોત નીપજ્યું છે. ગત ૨૧ ઓક્ટોબરની રાત્રે ત્રણ યુવકો લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો ટુકડો ઉડીને સગીરાના કપાળ પર વાગ્યો હતો. જેથી સગીરાને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક સગીરાના પિતાએ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક સગીરા હીના પુરોહિત (૧૬) ઘાટલોડિયાની નેશનલ…

Read More

Gujarat Heavy Rain Alert: એક તરફ પ્રચંડ વાવાઝોડુ (સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ) ‘મોનથા’ આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની 110 કિ.મી.ની વિનાશક ઝડપ સાથે ધસી આવ્યું છે. બીજી બાજું ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે.સોમવારે તે વેરાવળથી 570 કિ.મી.ના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મૂજબ તે 480 કિ.મી. દૂર હતું, એક દિવસમાં આશરે 100 કિ. મી.નજીક આવ્યું છે. વળી, આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. ઉંચાઈએ…

Read More

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા ૨૦૦ જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે. જમણવારમાં છાશ પીધા બાદ ૨૦૦થી વધુ લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દૂખાવાની ફરિયાદ કરી હતી.અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ધોળકા તાલુકા નજીક અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલકા ગામ પાસે બંધ રોડ પર મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે કાર ધડાકાભેર અથડાતા એક પુરુષ અને બે મહિલા સહિત કુલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર વેજલકા ગામ નજીક સર્જાયો હતો. કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને રોડ બંધ હોવાને કારણે વચ્ચે મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ, જેમાં એક…

Read More

(એજન્સી)ગાંધીનગર, ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્‌સ ઘરે બેઠા એસએમએસ મારફતે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી. આઈ-પ્રગતિ સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મે-૨૦૨૫માં આઈ-પ્રગતિ પહેલ શરૂ કરવામાં આવી હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ…

Read More

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ નજીક રાબડા ગામે પાવન પાર નદીને કાંઠે આવેલું સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દિપાવલીના પર્વ નિમિત્તે આધ્યાત્મિક શક્તિના કેન્દ્ર તરીકે ઝળહળી ઉઠ્‌યું છે. છેલ્લા કેટલાય દિવસોથી આ દિવ્ય ધામમાં ભાગ્ય વિધાતા – માં વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા આ ધામે, અસંખ્ય ભક્તોએ માં વિધાતાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.આ ધામ હવે માત્ર એક ધર્મસ્થળ નહીં, પરંતુ માનવ જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવનારું એક શક્તિપીઠ બન્યું છે. અહીંથી ગુંજતો માં વિશ્વંભરીનો યુગ પ્રવર્તક દિવ્ય સંદેશ વિશ્વભરના અસંખ્ય લોકોના જીવનની દિશા બદલી રહ્યો છેઃ અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ…

Read More

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતા નગર ખાતે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોનુ સંમેલન યોજાયું(માહિતી) રાજપીપલા, કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર જીઇઁ ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું.કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ…

Read More