Author: gujarat

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર રમતગમત માટે ખૂબ ભાર આપી રહી છે. રમતવીરો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ સહિતના કાર્યક્રમો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હવે રમતગમત ક્ષેત્રમાં ગુજરાત આગળ આવી રહ્યું છે.એટલું જ નહીં ગુજરાતમાંથી અનેક રમતવીરો સતત પ્રતિભાઓ અને ક્ષમતાઓ બહાર આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રમતવીરો માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો ગુજરાતના આંગણે રમાય તો નવાઈ નહીં. મળતી માહિતી અનુસાર આજે આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ ફેડરેશનના સભ્યોએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત મુલાકાત સમયે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી.મહત્વનું છેકે આગામી કોમનવેલ્થ…

Read More

દરેક ઝોનમાં બે એડીશનલ ઈજનેર રહેશે: દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વસ્તી અને વિસ્તાર સતત વધી રહયા છે જેના કારણે નાગરિકોને ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા જેવી સુવિધાઓ આપવાની રહે છે.મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ ઈજનેર વિભાગમાં સ્ટાફની અછત હોવાથી આવી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરવામાં વિલંબ થાય છે જેને કારણે નાગરિકો ત્રાહિમામ થતાં હોય છે અને મ્યુનિ. વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષની સામે પણ આંગળી ચીંધાતી રહે છે.આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે આશયથી કોર્પોરેશનમાં પાણી-ડ્રેનેજ વિભાગમાં જુદી જુદી કક્ષાએ કુલ ૬૩ અધિકારીઓને ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નાગરિકોની મુખ્ય ફરિયાદો પાણી અને ગટર…

Read More

આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતુંડીસા, સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૦૬ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉપક્રમે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્બુદા વિદ્યાલય થી લઈને સરદાર બાગ સુધી જિલ્લા કક્ષાની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિ…

Read More

મહુવામાં BAPS દ્વારા હરતું ફરતું દવાખાનું શરૂ કરાયું -ફરતું દવાખાનું, આરોગ્ય કેમ્પો અને મોબાઇલ ચેકઅપ વાન જેવી સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છેભાવનગર, ભાવનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર અને BAPS ચેરિટીઝ દ્વારા મેડિકલ મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. આ સેવા મહુવા અને આસપાસના ૯૦ ગામોમાં મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.આજના સમયમાં આરોગ્ય સેવાઓની વિસ્તૃત જરૂરિયાત ઊભી થઈ છે. દવાઓના ઊંચા ખર્ચ, હોસ્પિટલોની પહોંચ અને માહિતીની અછતને કારણે ઘણા લોકો યોગ્ય સારવાર વિના જ જીવ ગુમાવે છે.આવી સ્થિતિમાં ફરતું દવાખાનું, આરોગ્ય કેમ્પો અને મોબાઇલ ચેકઅપ વાન જેવી સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકાર આયુષ્માન ભારત અને ‘મમતા યોજના’ જેવી અનેક…

Read More

બેંકના અધિકૃત એજન્ટોએ અન્ય થર્ડ પાર્ટી એજન્ટો સાથે મળીને કરોડોનો કાંડ કર્યુSBI બ્રાન્ચમાં ૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં ૧૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ તમામ પર બોગસ દસ્તાવેજોને આધારે લોન મંજૂર કરાવવાના આરોપ છે-(એજન્સી) વડોદરા, વડોદરામાં કથિત રીતે બેંકના અધિકૃત એજન્ટોએ અન્ય થર્ડ પાર્ટી એજન્ટો સાથે મળીને ભારતની સૌથી મોટી એવી SBI બેંક સાથે કરોડોનો કાંડ કરી નાખ્યો છે. આ કૌભાંડનો મામલો છે વડોદરા શહેરમાં ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો. જ્યાંના ચીફ મેનેજર યજ્ઞેશ પટેલે આ મામલે કુલ ૧૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.આ આખો કાંડ સમજવા માટે ખાસ કરીને ઇલોરાપાર્ક બ્રાન્ચની…

Read More

સુરતમાં દરરોજ ૨૫૦થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે -થઈ ગયા છે આ દરમિયાન રોગચાળાના કારણે બે યુવાનોના મોતની ખબર પણ સામે આવી છેડાયમન્ડ સિટીમાં રોગચાળો વધ્યો-એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડીસુરત, બદલાતા વાતાવરણને લઈને રાજ્યભરમાં રોગચાળો વધ્યો છે. અમદાવાદ, જામનગર, વડોદરા જેવા જિલ્લાઓમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે એવામાં સુરતમાં તો જાણે રોગચાળાએ ભરડો લીધો છે.ડાયમન્ડ સિટીમાં રોગચાળો એટલો વધ્યો છે કે, સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા છે. જેના એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડી હતી. ૨૦૦ બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. આ…

Read More

આગામી સાત દિવસ એટલે ૧૩મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથીઅમદાવાદ, ગુજરાતમાં ઓગસ્ટ ચાલે છે પરંતુ વરસાદ વેકેશનના મૂડમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સર્જાયેલી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સાત દિવસ એટલે ૧૩મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સાતમીથી ૧૩મી ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની…

Read More

Ahmedabad plane crash compensation: અમદાવાદમાં 12મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, ‘જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.’ માઇક એન્ડ્રુઝે પીડિત પરિવારની વેદના જણાવી મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, ‘રતન ટાટાએ ક્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, તો AI171 વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત પરિવારોને આટલો સંઘર્ષ ન કરવો પડત.’ રતન ટાટા અંગે અમેરિકન…

Read More

“વેસ્ટર્ન ટાઈમ્સના અહેવાલનો પડઘો” -નરોડા કઠવાડા રોડ ખારીકટ કેનાલને સીલ મારી બંધ કરાયેલા રસ્તા સામે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની અને અન્ય પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત બાદ એક રસ્તો ખુલ્લો કરતા પ્રજાએ રાહતનો દમ લીધો !!જે કામ નરોડાના કોર્પાેરેટરોએ ના કર્યુ એ કામ ધારાસભ્યોએ કર્યુ ?!તસ્વીર વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે ખારીકટ કેનાલ પાસે રાતો રાત રસ્તા સીલ કરાયા પછી ઉદ્દભવેલી સમસ્યાની તસ્વીરો સાથે વાચા આપ્યા પછી અને રજૂઆત કર્યા પછી મ્યુનિ. કોર્પાેરેશનના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધિ પાની સહિત કેટલાક અધિકારીઓએ જરૂરી આદેશ આપ્યા પછી રસ્તો ચાલુ કરાયો છે !એટલું જ નહીં એલીસબ્રીજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતભઈ ઠાકોરની ઉચ્ચ…

Read More

Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે કારચાલકની અટકાયત કરી મળતી માહિતી અનુસાર, નહેરૂનગરમાં ઝાંસીની રાણી નજીક મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે, કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં…

Read More