Bayad-Ahmedabad highway accident: બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક બુધવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાના આસપાસ ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક બલેનો કાર સાથે બાઈકની ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે…
Author: gujarat
નડિયાદમાં દાંડી માર્ગની બિસ્માર હાલત- શહેર કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ(પ્રતિનિધિ) નડિયાદ, ચોમાસાની શરૂઆત થતા જ નડિયાદ માંથી પસાર થતાં ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગની દયનીય હાલત સામે આવી હતી.કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ રોડ પર વિરોધ પ્રદર્શન યોજી તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.નડિયાદના ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગનું સમારકામ જાન્યુઆરી ૨૦૧૯માં રૂ. ૧૬.૭૫ કરોડના બજેટથી મંજૂર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં થોડા જ…
Fire Safety Certificate for Garba in Ahmedabad: અમદાવાદમાં ગરબા યોજવા ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત લેવુ પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા નવરાત્રિ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે. જેનો અમલ કરાશે. ગરબા આયોજકે આયોજનના સ્થળે બહાર નીકળવા માટે બે ઈમરજન્સી એકિઝીટ રાખવી પડશે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આગામી નવરાત્રિ પર્વના સંદર્ભમાં 32 મુદ્દાની SOP જાહેર કરી છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત આ SOPમાં લોકોની સલામતીના મુદ્દાને મહત્ત્વ અપાયુ છે. નવી માર્ગદર્શિકા મુજબ, ગરબા આયોજક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી ઈવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન…
પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલવામાં આવીપંજાબઅનેછત્તીસગઢનાપૂરઆફતગ્રસ્તોનીમદદમાટેગુજરાતતરફથીમુખ્યમંત્રીરાહતનિધિમાંરૂ.પાંચ–પાંચકરોડનીસહાયનાચેકમોકલવામાંઆવ્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટેઆપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે.પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ,કૃષિ વિભાગ,આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોટ,ડુંગળી,બટાકા,ચોખા,સીંગતેલ,ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ ૪૦૦ ટન ખાદ્ય…
ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા: સુરતની પ્રેરણાદાયક પહેલસુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયાસુરત શહેરના ૯૦૯ હેક્ટર ક્ષેત્રફળમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માળખાગત વિકાસ માટે કુલ ૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજનદેશના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની પહેલી ટી.પી. સ્કીમ ના નિર્ણયો જાહેર: ૧૦૦ વર્ષ પહેલા આ દિવસે ભારતની પ્રથમ ટી.પી. અમલી બની હતી એ ઈતિહાસની વિરલ ઘટના:‘કોસમાડા-છેડછા-ઓવિયાણ માટેTPસ્કીમ નં ૬૧ના ઝડપી પ્રારંભિક નિર્ણયોથી સુનિયોજિત વિકાસને વેગ’Surat, દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ…
India 12-hour work bill: ગુજરાત વિધાનસભાએ બુધવારે એક બિલ પસાર કર્યું છે. આ અંતર્ગત, ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં કામના કલાકો હવે 9 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે. આ બિલ ભાજપના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ તેનો વિરોધ કર્યો હતો. આ નવા કાયદા અનુસાર, મહિલાઓ રાત્રે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે, જો પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોય. આ બિલ જુલાઈમાં લાગુ કરાયેલા વટહુકમનું સ્થાન લઈ રહ્યું છે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે તેનો હેતુ રોકાણ વધારવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. ઉપરાંત, તેમણે સ્પષ્ટતા કરી…
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC): ઉત્તર ગુજરાતમાં બટાકા,મસાલાઓ અને ડેરી મૂલ્ય શૃંખલામાં રોકાણની તકોને પ્રદર્શિત કરશેVGRCઉત્તર ગુજરાતમાં કૃષિ,ફૂડ પ્રોસેસિંગ અને ડેરી ક્ષેત્રને વેગ આપશેમહેસાણા, ગુજરાત કૃષિ અર્થતંત્ર માટે એક સંકલિત સહકારી કેન્દ્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે,આગામી9અને10ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)યોજાશે,જેમાં કૃષિ,ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવશે.આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનારો આયોજિત થશે અને નેટવર્કિંગ તકોને સમાવિષ્ટ કરવામાં આવશે.9ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા‘સોઇલ ટુ શેલ્ફ: ઇન્ટિગ્રેટિંગ સસ્ટેનેબિલિટી એન્ડ પ્રોફિટેબિલિટી એક્રોસ ધ વેલ્યુ ચેઇન‘ (બીજથી બજાર સુધી: મૂલ્યશૃંખલામાં ટકાઉપણા અને નફાકારકતાનું સંકલન)…
(એજન્સી)નવી દિલ્હી, દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. સરકારે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો છે કે પેકેજ્ડ દૂધને ૫% ય્જી્માંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાં જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે.જીએસટીની આ મુક્તિનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે કારણ કે દૂધ પરનો ૫% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારને સસ્તું અને ગુણવત્તાયુક્ત દૂધ મળી શકે.અમૂલ ઉત્પાદનોમાં ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડ ની કિંમત લગભગ રૂપિયા ૬૯ પ્રતિ લિટર…
નવ નિયુકત કમિશનરે સાબરમતી પ્રદુષણ મામલે હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરી હોય તેમ લાગી રહયું નથી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવ અને કોઈ ગુનો કર્યો હોય તેવા ભાવથી કામ કરી રહયા છે. મોટાભાગના અધિકારીઓની બોડી લેંગ્વેજ પણ નેગેટિવ થઈ ગઈ છેજેના માટે એમ કહેવાય છે કે મ્યુનિ. કમિશનર એમ બંછાનિધીપાની તરફથી અવારનવાર તેમજ વ્યાજબી કારણ વિના થતા મોખિક ફાયરીંગ જવાબદાર છે. જયારે મ્યુનિ. ભવનમાં થતી કાનાકૂસીને સાચી માનીએ તો બે આઈએસ અધિકારીઓના અહમનો ભોગ મ્યુનિ. અધિકારીઓ બની રહયા છે.અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે એમ થેન્નારસનની બદલી થયા બાદ IAS બંછાનિધી પાનીની નિયુક્તિ…
કેટલાક ગાર્ડનોમાં સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે-કેટલીક લાઇટો ટાઈમર પ્રમાણે રાત્રે ગાર્ડન બંધ થાય એટલે બંધ થઈ જાય છે(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગાર્ડનો માં સુરક્ષા ને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં અસામાજિક તત્વો નો ત્રાસ હોવા અંગેની ફરિયાદો સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવી છેજેના કારણે હવે ગાર્ડનની દીવાલો ઉપર ફેન્સીંગ લગાવવા માટેની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. અમુક ગાર્ડનોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેમાં કેટલાક ગાર્ડનોમાં સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે જેને ફરી ચાલુ કરવા માટેની સૂચના પણ ઈ ગવર્નન્સ વિભાગ સાથે સંકલન કરવા જણાવવામાં આવ્યું…
