વર્ષ 2025ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતને રાજ્યવ્યાપી ઝળહળતી સફળતાલોક અદાલત દ્વારા જૂના અને પેન્ડિંગ કેસોના ઝડપી નિવેડાથી ન્યાયિક વ્યવસ્થાને વેગAhmedabad, વર્ષ ૨૦૨૫ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેને ઝળહળતી સફળતા મળેલ છે.રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તથા અનુશ્રામાં આયોજિત આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકરો લઈ શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ. વાય. કોંગજે દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા…
Author: gujarat
અમદાવાદ, અમરાઇવાડીમાં નકલી પોલીસે અકસ્માત મોતના કેસમાં સમાધાન કરાવી આપવાનું કહીને દંપતી પાસેથી રૂ. ૧.૨૦ લાખ પડાવી લીધા હતા. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ સામે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.સામાવાળા પક્ષે સમાધાન માટે રૂ.૧૫ લાખની માગણી કરી હતી. આ અંગે મહિલાએ નકલી પોલીસ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખોખરામાં રહેતા ૩૯ વર્ષીય સ્ટેમીના ક્રિસ્ટી ઇસનપુરમાં હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. તેમના પતિ વિલીસ સ્કૂલવાન ચલાવે છે. ગત વર્ષ ૨૦૧૯માં વિલિસ સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અંગેનો કેસ નોંધાયો હતો.આ કેસ કોર્ટમાં છે ત્યારે સામેવાળા પક્ષે સમાધાન માટે રૂ. ૧૫ લાખની માગણી કરી હતી. તેથી…
સુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી ૧૩ વિદેશી મહિલાઓની અટકાયત કરી છે.૯ પુરુષ સાથે કુલ ૨૨ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસને જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસુપૂજ્ય ઈન્ળા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે તાત્કાલિક દરવાજાનો લોક તોડી અને અંદર પ્રવેશ કર્યાે હતો.પોલીસને રૂમ નંબર ૪૦૩ માં ૭ લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે પૂછતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યાઅમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે: ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાબ્રેઈનડેડના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તેમજ અંગદાન પ્રવૃત્તિ જનઆંદોલન બને તે અતિ આવશ્યક: ધારાસભ્ય સંગીતાબેન પાટીલઅમદાવાદ:મંગળવાર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૨૧૨ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૭૦૦ થી વધુ લોકોને જીવદાન મળ્યું છે ત્યારે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના હેતુ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અસ્મિતા ભવન હોલમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અંગદાનથી…
છેલ્લાં 11 વર્ષમાં ઇન્દિરા બ્રિજથી લઇને વાસણા બેરેજ સુધી સાબરમતી નદીમાંથી 500થી વધુ લોકોના જીવ બચાવ્યાવિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અવસર પર અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી જીવનરક્ષક કામગીરી નોંધપાત્ર છે. ઘણીવાર વ્યક્તિ એક ક્ષણની નિરાશામાં જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે, પરંતુ એ જ સમયે મદદનો હાથ લંબાય તો અનેક સપના, અનેક પરિવારો અને અનેક આશાઓ ફરી જીવંત બની શકે છે. અમદાવાદ ફાયર વિભાગની સેવાકથા માનવતા માટે પ્રેરણારૂપ છે.છેલ્લાં 11 વર્ષમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજથી લઇને વાસણા બેરેજ સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકી પાણીમાં કૂદીને કે પછી કોઇપણ રીતે રેસ્ક્યૂ કરીને અંદાજે 500થી વધુ…
