Author: gujarat

Rare Blood Group : દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી 38 વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે. આ મહિલા કોલારમાં કાર્ડિયાક સર્જરી માટે હોસ્પિટવમાં દાખલ થઇ ત્યારે તેના લોહીના અસામાન્ય ગ્રુપની જાણ થઇ હતી. તેને CRIB તરીકે માન્યતા મળી છે. આ મહિલાનું રક્ત ગ્રુપ ઓ આરએચ પોઝિટિવ હતું. આ એક સામાન્ય બ્લડ ગ્રુપ છે પણ ઉપલબ્ધ ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપમાંથી એક પણ યુનિટ તેને ંમેચ થતું નહોતું. હોસ્પિટલે વધુ તપાસ માટે કેસ બેન્ગલોર ટીટીકે બ્લડ સેન્ટર ખાતે આવેલી એડવાન્સ્ડ ઇમ્યુનોહેમેટોલોજી રેફરન્સ લેબોરેટરીને મોકલી આપ્યો હતો. આ લેબોરેટરીએ…

Read More

‘108 ઇમરજન્સી સેવા’: રાજ્યના નાગરિકો માટે સુરક્ષા કવચ૫૮.૩૮ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ ૨૧.૭૭ લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમરજન્સી સેવા પૂરી પડાઈગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો,જિલ્લા,તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ‘૧૦૮ ઇમરજન્સી સેવા’ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે,જે રાજ્યના…

Read More

ED Summons Anil Ambani : ઇડીએ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને એમ.ડી.અનિલ અંબાણીને કથિત 17000 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસની તપાસ મામલે પૂછપરછ કરવા સમન્સ મોકલાવ્યું છે. આ મામલે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે 5 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં આવેલા ઈડી હેડક્વાર્ટરે તેમને હાજર થવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સીએ અનિલ અંબાણી સાથે સંકળાયેલા વ્યવસાયિક સંસ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી હતી. ગત અઠવાડિયે થઇ હતી દરોડાની કાર્યવાહી ગત અઠવાડિયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી 50 વ્યવસાયિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓ પર દરોડા પાડ્યા હતા. મુંબઈમાં ઓછામાં ઓછા 35…

Read More

ગુજરાત પોલીસની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ–સુરક્ષા અને સલામતીમાં અગ્રેસરતા સાથે ગુજરાત દેશનાવિકાસનું રોલ મોડલ બની શક્યું છે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલGandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના ૧૧૮ અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા.ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે,સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ,સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે.તેમણે ચંદ્રક મેળવનારા…

Read More

સુરત, દાદરા નગર હવેલીના સેલવાસથી ચોંકવાનારી ઘટના સામે આવી છે. સેલવાસમાં આવેલી ઝંડા ચોક સરકારી શાળામાં ધોરણ ૯ના વિદ્યાર્થીએ ૫ વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યાે હતો.સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલીને બનાવ અંગ પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઢળતી સાંજે સેલવાસની ઝંડા ચોક પાસે આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ વાત વણસતા ઝપાઝપી થઈ હતી.મામલો ઉગ્ર બનતા ધોરણ ૯ના વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી ચપ્પુ કાઢીને આડેધડ ફેરવવા માંડ્યું હતું. ધોરણ ૧૧ના પાંચ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યાે હતો. વિદ્યાર્થીઓના કાન, હાથ અને પીઠ સહિતના ભાગે ઈજા પહોંચી હતી. હુમલાની ઘટના અંગે જાણ થતાં…

Read More

Increases CNG Price: ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો છે. હવે સીએનજીના ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં સીએનજીથી દોડતી દોઢ લાખથી વધુ રીક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે. સીએનજીના ભાવ એક જ વર્ષમાં 6 રૂપિયા વધ્યા વર્ષ 2025ની શરૂઆત સાથે જ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના પ્રતિ કિલોએ જે 77.76 રૂપિયા ભાવ હતો, તેમાં દોઢ રૂપિયાનો વધારો કરીને 79.26 રૂપિયા કરાયો હતો. આ ભાવ અત્યાર સુધી સ્થિર રહ્યા હતો. પરંતુ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા…

Read More

અંકલેશ્વર, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર બનેલા સરદાર સરોવર ડેમામાં મધ્ય પ્રેદશથી સતત પાણીની આવક થઇ રહી છે. જેથી આજે સાંજે ડેમના વધુ ૫ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.હાલ ડેમના કુલ ૨૩ દરવાજામાંથી ૧૫ દરવાજા ખોલી ૩ લાખ ૨૭ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.નર્મદા કાંઠાના ૨૭ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મધ્ય પ્રદેશના ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે.જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત નર્મદા…

Read More

Gujarat Employment: શિક્ષિત બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આ પૈકી પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ રોજગારીલક્ષી યોજના છે પણ ગુજરાતમાં આ યોજના શિક્ષિત બેરોજગારો માટે લાભદાયી પુરવાર થઈ નથી શકી. ગુજરાતમાં તો પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના અંતર્ગત અરજીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો એ છે કે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના મતવિસ્તાર નવસારી- સુરત જીલ્લામાં તો એકેય બેરોજગારે રોજગારી માટે અરજી કરી નથી. લઘુ-મધ્યમ ઉદ્યોગોને વાગ્યા ખંભાતી તાળાં એક બાજુ, વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષિત યુવાઓ માટે રોજગારીની અનેક તકો રહેલી છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ…

Read More

સુરત, તાપી જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ (લમ્પી વાયરસ) એ ફરી એકવાર માથું ઉચક્યું છે. જીલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ અને નિઝર સહિતના તાલુકાના ૨૦ ગામોમાં આ વાયરસના લક્ષણો ધરાવતી ગાયો મળી આવી છે.હાલમાં કુલ ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૬ પશુઓ રિકવર થઈ ચૂક્યાં છે. રાહતની બાબત એ છે કે અત્યાર સુધી આ રોગને કારણે કોઈ પશુના મૃત્યુ નથી નોંધાયું.તાપી જીલ્લામાં ખેતી પછી પશુપાલન એ લોકોનો.મુખ્ય વ્યવસાય છે ત્યારે તાજેતરમાં પશુઓમાં થતો રોગ લમ્પી વાયરસે તાપી જિલ્લામાં પગ પેસારો કરીને પશુપાલકોની ચિંતામાં વધારો કરી દીધો છે.બીજી તરફ પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે અને અત્યાર…

Read More

Farmer Union Protest Threat: ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચ વર્તાઇ રહી છે પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. ઠેર ઠેર ખાતર માટે લાઇનો લાગી છે. ખાતર ન મળતાં હવે કિસાન સંઘ મેદાને પડ્યું છે. કિસાન સંઘે ચિમકી ઉચ્ચારી છેકે, ખાતરનું બેફામપણ કાળાબજાર થઇ રહ્યાં છે. જો ખાતરની સમસ્યાનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે. ખાતરના પૂરતા સ્ટોકના દાવા વચ્ચે ખેડૂતો લાલઘૂમ, આંદોલનની ચીમકી છેલ્લાં કેટલાંય દિવસોથી ખાતર માટે ખેડૂતો ફાંફા મારી રહ્યાં છે. સહકારી મંડળીઓ પર ખાતર મેળવવા લાઇનો લાગી છે ત્યારે કિસાન સંઘના નેતાઓએ આક્ષેપ કર્યો છેકે, સબસીડાઇઝ્‌ડ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેચી દેવાય છે. આ ઉપરાંત ખાતરના વિતરણમાં…

Read More