Author: gujarat

(માહિતી)નડિયાદ, ધારાસભ્ય સંજયસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને મહુધા ડાકોર રોડ, ૨૨ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ થઈ ગયા છે. ગુજરાત વિકાસની ૨૪ વર્ષની સફરની યાદમાં વિકાસ સપ્તાહ દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે.એમ પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્યએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદેશ્ય રાજ્યની વિકાસયાત્રામાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને નાગરિકો માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો…

Read More

(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢના હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે પ્રસરી રહેલી મંદીની અસર આ વર્ષે વધુ ગંભીર બની છે. જૂનાગઢની હીરા ઉધોગની મંદીથી કારખાનેદારની હાલત વધુ કફોડી બની છે, રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી અને અમેરિકાએ નાખેલા ટેરિફથી હીરા ઉધોગને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે, મંદીની તીવ્રતાને કારણે અનેક કારખાનાઓ બંધ થવાની કગાર પર છે.અગાઉ હીરાના ૨૦૦ થી ૨૫૦ જેટલા કારખાના ચાલતા હતા, તેની સામે અત્યારે માત્ર ૧૭૦ થી ૧૯૦ કારખાના જ ચાલી રહ્યા છે,” જે સ્પષ્ટપણે ઉદ્યોગની ખરાબ હાલત દર્શાવે છે. જો બજારમાં સીવીડી અને લેબ ગ્રોન હીરાનું પ્રમાણ ન હોત, તો મંદીની અસર કદાચ આનાથી પણ…

Read More

લોકોનો આશીર્વાદ જ મારી સૌથી મોટી સંપત્તિઃ હર્ષ સંઘવી(એજન્સી)અમદાવાદ, ડે.સીએમ બન્યા પછી દિવાળીના અવસર નિમિત્તે હર્ષ સંઘવી પહેલી વાર પોતાના વતન સુરતની મુલાકાતે હતા. અને ત્યાં તેમણે જનતાનો આભાર માણવાની સાથે એક એવી વાત કહી હતી કે જેણે ત્યાં હજાર તમામ લોકોના દિલ જીતી લીધા હતા.નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલી વાર પોતાના વતન સુરત આવ્યા હતા. સરસાણા કન્વેન્શન હોલ ખાતે સર્વ સમાજ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીએ જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો.તેમણે જણાવ્યું કે “આપનું અભિવાદન જિલવા નહીં, પરંતુ આશીર્વાદ લેવા આવ્યો છું.” તેમણે ઉમેર્યું કે ઘણા ભાઈઓએ તેમને સમાજસેવાના પાઠ ભણાવ્યા છે, જ્યારે અનેક સાથીઓએ…

Read More

ગોધાવી સ્પોર્ટસ સંકુલમાં મેમ્બરશીપ ફી અને એન્ટ્રી ફીમાં ઘટાડો કરવાનો ઔડા બેઠકમાં નિર્ણય(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આવેલા કોટેશ્વર અને સુઘડ વિસ્તારની હાઈવે આસપાસની પ૦ હેકટરની ઝોન ફેર કરવાનો નિર્ણય ઔડા બોર્ડ બેઠકમાં લેવાયો છે.કોટેશ્વર અને સુઘડ વિસ્તાર ઔડામાં સમાવ્યો છે. ત્યાંના અરજદારોએ કોટેશ્વર-સુઘડની જુદાજુદા સર્વે નંબરની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી. તેને ધ્યાને લઈ ટીપી સ્કીમનું આયોજન કરાયું હતું.અને તે વિસ્તારોમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઈ શકે તથા નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી તદઉપરાંત આ જમીનો અમદાવાદ ગાંધીનગર સંકળાયેલી હોવાથી નાગરીક સુવિધા માટે આશરે પ૦ હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજુરી માટે મોકલવાનો નિર્ણય ઔડાની…

Read More

અત્યાર સુધીમાં ૫૬૧૧ જેટલા આવાસોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. તેમાંમાંથી ૩૬૭ જેટલા મકાનો શંકાસ્પદ જણાતા મ્યુનિ. દ્વારા તમામ લાભાર્થીઓને નોટીસ પાઠવવામાં આવી છે.(પ્રતિનિધિ) અમદાવાદ, ઇડબ્લ્યુએસના મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ તે મકાનો ભાડે આપીને કમાણી કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા છ મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા મામલાઓ પર તવાઈ લાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૫૬૧૧ જેટલા આવાસોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. તેમાંમાંથી ૩૬૭ જેટલા મકાનો શંકાસ્પદ જણાતા મ્યુનિ. દ્વારા તમામ લાભાર્થીઓને નોટીસ પાઠવવામાં આવી છે.મુખ્યમંત્રી આવાસ યોજનામાં ખોટા દસ્તાવેજના આધારે મકાન મેળવ્યા બાદ તેને ભાડે આપવાની કે વેચી દેવાની પ્રવૃત્તિ સામે મ્યુનિ. સતત તપાસ કરી રહી છે.…

