સુરતના રેલવે સ્ટેશન પર વધારાની ટ્રેનો પણ ખૂટી, મુસાફરોનું કીડીયારું ઉભરાયુંસુરત, સુરતના રેલવે સ્ટેશન ઉપર ઉત્તર ભારત તરફ જવા માટે વધારાની ટ્રેનો પણ ખૂટી પડી હોય તેવા હાલ થયા છે. દિવાળી, છઠપૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતમાં કામ કરતાં લાખો શ્રમિકોએ છેલ્લા અઠવાડિયાથી વતનની વાટ પકડી છે.પેસેન્જરોના ધસારાને પગલે રેલવે વિભાગે ઊભી કરેલી તમામ સુવિધા ટૂંકી પડી રહી છે. પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હોવાની વ્યથામાં લોકો ટ્રેનમાં બેસવા માટે ૧રથી ૧૪ કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. છતાં ટ્રેનોમાં જગ્યા ન મળતી હોવાનું પેસેન્જર જણાવી રહ્યા છે.રેલવે વિભાગે મુસાફરો માટે પેસેન્જર હોલ્ડીંગ એરિયા બનાવ્યો છે પરંતુ એ…
Author: gujarat
ઈન્ડીયન ઓવરસીઝ બેક, આઈઓબી, સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા, બેક ઓફ ઈન્ડીયા અને બેક ઓફ મહારાષ્ટ્રને પંજાબ નેશનલ બેક, બેક ઓફ બરોડા અને સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા જેવી મોટી બેકો સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.(એજન્સી)નવીદિલ્હી, ભારતનું બેકીગ ક્ષેત્ર બીજા મોટા પરીવર્તનની તૈયારી કરી રહયું છે. સરકાર જાહેર ક્ષેત્રની બેકો પીએસબીએસ વચ્ચે એક નવા મેગા મર્જર પર કામ કરી રહી છે. જેના હેઠળ નાની જાહેર ક્ષેત્રની બેકોને મોટી બેકોમાં મર્જ કરવાની યોજના છે.એક મીડીયા રીપોર્ટ અનુસાર ઈન્ડીયન ઓવરસીઝ બેક, આઈઓબી, સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા, બેક ઓફ ઈન્ડીયા અને બેક ઓફ મહારાષ્ટ્રને પંજાબ નેશનલ બેક, બેક ઓફ બરોડા અને સ્ટેટ…
(એજન્સી)વિરમગામ, દસાડા તાલુકાના સેડલા ગામે મુળ વિરમગામના અને હાલ હિંમતનગર રહેતો યુવક સસ્તામાં ચાંદી લેવા પહોંચ્યો હતો. જેમાં મહિલા સહિત ૩ આરોપીઓ રૂપિયા ૯.૯૫ લાખનો ચુનો લગાવી ફરાર થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મુળ વિરમગામના રૈયાપુર પટેલના ડેલામાં રહેતા ઈમરાનભાઈ રસુલભાઈ મેમણ હાલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નુરાની રેસીડેન્સીમાં રહે છે. તેઓ ૫ વર્ષ પહેલા સાણંદની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેઓ દસાડા તાલુકાના સેડલા ગામે એક લગ્નમાં આવ્યા હતા. જેમાં તેમની મુલાકાત સેડલાના શાહરૂખ નામના વ્યકિત સાથે થઈ હતી.બાદમાં બન્ને અવારનવાર મળતા હતા. ઈમરાનભાઈ પર દેવુ થઈ ગયુ હોય તેઓ શાહરૂખને કોઈ કામ હોય તો બતાવજે તેમ કહેતા હતા. તા.…
Vadodara drunk driving accident: વડોદરામાં મંગળવારે (21 ઓક્ટોબર) એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું અને અન્ય 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી. નશામાં ધૂત કારચાલક નીતિન ઝાએ પોતાનો કાબૂ ગુમાવી કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. તેણે ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક ઉપર કારના…
ઉધના રેલવે સ્ટેશનથી વધુ મુસાફરોને વતન મોકલવાનો રેકોર્ડ(એજન્સી)સુરત, સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ૧૨ કલાકમાં ૨૦ ટ્રેન થકી ૩૬૦૦૦ થી વધુ મુસાફરો મોકલવાનો રેકર્ડ બન્યો છે, કોઈપણ જાતની દુર્ઘટના વગર મુસાફરો મોકલાવવા બદલ ઉધના રેલવે સ્ટેશને નવો રેકર્ડ બનાવ્યો છે અને સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી અત્યાર સુધીમાં કુલ ૧.૨૫ લાખથી વધુ મુસાફરો ગયા હોવાની વાત સામે આવી છે, મોટાભાગની ટેક્સ્ટાઈલ માર્કેટ, ટેક્સ્ટાઈલ મિલો શનિવારે બંધ થઈ ગઈ હતી અને જેથી શનિવારે મોડી સાંજથી જ રેલવે સ્ટેશન પર એકાએક ભીડ ગઈ હતી.દિવાળીના એક દિવસ પહેલાં ઉધના રેલવે સ્ટેશનથી ૧૨ કલાકમાં ૨૦ ટ્રેન મારફતે ૩૯,૦૦૦ મુસાફરો બિહાર અને ઉત્તરપ્રદેશ રવાના થયા હતા.…
