Author: gujarat

કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યોભુજ, ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી વહેતુ થયું છે. જેના કારણે ગાગોદર નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી વહેતા પાણીનો પ્રવાહ ખૂબજ ભયાનક હોવાથી લોકોને સ્થળ છોડી દેવા સૂચના અપાઈ છે.કચ્છના રાપરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માનગઢ ગામના શેલ્ટર હોમમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદને કારણે ચિત્રોડ, રાપર અને બાલાસર હાઈવે બંધ કરી દેવાયો છે.પૂર્વ કચ્છમાં…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેનGSTરિફોર્મ્સ માટે રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળીને આભાર વ્યક્ત કર્યોGandhinagar, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. સુધારાઓને ગુજરાતના વ્યાપારી સંગઠનોએ હકારાત્મક પ્રતિસાદ સાથે આવકાર્યા છે.આ સંદર્ભે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને ભારત સરકારની આ પહેલ અંગે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓએ ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતોઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરાયેલા આ નવા સુધારાઓને ઉદ્યોગોના વિકાસ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું હતું. તેમણે નવાGSTફ્રેમવર્કથી રોજિંદા વ્યવસાયિક કાર્યને સરળ બનાવવા તથા લોજિસ્ટિક…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા અને બાદ માં આવેદનપત્ર આપવાના આવ્યું હતું.આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન મુજબ, તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ અને મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ નડીયાદ માં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા…

Read More

ગોધરાના સામલી ગામે બનેલો લૂંટનો ગુનો ઉકેલાયોઃ ત્રણ આરોપીઓ સુરતમાંથી ઝડપાયા(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકાના સામલી ગામે બે વ્યક્તિઓને ધાકધમકી આપી બળજબરીથી રોકડ રૂપિયા તથા UPI મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યાનો ગુનો ઉકેલવામાં આવ્યો છે. ગોધરા એલ.સી.બી., એસ.ઓ.જી. અને ગોધરા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરતા સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્‌યા છે.આ કાર્યવાહી પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈ અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના નેતૃત્વમાં ટીમે ટેકનિકલ સર્વેલન્સ, નેત્રમ કમાન્ડ કંટ્રોલના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓની ઓળખ કરી સુરતમાંથી ઝડપી પાડ્‌યા હતા૧રાહુલ…

Read More

હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો(પ્રતિનિધિ) નડિયાદ, ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી કિનારે આવેલા અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી જતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.રસીકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં તો છાતી સમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની છે. પાણીના પ્રવાહને કારણે ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવાયો છે, જેના પગલે વાહનવ્યવહાર થંભી ગયો છે અને અનેક વાહનો અટવાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે અંદાજે ૧૫૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ખેડા જિલ્લામાં સાબરમતી નદીના વધતા…

Read More

ટ્રાફિક ડાયર્વટ કરાયો-હિંમતનગરની ઘટનામાં પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું(પ્રતિનિધિ)હિંમતનગર, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત અઠવાડીએ પસાર થઇ રહેલા એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.ત્યારે સોમવારે નિવૃત્ત સૈનિકો અને સ્થાનિકોએ રેલી કાઢી જિલ્લા પોલીસ વડા ની કચેરી બહાર મુખ્ય ગેટ આગળ સૂત્રોચાર કર્યો હતો અનેત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ તેઓ ફરીથી જિલ્લા પોલીસવડા કચેરી આગળ ઉશ્કેરાટમાં આવી જઇ સૂત્રોચાર કરી અને હિંમતનગર-ઇડર હાઇવે ચક્કાજામ કરી દેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતુ.જેથી રોડ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. જોકે સોમવારે બપોરે મામલો વધુ ગરમાય નહી તે…

Read More

પૂનમના દિવસે આખો દિવસ વરસાદ ચાલુ હોવા છતાં પણ એક લાખથી વધુ સંખ્યામાં માઇ ભક્તોએ આવી દર્શન કર્યા હતા.ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સુપ્રસિદ્ધ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમે લાખો માઈ ભક્તોએ કમળ પર બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ ના મહા મેળા માટે ઘણા દિવસો પહેલાથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ હતી. મંદિર અને પરિસરમાં સ્વચ્છતા કરાઈ હતી તથા રંગબેરંગી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર માઈભક્તોને દર્શન માટે પ્રસાદ માટે જમવા માટે કે મેળામાં ફરવા માટે કે અન્ય કોઈપણ જાતની તકલીફ ન પડે…

Read More

ગત તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી અગાઉ BTP સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઇએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દુધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખપદનો તાજ ઘનશ્યામ પટેલના શિર પર રહ્યો છે. હાલમાં દુધધારા ડેરીની ચુંટણી યોજાઈ રહી છે.ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રક્રમે રહેનાર ભરૂચ દુધધારા ડેરીની ચુંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતાં જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો.ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દિપક પાદરીયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ થઈ હતી. કુલ ૧૫ બેઠકોમાં ભાજપા દ્વારા…

Read More

બનાસકાંઠા જિલ્લા વન્યજીવ વિભાગ દ્વારા અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવીઅંબાજી, અંબાજી ખાતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન બનાસકાંઠા વન્યજીવ વિભાગ તમામ સ્ટાફ દ્વારા માઁ અંબાને ધજા ચડાવવામાં આવી હતી.બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવા ના રસ્તા પર, અંબાજીથી બાલારામ જવાના રસ્તા આસપાસ, તથા અંબાજીની આસપાસ આવેલ છે.બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અંબાજી ખાતે…

Read More

બનાસકાંઠામાં ભારે વરસાદઃ કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, રસ્તા ધોવાણથી ૧૩ જેટલા ગામડા સંપર્ક વિહોણાઃ(પ્રતિનિધિ) અંબાજી, છેલ્લા ૨૮ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી, થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી.કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, છેલ્લા ૨૮ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં ૧૩…

Read More