Author: gujarat

રંગોળી, ક્વિઝ, પત્ર લેખન અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયાAhmedabad, રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા.15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.જે અંતર્ગત અમદાવાદ ડીપીઇઓ અને ડીઇઓ રૂરલ હસ્તકની 400 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં રંગોળી, ક્વિઝ, પત્રલેખન અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તિરંગા, ભારત માતાની પ્રતિકૃતિ અને દેશભક્તિ પ્રેરિત દ્રશ્યો તૈયાર કર્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં…

Read More

અમદાવાદ, આંબાવાડી નજીક માણેકબાગ શ્રેયસ બ્રિજ પાસેની રોહિણી સોસાયટીના બંગલો ૧૭માં રહેતા એક વેપારી તેમના માતા-પિતા અને ભાઇને લેવા પરોઢિયે સાબરમતી રેલવે સ્ટેશન ગયા હતા.સવા કલાક બાદ તે ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના ગેસ્ટ રૂમનું હેન્ડલ તુટેલુ હતું. ઘરમાં તપાસ કરતા તસ્કરો બારીના સળિયા તોડીને અંદર પ્રવેશીને રોકડા, દાગીના અને રાડોની ઘડિયાળ સહિત ૮.૦૮ લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માણેકબાગ શ્રેયસ બ્રિજ પાસે આવેલી રોહિણી સોસાયટીના બંગલો નં.૧૭માં રહેતા અનુરાગભાઇ કાબરા ન્યુ ક્લોથ માર્કેટમાં દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે.અનુરાગભાઇના મોટા બાપાનું અવસાન થતાં તેમના…

Read More

અમદાવાદ, વિરમગામમાં દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઇ જાય તે માટે એક મહિલાએ તાંત્રિકનો ઢોંગ કરીને વિધિ કરવાના નામે છેતરપિંડી આચરી છે. મહિલાએ દુકાનની નીચે કરોડોનું છૂપાયેલું ધન અપાવવાની લાલચ આપીને વિધિના નામે કુલ ૬૭ લાખના દાગીના અને રોકડા મેળવીને છેતરપિંડી આચરી હતી.વિરમગામ પોલીસે ગુનો નોંધી ઢોંગી મહિલા તાંત્રિકની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન વધુ ભોગ બનનાર હોવાની પોલીસને શંકા છે. વિરમગામમાં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઇ શેઠ ફરસાણની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલા સંબંધી થકી ગોધરાની કોમલ રાઠોડ સાથે સંપર્ક થયો હતો. કોમલને માતાજી આવતા હોવાનું કહીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી…

Read More

પાર્કિંગ – એમ્ફી થિયેટર – પાથ-વે – ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ વડનગર આવનારા પ્રવાસીઓને ઉપલબ્ધ થશેપ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.વડનગરના રેલ્વે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલ્વે અને રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડીનેશન અને ઈન્ટીગ્રેશન માટે મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.Chief Minister Bhupendrabhai Patel visited the site to inspect the progress of…

Read More

અમદાવાદ, શહેરના પૂર્વ રિવરફ્રન્ટ પર રક્ષાબંધનના દિવસે અકસ્માત સર્જાયો હતો. એક યુવકના ઘરે તહેવાર હોવાથી મહેમાનો આવ્યા હતા. રાત્રે મહેમાનોને મૂકવા જતો હતો ત્યારે રિવરફ્રન્ટ પર પૂરઝડપે આવેલા બાઇકના ચાલકે યુવકને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. બંને બાઇકસવાર અને યુવકને સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે સનાથલ બ્રિજના છેડે આઇસરની અડફેટે આવેલા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. બંને ઘટનાને લઇને ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. બહેરામપુરામાં રહેતા ૩૯ વર્ષીય રાજેન્દ્ર બારોટ રક્ષાબંધનના દિવસે આવેલા મહેમાનોને મૂકવા માટે ભત્રીજાઓ સાથે જતા હતા. રાજેન્દ્રભાઇ તેમના મહેમાનો અને ભત્રીજાઓ સાથે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. ત્યાં રામ રહીમના ટેકરા…