Read More

સુરત, સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજે અનોખી ઉજવણી કરી. પુત્રવધુ રત્ન એવોર્ડથી અનેક પુત્રવધૂઓને સન્માનિત કરી હતી. ૧૦ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધૂઓને સન્માનિત કરાઈ. એટલું જ નહીં એક જ રસોડામાં જમતા પરિવારોનું પણ સન્માન કરાયું. સમાજ દ્વારા પ૧ પુત્રવધૂઓને સન્માનિત કરી સયુક્ત પરિવારનો ખાસ સંદેશ આપ્યો. કુટુંબ ભાવના વિકસે તેવા ઉદ્દેશતી આ કાર્યક્રમ યોજ્યો હતો.વરાછાના પુણાગામ ખાતે ધનતેરસના દિવસે શનિવારે એક અનોખો અને પ્રેરણાદાયક સન્માન સમારોહ પુત્રવધૂ રત્ન એવોર્ડનું આયોજન થયું હતું. સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા…

Read More

પોલીસે તપાસ દરમિયાન જયસ્વાલ પરિવારના પાંચ રહેઠાણ મકાનો, તબેલો, સૂચિન નાયરા પેટ્રોલપંપ, સચિન રેસ્ટોરન્ટ, સચિન ઓટો પ્લાઝા શો-રૂમ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી હતી.વડોદરાના બુટલેગરનું રૂ.૧.૬ર કરોડનું સોનું ફ્રીઝ કરાયુંવડોદરા, વડોદરાના ડભોઈ વડોદરા રોડ ઉપર રતનપુર ગામે છેલ્લા ર૦ વર્ષથી દારૂનો મોટાપાયે ધંધો કરનાર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ સામે જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં તે કરોડોનો આસામી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.જિલ્લા પોલીસ દ્વારા ર૦ વર્ષથી દારૂનો વેપલો કરતો અને અનેક ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ, તેની પત્ની સીમા જયસ્વાલ, ભાઈ હિતેશ ઉર્ફે પપ્પુ…

Read More

લગ્નનું દબાણ કરતાં વૃદ્ધ પ્રેમીએ વિધવા મહિલાને પતાવી દીધીરાજપીપળા, નર્મદામાં નાંદોદના આમલેથાની ૪૭ વર્ષીય વિધવા ૬૪ વર્ષીય વિદૂર વૃદ્ધના પ્રેમમાં પડી હતી. જો કે, લગ્ન માટે દબાણ કરતા વૃદ્ધ પ્રેમીએ વિધવા મહિલાની કરપીણ હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ નર્મદા એલસીબી અને આમલેથા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પ્રેમીને ઝડપી પાડયો છે.પોલીસે તપાસ દરમિયાન અરલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વજેપુરા કંપા ગામના રહેવાસી વિદુર ૬૪ વર્ષીય વાડી મેઘજી પટેલને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં વાડી પટેલે નયાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.નર્મદા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આમલેથા ગામની ૪૭ વર્ષીય વિધવા મહિલા નયનાબેન શીતાબખાન પઠાણ (રજવાડી) અને…

Read More

ધનતેરસના દિવસે સુરતની હોસ્પિટલમાં 13 દીકરી અને 10 દિકરાનો જન્મ થયોસુરત, સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના શુભ દિવસે ર૪ કલાકમાં ર૩ પ્રસુતાએ ર૩ બાળકોને જન્મ આપ્યો હતો તેમાંથી ૧૩ દીકરીઓ અને ૧૦ દિકરાઓ અવતર્યા હતા.સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ૧૮મી ઓકટોબરના રોજ ધનતેરસના શુભ દિવસે એક જ દિવસમાં ર૪ કલાકમાં કુલ ર૬ પ્રસૂતિ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કલરવથી ગૂંજી ઉઠયું હતું. વિશેષ દિવસે અવતરેલા બાળકોમાં ૧૩ દીકરી એટલે કે લક્ષ્મી અને ૧૦ દિકરાનો જન્મ થયો હતો.દરેક માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. તેઓ હોસ્પિટલનું કહેવું છે. સ્ત્રીરોગ વિભાગના ડૉ.કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર, ડો.ઝીલ ગજેરા તેમજ પીડીયાટ્રિશિયન વિભાગના અલ્પેશ…

Read More

વડોદરા, આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ યુવાનોમાં માઝા મૂકી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાંથી બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેણે ઓનલાઈન ગેમિંગની લતની ગંભીર અસરો પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે.ગેમ રમવાના ચક્કરમાં ગોત્રી અને ફતેગંજ વિસ્તારના બે યુવકો અનુક્રમે ૪૦ લાખ અને ૨૦ લાખ રૂપિયાના જંગી દેવામાં સપડાયા છે. ઓનલાઈન ગેમિંગની આ ઉધઈ પરિવારોને આર્થિક અને માનસિક રીતે ભાંગી રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.ગેમિંગની આ લતના કારણે બંને યુવકોના પરિવારમાં ભારે ઝઘડા અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે. દીકરાઓને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે માતા-પિતાએ પોતાની જીવનભરની જમાપૂંજી અને પેન્શનના રૂપિયા વાપરીને દેવું ચૂકવવું પડ્યું છે. આ…

Read More