અમરેલી, ગીર જંગલમાં સિંહબાળના મોત મામલે વનમંત્રીએ જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ૯ સિંહબાળમાં ભેદી રોગની શંકા જણાતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ પૈકી ત્રણ સિંહબાળનાં મોત થયાં છે. સત્તાવાર જણાવતા વનમંત્રી મુળુ બેરાએ વધુમાં કહ્યું હતુ કે બાકીના સિંહબાળને આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે.વન વિભાગની ટીમને જાણ થઈ હતી કે કેટલાક સિંહબાળ શારીરિક નબળી હાલતમાં છે અને ચાલી પણ શકતા નથી. જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સ્કેનિંગ કરતાં સિંહબાળ ગ્રૂપની હાલત અતિનાજુક જણાઈ હતી. તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહબાળનાં શંકાસ્પદ રીતે…
Author: gujarat
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ‘ અંતર્ગત યોજાયેલી તાલીમમાં ઉપસ્થિત રહ્યાઅમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પ્રાકૃતિક કૃષિના ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, સાબરમતી ખાતે નોન મિશનના સી.આર.પી. અને કૃષિ સખી તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલીમમાં ઉપસ્થિત રહી ખેડૂતો અને મિશન સ્ટાફની સાથે પ્રાકૃતિક કૃષિ ઉપર વિગતવાર ચર્ચા કરવા ઉપરાંત સી. આર.પી. અને કૃષિ સખીને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તદુપરાંત, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આત્માના સ્ટાફ સાથે બેઠક યોજી હતી જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સહિત અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ બગાયત નિયામકશ્રી અને અન્ય અધિકારીગણ ઉપસ્થિત…
ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જડબાતોડ જવાબ -૯૨ દેશ પર નવા ટેરિફની યાદી જાહેર – ભારત પર લદાયેલો ૨૫% અમેરિકી ટેરિફ ૭ દિવસ ટળ્યો(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પછી, બંને દેશો વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં સંઘર્ષ જોવા મળ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે આ માટે ભારતની ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. આ દરમિયાન, ભારતે અમેરિકા પાસેથી F35 ફાઇટર જેટ ખરીદવા સંબંધિત સોદો મોકૂફ રાખ્યો છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ૯૨ દેશ પર નવા ટેરિફ લાદ્યા છે. આ…
Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ‘વાઘ બકરી- એએમએ સેન્ટર ફોર ગવર્નન્સ’ના ઉપક્રમે “આઈડિયા ટુ ઈમ્પેક્ટ” થીમ પર સીએસઆર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વિવિધ પાસાઓ પર અનેક સત્રો અને વક્તાઓ દ્રારા ચર્ચા કરવામાં આવી હતી.એએમએના માનદ ખજાનચી શ્રી પ્રશાંત ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સહભાગીઓને‘સીએસઆરનો સાચો અર્થ’સમજવામાં મદદ કરવાનો અને તેનો ઉપયોગ સમાજના સૌથી નબળા વર્ગના લોકોના જીવનને સુધારવા તેમજ સમાજ પર એક સ્પષ્ટ અને કાયમી અસર પહોંચાડવાનો છે.”મોટિફ ચેરિટી વૉકના સ્થાપક અને સ્ટાર્ટઅપ મેન્ટર શ્રી કૌશલ મહેતાએ મુખ્ય વક્તવ્ય આપતાં કહ્યું કે, “અમારા વીકએન્ડ ચેરિટી વૉક એક ઉત્તમ…
BCCIએ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો -શ્રેયસ અને જયસ્વાલ શાર્દુલની કેપ્ટનશીપમાં રમશેનવી દિલ્હી, BCCIએ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ટીમોના કેપ્ટનના નામની જાહેરાત પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ જૂના ફોર્મેટની જેમ ચાર ઝોનની ટીમો તેમાં ભાગ લેશે. હવે નવીનતમ ઘટનાક્રમ મુજબ, પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે.શાર્દુલ ઠાકુરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અજિંક્્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યું નથી. આના મોટા સંકેતો છે, જે સમજવા જોઈએ.દુલીપ ટ્રોફી માટે પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમની કમાન શાર્દુલ ઠાકુરને સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયર અને યશસ્વી…
બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો -દુકાનનો સમાન રોડ પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યો છે અને બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છેસુરત, સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ થતા દુકાનમાં રહેલો સામાન વેરવિખેર થયો છે સાથે સાથે દુકાન ખોલી રહેલ વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, આ બ્લાસ્ટ કઈ રીતે થયો તેનું કારણ અકબંધ છે, તો પોલીસે અને ફાયરવિભાગે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.સુરતના બારડોલીના શાક માર્કેટમાં આવેલી દુકાનમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી છે, વહેલી સવારે આ બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી…
પુલ ૪૮૦ મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ ૧૪.૮ મીટર ઊંચી છેમુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ ૨૫ નદીના પુલનો સમાવેશ થાય છે, જેમાંથી ૨૧ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં આવેલ છે.અમદાવાદ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં ૩૬ મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ ૧૧૮ ફૂટ જેટલો અને ૧૨ માળની ઈમારતની ઊંચાઈ સમાન છે.આ પુલ ૪૮૦ મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ ૧૪.૮ મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક…
દર મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે 1500 કરોડથી વધુ એક્સપોર્ટ મોરબીથી થાય છે.એક તરફ ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે બીજી તરફ અમેરિકાના ટેરીફની અસર થશેડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મોરબી પડી ભાંગ્યુ -મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને ૧૨ મહિને લગભગ ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છેમોરબી, મોરબીમાં બનતી ટાઇલ્સને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે. જો ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ ૧૪૦૦ થી ૧૫૦૦ જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને ૧૨ મહિને લગભગ ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી…
મંજૂરી વિના ચોકના નામ આપીને બોર્ડ લગાવી દેવાયા હતા, જે હવે સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છેગાંધીનગર, અમદાવાદ અને ગાંધીનગરની હદમાં આવેલા ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સતત વિકાસ પામી રહેલા આ વિસ્તારમાં મંજૂરી વિના ચોકના નામ આપીને બોર્ડ લગાવી દેવાયા હતા, જે હવે સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે.ન્યૂ ચાંદખેડા જે અમદાવાદ અને ગાંધીનગરની સીમા પર આવેલો છે અને ઝડપથી વિકસી રહ્યો છે, ત્યાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ચોકના નામ આપી દેવામાં આવ્યા હતા.આ મામલો તંત્રના ધ્યાનમાં આવતા માન…
Liquor Racket Exposed In Gujarat: સ્ટેટ સેલના હેડ કોન્સ્ટેબલ સાજણ આહિર અને બુટલેગર અનિલ પંડીત વચ્ચેના મેળાપીપણાનો પર્દાફાશ થયા પછી બુટલેગરો અને ગુજરાત પોલીસ, નશાબંધી કે સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ કે અધિકારીઓની ચર્ચા અંદરખાને વેગ પકડી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતમાં વર્ષે 300 કરોડ રૂપિયાનો દારૂ પકડી સરકાર અને સરકારી તંત્ર વાહવાહી લૂંટે છે, પરંતુ 3,000 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે ઠાલવતાં બુટલેગરોના ગોરખધંધા અંકુશમાં આવતાં નથી. હદ તો, એ વાતની છે કે, વર્ષ 2024માં ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 10 નામચીન બુટલેગર પકડાઈ જાય તેની બાતમી મેળવવા માટે ઈનામ જાહેર કર્યાં હતાં. પરંતુ સરકારી ઈનામ જાહેર કરાયા છતાં…
