હજુ બે દિવસ વરસાદની આગાહીજૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પહેલ ૨૦ જવાનોની SDRF ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છેજૂનાગઢ,ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે એવામાં તંત્ર ગડમથલમાં મૂકાઈ ગયું છે. પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે ૩૧ ઓકટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં.કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે. ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઈટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે ત્યાં કમોસમી…
Author: gujarat
Gujarat unseasonal rain record: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ રહેતા ખેડૂતો માટે ‘પડતા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા 2016, 2022 અને 2024ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા સૌથી વધારે રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.ગુરુવારે (30મી ઓક્ટોબર) રાજ્યના કુલ 188 તાલુકાઓમાં માવઠું પડ્યું હતું.…
સૂકવવા મુકેલી તૈયાર મચ્છીઓ બગડી જતા દરિયામાં ફેંકવાની ફરજ પડીઅમરેલી જિલ્લાના જાફરાબાદમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે સાથે સાગરખેડૂઓ (માછીમારો)ને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ અણધાર્યા વરસાદથી માછીમારોને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.વરસાદના કારણે માછીમારોએ સૂકવવા મૂકેલી તૈયાર માછલીઓ સંપૂર્ણપણે પલળી ગઈ હતી, જેને પગલે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોન્થા વાવાઝોડાને કારણે અચાનક વરસાદ શરૂ થતાં, માછીમારોને સૂકવેલી માછલીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પૂરતો સમય પણ મળ્યો ન હતો.માછીમારોએ જણાવ્યું કે, “અચાનક વરસાદ આવવાથી લાખો રૂપિયાનો માલ બગડી ગયો છે.” લાખો રૂપિયાનું નુકસાન થતાં માછીમારોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આર્થિક…
“મારી ૩૦ વર્ષની કારકિર્દીમાં આ પહેલી વાર બન્યું છે : ચીફ મેડિકલ ઓફિસરઅંકલેશ્વરના રહેવાસી ૪૫ વર્ષીય રાજેશ પટેલને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાસુરત,સુરતમાં તબીબી જગત માટે એક ચોકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ ડોકટરોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું હૃદય સંપૂર્ણપણે ધબકતું બંધ થઈ ગયું હતું. તમામ પ્રયાસો પછી, ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કાર્ડિયાક મોનિટર પર સીધી લાઈન દેખાતી હતી, પરંતુ લગભગ ૧૫ મિનિટ પછી, તેમનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું હતી. આ ઘટના હવે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બની છે.અંકલેશ્વરના રહેવાસી…
Bihar Election 2025: બિહારમાં પરિવર્તન આવશે કે NDA સરકાર સત્તામાં રહેશે તે 14 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો દ્વારા નક્કી થશે. જોકે, હિન્દી ભાષાના બીજા સૌથી મોટા રાજ્ય બિહારમાં યોજાનારી ચૂંટણીમાં ગુજરાતનો વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે. જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોર રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ સાથે બિહારમાં ગુજરાતનો વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છે. તેજસ્વી યાદવ પ્રશ્ન કરી રહ્યા છે કે બિહાર ગુજરાતના લોકો દ્વારા ચલાવવામાં આવશે કે બિહારના લોકો દ્વારા. આમ કરીને, તેઓ સ્થાનિક ઓળખને જોડીને સ્થાનિક કાર્ડ રમી રહ્યા છે. આ બધા વચ્ચે, પ્રશાંત કિશોરે તેમના કાર્યક્રમોમાં…
વડોદરા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી,મેયર શ્રીમતી પિન્કીબેન સોની,પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર,કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.
Chaitar Vasava:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા બેમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. વિરોધ પક્ષે ખેડૂતોને 100 ટકા વળતર આપવાની માંગ કરી છે. એ દરમિયાન રાજ્યના નવા આદિવાસી પ્રધાન નરેશ પટેલ ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરવા નિરીક્ષણ પ્રવાસે ગયા હતા.“10 કેમેરામેન સાથે નિરીક્ષણ?” — ચૈતર વસાવાનો સવાલઆ પ્રસંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન નરેશ પટેલ બંનેને ટૅગ કરીને X (ટ્વિટર) પર લખ્યું કે –“બેમોસમી વરસાદથી પાક ખરાબ થયો છે અને પ્રધાન 10 કેમેરામેન લઈને નિરીક્ષણ કરવા ગયા છે? મુખ્યમંત્રી સાહેબ, તમારા મંત્રીને ખેડૂતોની મહેનતની ફસલમાંથી દુર્ગંધ આવી રહી છે!”ચૈતર વસાવાની આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો…
PM Modi Ekta Diwas Visit: ગુજરાતમાં પાટીદારો (પટેલો) ભાજપમાં જોડાયા ત્યારથી કમળ સતત ખીલી રહ્યું છે. કદાચ આ જ કારણ હતું કે મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે પીએમ મોદીએ દેશને એક કરનાર કોંગ્રેસના નેતા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી દેશભરમાં પીએમ મોદીને ફાયદો થયો. ઉત્તર પ્રદેશમાં, કુર્મી મત ખાસ કરીને ભાજપની તરફેણમાં ધ્રુવીકરણ પામ્યા હતા. 31 ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ હોવાથી, પીએમ નરેન્દ્ર મોદી વધુ એક મોટો માસ્ટરસ્ટ્રોક કરવા માટે તૈયાર છે. ગુજરાતના કેવડિયામાં સૌથી મોટો રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી યોજાશે. પ્રજાસત્તાક દિવસની પરેડ બાદ, ઘણા રાજ્યોના ટેબ્લો…
સમાજ માટે દાખલારૂપ ઘટનાદારૂખાનું ફોડતાં વાસણનો ટૂકડો કિશોરના નાક અને આંખમાં ઘૂસી ગયોઃ હોસ્પિટલમાં ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવ્યોવડોદરા,દિવાળીના તહેવાર દરમિયાન દારૂખાનું ફોડતી વેળાએ અજમાવવામાં આવતાં અવનવા તુક્કા ક્યારેક ભારે પડી જતા હોવાના મામલાઓ બહાર આવતા હોય છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ૧૫ વર્ષના એક કિશોરે સૂતળી બોમ્બ સ્ટીલના વાસણમાં મૂકીને ફોડતાં વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને કિશોરને ગંભીર રીતે ઘાયલ કરી ગયો હતો.આ કિશોરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ ભારે જહેમત ઉઠાવીને કિશોરના નાક અને આંખમાં ઘૂસી ગયેલા વાસણના ટૂકડાને બહાર કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૫ વર્ષના ગોધરા નિવાસી બાળક અનિલ રાઠવા (નામ બદલવામાં આવ્યું છે)…
Gujarat unseasonal rain crop loss: રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન પહોંચ્યુ છે, ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થયુ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે, અને હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં…
