આણંદ, આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ થઈ છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના મોતીપુરા (આનંદપુરા)ના ત્રણ શખ્સોએ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી હતી. રૂ. ૨.૯૨ કરોડ મેળવી લઇ બનાવટી સોનાના બિસ્કીટ આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.તારાપુર તાલુકાના આદરૂજ ગામમાં રહેતા ૩૩ વર્ષીય ભરતભાઈ ભનાભાઈ ભરવાડ હાલમાં આણંદના મોગરી ગામમાં પરિવાર સાથે રહે છે અને ખેતી કરે છે. ભરતભાઈ ભરવાડને જાન્યુઆરી-૨૦૨૪માં અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણભાઇ ભરવાડ, મેહુલ લક્ષ્મણભાઇ ભરવાડ અને વિક્રમ ગોરાભાઈ ભરવાડે સસ્તા ભાવે…
Author: gujarat
મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું પરંતુ ગત એક ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ મોકલવાને બદલે લીબિયામાં લઈ જઈ બંધક બનાવી લેવાયું છે.બંધકોને છોડાવવા માટે એક કરોડથી વધુ ખંડણી માગવામાં આવતાં બંધકના પરિજનો ચિંતામાં મુકાઈ ગયા છે. તેમણે મહેસાણા કલેક્ટરને મળી અપહ્યુતોને છોડાવવા મદદ માગી છે. આ અંગે મળતી માહિતી મુજબ, બાદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન પોતાની ૩ વર્ષની દીકરી દેવાંશી સાથે પોર્ટુગલમાં જવા માટે ગત ૨૯મી નવેમ્બરના રોજ નીકળ્યા હતા. તેઓ એક ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા.જોકે, આ દંપતીને છેતરીને પોર્ટુગલ મોકલવાને બદલે…
નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ અને સીઆઈડી ક્રાઈમની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલી તપાસમાં નડિયાદના દેસાઈ વગો વિસ્તારમાં રહેતી એક મહિલાના બેન્ક ખાતાનો ઉપયોગ દેશના વિવિધ રાજ્યોમાં છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.આ મામલે નડીઆદ ટાઉન પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એસ.જી.ઝાલાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતી બેન્કોના મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે આપેલા કે શંકાસ્પદ ખાતા) અંગેની તપાસ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કના એક ખાતા નંબર પર શંકા ગઈ હતી. આ અંગે સાયબર ક્રાઈમ…
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની ટીમે ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તારાપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તારાપુરના ખાનપુર ગામના મેડિકલ ઓફિસરને સાંઠ ગામે બે શખ્સો ડિગ્રી વિના અને અન્યના નામની ડિગ્રી આધારે લોકોની સારવાર કરતા હોવાની માહિતીને આધારે પીએચસી ખાનપુરના મેડિકલ ઓફિસર તેમજ તારાપુર પોલીસ મથકના માણસોએ બાતમી મુજબના સાંઠ ગામની ચોકડી સીતારામ મઢુલી પાસે આવેલ દુકાનમાં છાપો મારતા આ દુકાનમાં પોતે કોઈ જ ડોક્ટરની ડિગ્રી કે સર્ટી ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દવાઓથી સારવાર કરતા શનાભાઇ ભીખાભાઈ(રહે.…
અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે રિટની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠ સમક્ષ થઇ હતી.જેમાં નડાબેટના સંદર્ભમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, પાંચ લાખ પક્ષીઓનું વસવાટ ધરાવતાં ‘નડાબેટ’નો ૯૦ ટકા ભાગ ભારતમાં હોવા છતાં તેને સંરક્ષિત ‘રામસર સાઇટ’ જાહેર કરાતો નથી. જ્યારે ૧૦ ટકા ભાગ ધરાવતાં પાકિસ્તાને ૨૦૦૨માં ‘નડાબેટ’ને રામસર સાઇટ જાહેર કરી દીધી છે.આ મામલે સુનાવણીના અંતે ખંડપીઠે રાજ્ય સરકારના વન્ય વિભાગના ચીફ સેક્રેટરીને તમામ મુદ્દે વિસ્તૃત સોગંદનામું કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યાે છે. આ…
અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટનું અવલોકન હતું કે, આરોપીઓ સામે ચાર્જળેમ કરવા માટેના પુરતા પુરાવા છે. જયારે કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સીઈઓ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી હુકમ માટે ૧૬મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.આ કાંડમાં હોસ્પિટલે કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યા હતા.આ મામલે ડો. સંજય અને રાજશ્રી કોઠારીએ ડિસ્ચાર્જ અરજી કરી હતી.જેમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યુ હતુ કે, આ આરોપીઓ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સ હોવાથી આર્થિક રીતે…
પશુપાલકશ્રીગોપાલભાઈરબારીનીદેશીગાયનેદોહી ભારતીયસંસ્કૃતિમાંગાયનામહત્વનેઉજાગરકરતારાજ્યપાલરાજ્યપાલશ્રીએખેડૂતશ્રીનટુભાઈલવજીભાઈરોહિતના ઘરેરાત્રીભોજનલઈસામાજિકસમરસતાઆપ્યોદાખલોરાજ્યપાલશ્રીઆચાર્યદેવવ્રતજીએઆણંદજિલ્લાનાસોજીત્રાતાલુકાનાપલોલગામનીમુલાકાતલઈગ્રામીણસંસ્કૃતિનેમાણીહતી.રાજ્યપાલશ્રીએપલોલગામનાખેડૂતો,પશુપાલકોનીમુલાકાતલઈસ્વચ્છતા,પશુપાલનઅનેપ્રાકૃતિકખેતીવિષયોપરવાતચીતકરીહતી.રાજયપાલશ્રીએપલોલગામનાપશુપાલકઅનેખેડૂતશ્રીગોપાલભાઈરબારીનીદેશીગાયનેદોહીભારતીયસંસ્કૃતિમાંગાયનામહત્વનેઉજાગરકર્યુંહતુ.તેમણેગોપાલભાઈદ્વારાકરવામાંઆવતાગૌસંવર્ધનનુંપ્રત્યક્ષનિદર્શનકર્યુંહતું.આઉપરાંતતેમણેપલોલગામમાંપશુપાલનવ્યવસાયબાબતેવાતચીતકરીહતી.સાથેજપ્રાકૃતિકકૃષિમાંદેશીગાયનામહત્વવિશેપણમાર્ગદર્શનઆપ્યુંહતું.વધુમાંરાજ્યપાલશ્રીએપલોલગામેસામાજિકસમરસતાનીમિશાલઆપતાગ્રામીણશ્રીનટુભાઈલવજીભાઈરોહિતનાઘરેરાત્રીભોજનલીધુંહતું.રાજ્યપાલશ્રીનેદાળભાત,તુવેરપાપડીનુંશાક,રોટલીઅનેદૂધપીરસવામાંઆવ્યુંહતું.ભોજનદરમિયાનરાજ્યપાલશ્રીએવડીલસહજભાવેપરિવારનીવિગતોમેળવીપરિવારનાબાળકોનેભણીગણીનેઉજ્જવળભવિષ્યબનાવવાપ્રેરણાપૂરીપાડીહતી..રાજ્યપાલશ્રીએઆતિથ્યસત્કારબદલપરિવારનોઆભારમાન્યોહતો..આઉપરાંતરાજ્યપાલશ્રીએનટુભાઈનાઆડોશપડોશમાંરહેતાલોકોસાથેપણચર્ચાકરીનેતેમનીસાથેશુભેચ્છામુલાકાતકરીહતી.