Chhari Dhand Ramsar Site Gujarat: ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ છારી ઢાંડ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ (Chhari Dhand Wetland Conservation Reserve) ને સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ છારી ઢાંડ હવે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બની ગયું છે. 31 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવેલી આ જાહેરાત ભારતની આદ્રભૂમિ (વેટલેન્ડ) સંરક્ષણની દિશામાં એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રામસર પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. આ સાથે જ છારી ઢાંડ ગુજરાતની પાંચમી અને કચ્છ પ્રદેશની પહેલી રામસર સાઇટ બની છે.છારી ઢાંડ વેટલેન્ડની ખાસિયતોવિસ્તાર: આ વેટલેન્ડ 22,700 હેક્ટરમાં…
Author: gujarat
પંચમહાલઃ પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું-કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ: અન્ય સમાજો માટે પ્રેરણા(એજન્સી) ગોધરા, પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જોવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજો, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે.વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી શિક્ષિત બનો અને સંગઠિત બનોના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય…
રાજકોટમાં હું નથુરામ ગોડસે નાટકનો જોરદાર વિરોધ થયો -રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નાથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સેટ પર તોડફોડ કરી હતીરાજકોટ, રાજકોટ શહેરમાં આવેલા હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. હેમ ગઢવી હોલમાં આજે હું નથુરામ નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા હતા, અને સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ અને દ્ગજીૈંંના…
વિંછીયામાં પોલીસના દરોડા, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન વસાણીની વાડીમાં ધમધમતી હતી મિનિ ફેક્ટરીરાજકોટ, રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડીને નકલી ઈંÂગ્લશ દારૂ બનાવતી એક મિનિ ફેક્ટરી નો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેતરમાં આ ગોરખધંધો ચાલતો હતો, તે રાજકોટ જિલ્લા પંચાયતના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સવિતાબેન વસાણીનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અમરાપુર ગામની સીમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે સવિતાબેન નાથાભાઈ વસાણીની વાડીમાં આવેલી ઓરડીમાં ઓચિંતા દરોડા…
અમદાવાદ, અમદાવાદનો નારોલ-વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજ પર હવે ભારે વાહનો પસાર નહિ થઇ શકે, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ૮ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ જાહેર કરાયો છે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટર જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.અમદાવાદમાં હાલ સુભાષ બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે. ત્યારે હવે શાસ્ત્રીબ્રિજથી પિરાણા સુધીનો રસ્તો આગામી ૧૧ મહિના માટે બંધ રહેશે. જેમા વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા સુધીનો ચાર કિલોમીટરના રસ્તો પર ભારે, મÎયમ અને પેસેન્જર વાહનોની અવરજવર માટે બંધ રહેશે.વિશાલા સર્કલથી પિરાણા સર્કલ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો ભારે, મÎયમ અને પેસેન્જર વાહનો માટે…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં મ્યુનિ. શાળાઓના બાળકોને બુટ-મોજા આપવા માટે રૂ.પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેનો હવે નીતિ નિયમ મુજબ અમલ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીની સુચનાથી અમદાવાદ જિલ્લા હસ્તકની ૯ શાળાઓનો સમાવેશ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવશે.મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મહેતાના જણાવ્યા મુજબ શિક્ષણ સમિતિની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં ૧,૭૨,૫૭૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના બજેટમાંથી રૂપિયા ૫ (પાંચ) કરોડની જોગવાઈ કરવામાં આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નીતિ નિયમો મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી ૧,૭૦,૦૦૦ વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા…
મહાનગરપાલિકાના પાંચ પ્લોટના ઓક્શનને મંજૂરી, રૂ.૫૨૮ કરોડની બેઝ વેલ્યૂ નક્કી કરાઈઅમદાવાદ (પ્રતિનિધિ)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીમાં એસ.જી.હાઇવેના ડેવલપમેન્ટ અને પ્લોટ ના ઈ-ઓક્શનના કામોને મંજૂરી આપવામાં આવી હતી.મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના મેળવી છે.અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-૭ સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ ૩૦ કિમીનો રોડ છે,…
(એજન્સી)અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં ચંદ્રનગર બીઆરટીએસ કોરીડોરમાં ગૌવંશ ભરેલી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બીઆરટીએસ ટ્રેકના દરવાજા, લાઈટના પોલ અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી. જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ કારમાં જોતા ગૌવંશ હતું, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર બીઆરટીએસ ટ્રેકમાં ગત મોડી રાતે જોરદાર અકસ્માત થયો…
(એજન્સી)અમદાવાદ, ગુજરાત સાયબર પોલીસે એક એવા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી છે. ભારતભરના ૨૮ રાજ્યોમાં કુલ ૧૫૩૪ જેટલા સાયબર ગુના આચરનાર એક અત્યંત સંગઠિત ગેંગને પોલીસે દબોચી લીધી છે.આ ટોળકીએ અત્યાર સુધીમાં નિર્દોષ લોકો પાસેથી અંદાજે ૯૩૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે ગીર સોમનાથના વેરાવળ સહિતના વિસ્તારોમાંથી કુલ ૫ ભેજાબાજ આરોપીઓની ધરપકડ કરી છે.તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ છેતરપિંડીના કાળા નાણાંને સગેવગે કરવા માટે બેંકોમાં ૮૦ જેટલા બોગસ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટ્સ ભાડે અથવા અન્ય વ્યક્તિઓના નામે ખોલાવી તેમાં છેતરપિંડીની રકમ જમા કરાવવામાં આવતી હતી.…
બાળકની કસ્ટડી માટેની પિતાની હેબિયસ કોર્પસ અરજી રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો(એજન્સી)અમદાવાદ, પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતાં વિવાદોમાં બાળકની પરિસ્થિતિ સૌથી દયનીય હોય છે. આવા કિસ્સામાં કસ્ટડીના કેસો સૌથી વધુ દુઃખ આપનારા બની જતા હોય છે.બાળકની કસ્ટડીના એક કાનૂની જંગમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા પિતાની બાળકની કસ્ટડી માટેની અરજી ફગાવી કાઢતા એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે જૈવિક માતા જોડે બાળકની કસ્ટડીને ગેરકાયદેસર કે જોખમી કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે બાળકની કસ્ટડી માટેના કાયદા હેઠળની અરજીના બદલે પિતા તરફ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી અને તેને હાઇકોર્ટે ગુણદોષ વિનાની ઠરાવી રદ કરી હતી.જોકે પિતાને એવી છૂટ પણ આપી હતી કે…