આ ઘટનામાં અન્ય લોકોને પણ ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતારાજકોટ, સમગ્ર દેશમાં દિવાળીના પાવન તહેવારની ઉજવણી વચ્ચે રાજકોટમાંથી એક ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. દિવાળીના એક દિવસ પૂર્વે એટલે કે કાળી ચૌદશની મોડી રાત્રે શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતને લઈને થયેલી જૂથ અથડામણમાં એકસાથે ત્રણ વ્યક્તિઓની હત્યા થતાં સમગ્ર શહેર હચમચી ઉઠ્યું છે.મળતી માહિતી મુજબ, મધરાતની આ હિંસક અથડામણમાં એક પક્ષના બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ છે. મૃતકોની ઓળખ ૪૫ વર્ષીય સુરેશ પરમાર અને ૪૦ વર્ષીય વશરામ પરમાર તરીકે થઈ છે. એટલું…
આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે, સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થાય છે-BAPS પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાંથી ઈયળ નીકળતા ગ્રાહક રોષે ભરાયોરાજકોટ, રાજકોટમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત રેસ્ટોરન્ટ પ્રેમવતીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે, ગ્રાહકે પંજાબી થાળી ખાવા માટે લીધી અને તે જમવાની શરૂઆત કરે છે અને શાકમાં ઈયળ હોવાથી તેનું ધ્યાન જાય છે અને હોબાળો કરવામાં આવી છે, આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે, સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થાય છે.રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગઈકાલે ગ્રાહકે હોબાળો કર્યો હતો, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટમાં શુદ્ધ અને શાકાહારીની…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ–રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યાભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું ૫૫૭૬ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશેઆ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર થશેગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને…
ખેડૂતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં યુરિયા ખાતરની ગાડી માત્ર દર પાંચ દિવસે એક વખત જ આવે છે, જેના કારણે જથ્થો ખૂબ ઓછો પડે છે અને મોટાભાગના ખેડૂતોને ખાતર મળ્યા વિના જ પાછા ફરવું પડે છે.(એજન્સી)પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પોતાના પાક માટે તાત્કાલિક જરૂરી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આજે વહેલી સવારથી જ ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની દુકાનો કે વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી…
કુટુંબમાં લગ્નપ્રસંગ આવતો હોવાથી મહિલાએ ઓસ્ટ્રેલિયા રહેતા બહેન સહિતના સગાંને પણ વિડીયો કોલથી વાત કરી હતી(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ચાલીસ ફૂટ રોડ પર આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ રાત્રે પોતાના પતિ સાથે વિડીયો કોલ પર વાત કર્યા બાદ સાડા ચાર વર્ષના દીકરાને રમવા માટે બહાર મોકલ્યો હતો અને પછી પંખા સાથે ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.હાલ આપઘાતનું કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આપઘાત કરનાર કોમલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં કિયાન નામનો સાડા ચાર વર્ષનો દીકરો છે. તેમના પતિ કિશનભાઈ બટુકભાઈ ખુંટ સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં…