ગુજરાતથી કરી શરૂઆત, હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીAhmedabad, પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદમાં કાર્યરત જનરલ આસિસ્ટન્ટ શ્રી મનોજ કુમાર અને શ્રીમતી અંજુ દેવીની પુત્રી પૂજા કુમારીએ કોમ્બેટ રેસલિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. બિહારમાં જન્મેલી પૂજા હાલમાં કર્ણાટકમાં એમબીએ કરી રહી છે અને તેણે અમદાવાદ (ગુજરાત)થી પોતાની રમતગમત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે રેસલિંગની તાલીમ પંજાબથી મેળવી હતી.પૂજાએ એપ્રિલ 2024માં શ્રીલંકામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ અને મે 2024માં નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ગર્વથી ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. તાજેતરમાં, ગોરખપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં, તેણે ફરી એકવાર ગોલ્ડ મેડલ જીતીને લંડનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય…
પબ્લિક સ્પીકિંગ માત્ર શબ્દો બોલવાનો વિષય નથી, પરંતુ શ્રોતાઓ સાથે અર્થપૂર્ણ જોડાણ બનાવવાનો વિષય છે.અમદાવાદ,GLS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા Speaker’s Forum – Speak to Lead હેઠળ એક રસપ્રદ પબ્લિક સ્પીકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનું માર્ગદર્શન શ્રી નિવિદ દેસાઈ, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, Writing Studio, IIT ગાંધીનગરે આપ્યું. તેઓ યુવાનોને પ્રભાવશાળી વાતચીત શીખવવામાં જાણીતા છે.વર્કશોપની શરૂઆત ખૂબ ઉત્સાહ સાથે થઈ. શરૂઆતમાં શ્રી દેસાઈએ વિદ્યાર્થીઓને પોતાનો પબ્લિક સ્પીકિંગનો અનુભવ શેર કરવા કહ્યું – સારો પણ અને નકારાત્મક પણ. આ વાતચીતથી વિદ્યાર્થીઓ આરામ અનુભવી શક્યા અને વાતાવરણ ભાગીદારી ભર્યું બન્યું.શ્રી દેસાઈએ કહ્યું કે “સારો સ્પીકર પહેલા સારો શ્રોતા હોય છે.” તેમણે સમજાવ્યું…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારથી લઇને અત્યાર સુધી અનેક રોગ,માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આપવામાં આવે છે.જેમાં સગર્ભા સ્ત્રીની ૯ મહિના સુધી સંભાળ લેવી,૦ થી ૫ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી, માતા તથા બાળકોને રસીકરણ અપાવવું, સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ,…
અમદાવાદ, ભારતની અગ્રણી અંડરગ્રાઉન્ડ પાવર ટ્રાન્સમિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇપીસી કંપની રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરપીએસએલ) આજે જાહેરાત કરી હતી કે કંપનીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડનો ટર્નકી કોન્ટ્રાક્ટ મળ્યો છે.આ કોન્ટ્રાક્ટમાં ડીજીવીસીએલ હેઠળના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં એસઆઈ (સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ) સ્કીમ હેઠળ હાલના 11/22kV એચટી ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ/એમવીસીસી સિસ્ટમમાં ફેરવવાની કામગીરી સામેલ છે.આ કોન્ટ્રાક્ટ જટિલ અંડરગ્રાઉન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં અમદાવાદ હેડક્વાર્ટર સ્થિત કંપનીની નિપુણતા દર્શાવે છે અને ઇપીસી સેગમેન્ટમાં તેની લીડરશિપનો પુનરોચ્ચાર કરે છે.આ અંગે રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે આ…
નડિયાદ, સાબરમતી નદીમાં પુર આવતા ખેડા અને માતર તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે.મોટા ભાગના સીમાડાઓના ખેતરમાં પાણી છલોછલ ભરાઇ ગયુ હોવાને કારણે ડાંગરનો પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઇ છે.આણંદ જિલ્લામાં તારાપુર અને ખંભાત તાલુકાના ૧૪ ગામોને પણ ઉપરથી પાણી છોડવાને કારણે વ્યાપક અસર થવા પામી છે. આ વિસ્તારના નીચાણવાળા ખેતરોમાં પૂરના પાણી ફરી વળતાં ખેતી પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.ખેડા માતર તાલુકાના ગામડાઓમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. હાલમાં આ વિસ્તારમાં ડાંગરનુ વાવેતર કર્યું હતુ. તેમજ આ પાક પણ તૈયાર થઇ ગયો હોય તેવી સ્થિતીમાં હતો.ત્યારે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને…