આણંદજિલ્લાનાસોજીત્રાતાલુકાનાપલોલગામનીમુલાકાતેપધારેલારાજ્યપાલશ્રીઆચાર્યદેવવ્રતજીએગ્રામજનોસાથેમળીસફાઈકરીહતી.રાજ્યપાલશ્રીએઝાડુંલગાવીગ્રામજનોનેસ્વચ્છતાનુંમહત્વસમજાવીસ્વચ્છભારતનોસંદેશઆપ્યોહતોસાથેજગામનાસફાઈકર્મીઓનુંપણજાહેરમાંસન્માનકરીતેમનોઉત્સાહવધાર્યોહતો.આતકેરાજ્યપાલશ્રીઆચાર્યદેવવ્રતજીએસ્વચ્છતા,વ્યસનમુક્તિ,સામાજિકસમરસતા,આરોગ્ય,પર્યાવરણઅનેપ્રાકૃતિકખેતીજેવામુદ્દાઓપરજનજાગૃતિવધેતેવુંસૂચનકર્યુંહતું..રાજ્યપાલશ્રીએજણાવ્યુંહતુંકેઆજેભણેલાગણેલાલોકોમાંવ્યસનનુંપ્રમાણવધવુંએચિંતાજનકબાબતછે.જોમોટાલોકોસ્વયંસારાકામોકરશેતોનાનાબાળકોમાંસુટેવોકેળવાશે.આચાર્યશ્રીદેવવ્રતજીએપલોલનેસ્વચ્છગ્રામબનાવવાસૌગ્રામજનોનેકાર્યાન્વિતથવાઅપીલકરીહતી.આમાટેગામનીપ્રત્યેકશેરીદીઠસ્વચ્છતાનીટુકડીઓબનાવીઆયોજનપ્રમાણેકામકરવાસૂચનકર્યુંહતું.
એજન્સી) કલોલ, ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં ૫ શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક અને તેના મિત્રો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ આરોપી રિક્ષામાં આવીને ઘટનાને અંજામ આપ્યું હતું.સમગ્ર મામલે કલોલ શહેર પોલીસે પાંચેય આરોપી વિરૂદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં શનિવારે (૧૩ ડિસેમ્બર) પુત્રની સામે જ પિતાની તેના જન્મદિવસે ધાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.પોલીસ ફરિયાદ મુજબ ગત ૧૦ ડિસેમ્બરના રોજ મૃતક ખેંગાર સવાભાઈ પરમારના મિત્ર અશોકજી ઠાકોરના દીકરાના લગ્ન…
(એજન્સી)જુનાગઢ, સિંહ ક્યારે માનવોનો શિકાર કરતા નથી, ન તો માણસો પર હુમલો કરે છે. ગીરના જંગલમાં સિંહો અને માણસો અરસ-પરસ રહે છે તેવા અસંખ્યા દાખલા છે. પરંતુ અમરેલીના સિંહો માનવ લોહી ચાખી ગયાનું લાગી રહ્યું છે.અમરેલીમાં સિંહોના માણસો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીમાં સિંહે ખેત મજૂર પર હુમલો કર્યાની ઘટના બની છે. એક મહિનામાં સિંહના હુમલાની બનેલની આ ચોથી ઘટના છે.અમરેલીના વિઠલપુર સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહ દ્વારા ખેત મજૂર પર હુમલો કરાયો છે. વાડીમાં પાણી વાળવા જતા સિંહ ઓચિંતા સામે આવી જતા હુમલો કર્યો હતો. મજૂર કેરમ નાયક (ઉંમર ૨૭ વર્ષ) ઈજાગ્રસ્ત થતા અમરેલી હોસ્પિટલમાં સારવાર…
(એજન્સી)અમદાવાદ, શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે. આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે. થોળ પક્ષી ગણતરીના ડેટા પર નજર કરીએ તો, ૨૦૦૪ અને ૨૦૨૪ વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે.વર્ષ ૨૦૦૪માં અહીં કુલ ૧૮,૩૭૨ (અઢાર હજાર ત્રણસો બોતેર) પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૪માં આ આંકડો ત્રણ ગણો વધીને ૫૫,૫૮૯ (પંચાવન હજાર પાંચસો નેવ્યાસી) પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે થોળ હવે આંતરરાષ્ટ્રીય પક્ષીઓ માટે એક…
