Author: gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ-લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો પાર પાડશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલસુરત જિલ્લામાં858કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત – ઈ-લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રીØવિકસિત–આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો–હસ્તકલા કારીગરો–MSMEને યોગદાન આપવામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો નવી દિશા આપશેØપરિશ્રમ–પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી રૂ.2લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દેશ માટે દિશાદર્શક છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ,લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પડશે.રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી…

Read More

ભૂજ, ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૪. ૩૦ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકાના લીધે જાનમાલના નુકસાનના કોઈ માહિતી નથી.આ ઉપરાંત ૨૪ ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પણ તીવ્રતા ૩.૦ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કરમરીયા ગામ પાસે હતું. જે જમીનમાંથી માત્ર ૨૩.૫ કિલોમીટરની ઉંડાઇએ હતું. કચ્છ ઉચ્ચ ભૂકંપ જોખમ ધરાવતો વિસ્તાર છે. તેમજ…

Read More

નાઈટ ડ્રાઈવ દરમિયાન 700થી વધુ ફૂડ કાઉન્ટર, હોર્ડિંગ્સ અને પરચુરણ સામાન જપ્ત(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સુગમતા, જાહેર સલામતી અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા હેતુસર છેલ્લી ત્રણ રાત્રિ દરમિયાન વિવિધ ઝોનમાં વ્યાપક નાઈટ દબાણ વિરોધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત જાહેર માર્ગો, ફૂટપાથ તેમજ ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવાની સંકલિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. છેલ્લી ત્રણ રાત્રિએ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોનમાં નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી.પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ નગર, પંચવટી, સી.એન.વિદ્યાલય, પાંજરાપોળ, ઉસ્માનપુરા, એલ.ડી.કોલેજ, સેપ્ટ યુનિવર્સિટી રોડ, વિજય ચાર રસ્તા, સી.જી. રોડ, લો ગાર્ડન, કોમર્સ કોલેજ, નારણપુરા અને આશ્રમ રોડ વિસ્તારમાં રાત્રિના 10.30થી…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતાઅને દારૂની બોટલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. જો…

Read More

પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી,જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી::•પોલીસ બેડામાં નવા જોડાઈ રહેલા કર્મીઓ પણ “નાગરિક દેવો ભવ:”ના ધ્યેય સાથે ચરિતાર્થ કરશે•જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે•રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે.•રાજ્ય વ્યાપી સી.સી.ટી.વી. નેટવર્ક,કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર,બોડી વોર્ન કેમેરા,સાયબર આશ્વસ્થ – સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે.કોઈ નાગરિક પોતાની સમસ્યા સાથે આવે,ત્યારે…

Read More

આજથી આગામી તા. ૨૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં “વીર બાલ દિવસ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશેશીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો-સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બાળકો અને યુવાનોમાં વીરતા,નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવાનો છે.ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ‘વીર બાલ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે આજથી આગામી તા. ૨૭ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રીઓ,પદાધીકારીશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમોનું…

Read More

દરરોજ સવારે સાત વાગ્યાથી લઈ બપોરના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી ૪૦થી ૪૫ના જથ્થામાં ડોલ્ફિન સફારીનું આયોજન કરવામાં આવે છે. (એજન્સી)ઊના, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા અહમદપુર માંડવી બીચ જે ડોલ્ફિન બીચ તેમજ ફેમિલી બીચ તરીકે ઓળખાય છે. હાલ શિયાળાની સિઝનમાં ત્યાં આવેલા સાત કિલોમીટર સીમર, નવાબંદર, દીવના કિલ્લાની વચ્ચે આવેલા વિશાળ દરિયા કિનારાની અંદર ડોલ્ફિન માછલીઓનું આગમન થઈ ગયું છે. ડોલ્ફિન જે મનુષ્ય પછી બીજું પૃથ્વી ઉપરનું બુદ્ધિશાળી પ્રાણી છે.દરિયામાં ડોલ્ફિન જોવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડે છે. ડોલ્ફિન માછલીનો અત્યારે પ્રજનન અને બચ્ચા ઉછેર કરવાનો સમય હોય છે. જેના કારણે લાંબો રૂટ પાર કરી ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારામાં…

Read More

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી, સ્વાસ્થ્યમાં સુધારો કરવો અને પ્લાસ્ટિક કલેક્શન, પ્રોસેસિંગ તેમજ રિસાયકલિંગ દ્વારા સુવ્યવસ્થિત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરવાનો છે.નવા શાહપુર ગામેથી શરૂ થયેલ વિશેષ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા મોટા વેસ્ટ કલેક્શન બિન મૂકી સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું આયોજનનળસરોવર પક્ષી અભયારણ્યની આસપાસના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 19 ગામો અને 36 સેટેલાઇટ વેટલેન્ડ્સ સુધી અભિયાનનું વિસ્તરણ કરાશેAhmedabad, ગુજરાત વન વિભાગ હસ્તકના વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યની જૈવ વિવિધતા જળવાઈ રહે તે હેતુથી પ્લાસ્ટિક મુક્ત અભિયાનની એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નળસરોવર પક્ષી અભયારણ્ય (વન્યજીવ વિભાગ-સાણંદ), ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ…

Read More

રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં નહીં આવે: વન અને પર્યાવરણ મંત્રીશ્રીઅરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ હેઠળ ચાલુ વર્ષે ૪,૪૨૬ હેક્ટરમાં ૮૬.૮૪ લાખ વૃક્ષોનું વાવેતર કરાયુંઆગામી વર્ષે પણ ૪,૮૯૦ હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશેગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં…

Read More

અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ ઉત્સવ’ સંદર્ભે શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’, ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ અંગેનું જાહેરનામું બહાર પડાયુંપોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમ ક્રમાંક: ગ/ ઉપક/ટ્રાફીક/૪૬/૨૦૨૫ હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ ના નિયમ-૨૦૭ મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવામાં આવનાર છે.આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી…

Read More