બનાસકાંઠામાં ભારે વરસાદઃ કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, રસ્તા ધોવાણથી ૧૩ જેટલા ગામડા સંપર્ક વિહોણાઃ(પ્રતિનિધિ) અંબાજી, છેલ્લા ૨૮ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી, થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી.કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, છેલ્લા ૨૮ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં ૧૩…
Author: gujarat
Nepal violence Indian students: નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન નિવાસસ્થાન સહિત સંસદને નિશાન બનાવી હિંસક હુમલા કર્યા છે. નેપાળ ભડકે બળ્યુ છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અટકાઈ પડ્યાં છે. આ બધાયને સુરક્ષિત પરત લાવવા ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. નેપાળમાં ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ફસાયા નેપાળની રાજધાની કાઠમંડુમાં હિંસા અને અરાજકતોનો માહોલ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામુ ધરી દીધુ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં તોડફોડ કરી આગ લગાવી દેવાઇ છે, જેમાં વડાપ્રધાનના પત્નિનું મોત થયું છે. આ હિંસક સ્થિતીમાં નેપાળમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સાથે સાથે નેપાળ પ્રવાસે ગયેલાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.…
(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં એક નવ મહિનાના બાળકના ગળામાં રમતા રમતા નાની મચ્છી ફસાઈ જતાં તેના જીવન પર જોખમ તોળાઈ રહ્યું હતું.આ ગંભીર પરિસ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સોનલ માલીવાડની સમયસૂચકતા અને કુશળ કામગીરીને કારણે બાળકનો જીવ બચી ગયો હતો અને તેને નવજીવન મળ્યું હતું.ઘટનાની વિગતો મુજબ વાગરામાં એક નવ મહિનાનું બાળક રમતા રમતા અચાનક ગંભીર સ્થિતિમાં મુકાયું હતું.તેના ગળામાં મચ્છી ફસાઈ જતાં તેને લોહીની ઉલટી થવા લાગી હતી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. પરિવારે તાત્કાલિક બાળકને વાગરાની ઝ્રૐઝ્ર ખાતે દાખલ કર્યો હતો.જ્યાંથી તેને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ…
ગોધરા, સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે ગણેશ વિસર્જનના દિવસે બપોરના સુમારે એક માલ વાહક રોપ-વે એટલે કે ગુડ્સ રોપ-વની ટ્રોલી તુટી પડવાની ઘટના સર્જાતા૬ લોકોના ઘટનાસ્થળે કરૂણમોત થયા હતા.આ ઘટનાના મામલે સરકારમાંથી થયેલા તપાસના આદેશના પગલે જિલ્લા કલેકટર અજય દહિયા સહિત ટેકનિકલ તપાસ સમિતિએ તપાસનો આરંભ કરી દીધો છે. રવિવારે ઘટનાસ્થળની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઘટનામાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે.બનાવની જાણ થતા જિલ્લા કલેકટર અજય દહીયા જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાત તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓલાગતા વળગતા તંત્રના અધિકારીઓ સહિતના લોકો ઘનટા સ્થળે તેમજ હાલોલની રેફરલ…
2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરીદાહોદ, ગુજરાતમાં ૨૭૦૦ જેટલા શિક્ષકોની ઘટ ધરાવતાં દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મહત્ત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં જિલ્લા પંચાયત કચેરી દાહોદથી તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં દરેક ગામડે આધુનિક લાયબ્રેરી બનાવવા માટે જમીન માહિતી માંગવામાં આવી છે.આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં લાયબ્રેરી સ્થાપિત કરવા માટે ૨૦૦ ચોરસ ફૂટ સરકારી પડતર અથવા ગામતળની જમીનની માહિતી મોકલવા કહ્યું છે. જેના પ્રાથમિક આયોજનમાં ૧૦૦ જેટલા ગામડાઓમાં લાયબ્રેરી બનાવવામાં આવશે.આ માહિતીમાં વિગતવાર જોઈએ તો જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં, સરકારી પડતર અથવા ગામતળની ૨૦૦૦…
દવાખાનામાંથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળ્યાવડોદરા, ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એસોજીએ કરજણ તાલુકાના સનીયાદ ગામે ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરનાર નકલી ડોકટરને ઝડપી પાડ્યો હતો. નકલી દવાખાનું ચલાવતા આ ફર્જી ડોકટરના કલીનિકમાંથી એલોપેથી દવાઓ, બીપી માપવાનું મશીન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલે ઓપરેશન પરાક્રમ હઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે આધારે એસોજી પો.ઈન્સ. જે.એમ.ચાવડાએ સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતુંતે દરમિયાન કરજણ ખાતે એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી…
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓ તૂટવાની સમસ્યા નવી નથી પરંતુ એ રસ્તાઓને દુરસ્ત કરવા માટેની જવાબદારી વહીવટી તંત્રની છે કેટલેક અંશે આ જવાબદારી ઝડપથી નિભાવવામાં આવી રહી છેપરંતુ મહદ અંશે એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ રસ્તાઓ ઉબડખાબડ છે તેના ઉપર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે ઉદાહરણ તરીકે હાથીજણ સર્કલ નો નેશનલ હાઈવે ખૂબ જ સુંદર અને મેન્ટેનન્સ સાથે સરળતાથી ચાલી રહ્યો છે હવે ત્યાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ છે વળી ચોમાસાના સમયગાળા દરમિયાન સર્કલ ઉપર ખોદકામ કર્યું હતું જેને માટી થી વાળીને પુરાણ કરીને પુનઃ રસ્તો બનાવી દેવામાં આવ્યો છેપરંતુ સાઈડમાં હજુ પણ રસ્તો ખાડા…
9અને10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150જેટલાં સ્ટોલ અને અંદાજે2500જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA)એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો.આ એક્સપોમાં150જેટલાં સ્ટોલ અને અંદાજે2500જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ9અને10સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા‘મેદસ્વિતા મુક્ત ગુજરાત‘નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ.ખાદ્ય,પાકકળા અને પેય ઉદ્યોગોના150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ…
રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ -જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ-જળ સંચય થાય તે માટે અનેકવિધ નવા ચેકડેમ,ખેત તલાવડી, વિવિધ નદીઓ પર બેરેજ-વિયર, રિચાર્જ વેલ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૨ તેમજ દેવભૂમિ દ્વારકામાં ૧૩ નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫૮૬ નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.મંત્રીશ્રી પટેલે પેટા પ્રશ્નનો…
પોલિટિકલ વિલ અને નેશનલ સિક્યુરિટીની પ્રાયોરીટી હોય તો દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી::ભારતીય સેનાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનની સફળતાથી દેશના જન-જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર પાર પડ્યો છે.ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના વિધાનસભા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.તેમણે આ પ્રસ્તાવ…