Read More

વડોદરા, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા મકાનમાં ૨૦ વર્ષથી કામ કરતા નોકરે જ ઘરમાં ધાપ મારી હોવાનો મામલો બહાર આવ્યો છે. ઘરના કબાટની ચાવી ચોરી કર્યા બાદ બેડરૂમના મુકેલા કબાટના ડ્રોવરમાંથી રોકડા રૂ.૩૦ લાખમાંથી રૂ.૨૦ લાખ ગાયબ કરી નાખ્યાં હતા. મકાન માલિકને શંકા જતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, ત્યારે નોકરના કાંડનો ભાંડો ફુટ્યો હતો.રૂપિયા પરત આપવાનું કહેવા છતાં નહી આપતા આખરે મકાન માલિકે નોકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વડોદરા તાલુકાના ભાયલી વિસ્તારમાં નવરચના યુનવર્સિટી સામે રહેતા નિલેશ મદનલાલ ગુપ્તાના ઘરે છેલ્લા વીસેક વર્ષથી તેમના માતા-પિતાના ઘરે જગદિશ ઉર્ફે વિપુલ દેવજી વસાવાને ઘરકામ માટે માસીક રૂ.૧૦ હજારના પગારથી રાખ્યો હતો.જગદીશ પિતાના ઘરની…

Read More

વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી છે. નર્સ તરીકે ફરજ બજાવતી તેમની પત્ની બપોરે ઘરે આવતાં કોન્સ્ટેબલ પતિના આપઘાતની જાણ થઈ હતી.જો કે, આપઘાતનું કોઇ જ કારણ બહાર આવ્યુ ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા (૩૨) (રહે. અસાર, તા. કવાંટ, જી. છોટાઉદેપુર) ૨૦૧૭માં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા, ડેસર અને છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા.આજે કોઈક કારણસર તેમણે વાઘોડિયા માડોધર રોડ વિસ્તારમાં આવેલી રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હૂક સાથે ઓઢણી વડે ગાળિયો બનાવી આપઘાત…

Read More

અમદાવાદ, અમદાવાદમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોઈ અન્ય નહીં પરંતુ, એએમસીના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ ૭ થી ૮ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક ૫૦ વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બાળકો સહિત ૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને વહેલી સવારે ૨ થી ૩ વાહનોને તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા હતા.પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે ૭ થી ૮ જેટલા લોકો આવ્યા હતા. જેમાંથી ૧ વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ…

Read More

અંકલેશ્વર, ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી ૩૫થી વધુ બહેનો પર કોઈ ત્રાસદાયક વ્યક્તિ દ્વારા વીડિયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે બહેનોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને કેટલીક બહેનોને પારિવારિક વિખંડનનો સામનો કરવો પડ્યો છે.આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી, સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલનનું કાર્ય કરે છે. ભરૂચ જિલ્લામાં કુલ ૧૫૦૦ બહેનો કાર્યરત છે.આ પૈકી ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા…

Read More

જયશંકર સુંદરી ઓડિટોરિયમનું રીનોવેશન કરવામાં આવશે- દેવાંગ દાણી(પ્રતિનિધિ)અમદાવાદ , અમદાવાદ મ્યુનિસિપલ ભાજપ માટે નાગરિકો અને તેમની સુખાકારી અત્યંત મહત્વના છે. નાગરિકો તેમના પ્રશ્નો ની રજુઆત કરવા માટે આવે ત્યારે અધિકારીઓ ઓફિસમાં હાજર રહે તે જરૂરી છે. આ ઉપરાંત જયશંકર સુંદરી હોલ નું રીનોવેશન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે વધુ માં જણાવ્યું હવે ડે. કમિશનર સહિત તમામ અધિકારીઓએ દરરોજ સવારે ૧૧ થી ૧ કલાકે ઓફિસમાં રહેવું ફરજિયાત રહેશે, જેથી નાગરિકો સીધી રજૂઆત કરી શકે.આગામી રક્ષાબંધન તહેવારની ભેટ તરીકે, એએમટીએસ અને બીઆરટીએસમાં મહિલાઓ માટે મફત મુસાફરીની પણ જાહેરાત કરાઈ છે, જે માટે અલગથી બજેટ…

Read More