Author: gujarat

AAP Top 10 Leaders in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને ભાજપના અભેદ્ય ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) પાંચ વર્ષ પહેલા નગર નિગમની ચૂંટણીઓથી ગાબડું પાડ્યું હતું. સુરતમાં ૨૭ બેઠકો જીત્યા બાદ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૪ ટકા મતો સાથે પાંચ બેઠકો જીતીને પાર્ટીએ સૌને ચોંકાવી દીધા હતા, કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાતમાં કોઈપણ ત્રીજા પક્ષનું આ સૌથી મજબૂત પ્રદર્શન હતું. મુંબઈ સહિત મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાઓના પરિણામો જાહેર થયા બાદ ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેજરીવાલે ૨૦૨૭માં ભાજપને હરાવી દેવાની હુંકાર ભરી છે.ત્રણ દિવસીય મુલાકાતે ગયેલા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં પરિવર્તનનો શંખનાદ કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં યોજાશે, પરંતુ…

Read More

ઉત્તર-પૂર્વ ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વયથી સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરતી આમંત્રણ કિટઅરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાની પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરાઈ૩૫૦ જેટલા કારીગરો દ્વારા ૯૫૦ જેટલી કિટ તૈયાર કરીને રાષ્ટ્રપતિ ભવન મોકલાઈઅમદાવાદ, દેશના ૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ સમારોહની આમંત્રણ કિટની ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વયથી તૈયાર કરવામાં આવેલી આ કિટ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે.આ અંગે વિગતો આપતાં NID, અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે છેલ્લાં…

Read More

અમદાવાદ, શહેરીજનોને ખાણીપીણીજન્ય રોગચાળાથી બચાવવા માટે મ્યુનિ.એ પાણીપૂરીની લારીઓ સામે વ્યાપક ઝુંબેશ જારી રાખતાં જુદા જુદા વિસ્તારોમાંથી ૭૦થી વધુ લારી જપ્ત કરવાની સાથે વાસી અને બિનઆરોગ્યપ્રદ બટાકા-ચણા વગેરેનો નાશ કરાવ્યો હતો.મ્યુનિ. હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, અત્યંત ખરાબ વાતાવરણમાં અને બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ વાપરી બનાવાતી પાણીપૂરી શહેરીજનોને કમળો, ટાઇફોઇડ સહિતનાં રોગચાળાનો ભોગ બનાવી શકે છે.તેથી મ્યુનિ.કમિશનરની સૂચના મુજબ, તમામ ઝોનમાં જાહેર માર્ગાે ઉપર ઉભી રહેતી પાણીપૂરીની લારીઓમાં ચેકિંગ કરી હાઇજેનિક કન્ડિશન, પાણીપૂરીનાં પાણી, બટાકા-ચણા, તીખી-ગળી ચટણી વગેરેનુ ચેકિંગ કરવાની કાર્યવાહી કરવાની સાથે સાથે એસ્ટેટ ખાતાએ રોડ ઉપર દબાણ કરતી લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.તેમણે કહ્યું કે, મ્યુનિ. ફૂડ વિભાગની…

Read More

અમદાવાદ, રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે.વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ નિર્ણય કરાયો છે. પેપરની પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારના પગલે હવે ૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવાઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરૂચિ કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. વર્ષ-૨૦૨૩થી સરકારે આ પરીક્ષાનું માળખું બદલી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી હતી.જે…

Read More

અમદાવાદ, રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદએ આપેલી સૂચના અનુસાર શિક્ષકોની લાયકાત નિયત કરવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા બ્રિજકોર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધો-૧થી ૫માં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકોએ છ માસનો બ્રિજ કોર્સ કરવો પડશે.ધો-૧થી ૫ના શિક્ષકો કે જેમની પાસે પીટીસીની ડિગ્રી નથી તેમને આ બ્રિજ કોર્સના આધારે પ્રમાણપત્ર આપવામાં આવશે. હાલમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઈન મોડમાં કોર્સ શરૂ કરવામાં આવશે. રાજ્યની ખાનગી શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા…

Read More

અમદાવાદ, અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બીઆરટીએસ કોરિડોરમાં પુરપાટ ઝડપે જઈ રહેલું મોપેડ અચાનક લોખંડની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલી પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી અનુસાર, આસ્ટોડિયા દરવાજા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલા મોપેડચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. મોપેડ સીધું જ કોરિડોરની સાઈડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.આ ટક્કર એટલી જોરદાર હતી કે ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.મૃતકની પાછળ તેની નાની દીકરી બેઠી…

Read More

પ્રાંતિજ, પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પર વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા ટોલટેકસ પર ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે ટોલ મેનેજર રજા ઉપર હોવાથી કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવતી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, શુક્રવારની વહેલી સવારે કતપુર ટોલ પર ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો આવી પહોંચ્યા હતા અને ઓફિસમાં જઇ તમામ કર્મચારીઓના મોબાઇલ સહિત અન્ય જરૂરી દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા. જોકે કતપુર ટોલટેકસના મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી રોહિતભાઇ શર્મા છેલ્લા ૬ દિવસથી સામાજિક કારણોસર રજા ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો પણ મીડિયા સમક્ષ…

Read More

મહેસાણા, મહેસાણા તાલુકાની એક સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા ૪૨ વર્ષના રાજસ્થાનના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ૩૦ વર્ષની સખત કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડતો ચૂકાદો આપ્યો છે.મહેસાણા તાલુકાની એક ૧૪ વર્ષ ૧૧ માસની સગીરાની માતા ગત તા.૯-૨-૨૫ના રોજ બજારમાં ગયેલી હતી ત્યારે સગીરા તેના પિતાને હું માતા પાસે જઉંછું તેમ કહીંને ઘરેથી નીકળી હતી. જો કે, સગીરા તેની માતા પાસે ગઈ નહોતી અને તપાસ કરવા છતાં સગીરાની કોઈ ભાળ મળી નહોતી.તપાસ દરમિયાન રાજસ્થાનના બ્યાવર જિલ્લાના જૈતારણ તાલુકાનો વતની અને આંબલિયાસણ ખાતે પિન્કસિટી બંગ્લોઝમાં રહેતો ગોસ્વામી સત્યનારાયણ ખીયાવત (ઉં.વ.૪૨) સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાનું ખુલ્યું હતું.પોલીસે નાસતા ફરતા…

Read More

એક જ વર્ષમાં 54 હજારથી વધુ સફળ ઓપરેશન અને 34 લાખથી વધુ લેબ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતાનો પુરાવો‘લાખો દર્દીઓ, એક વિશ્વાસ‘ – વર્ષ 2025માં અંદાજે 3.98 લાખ એક્સ-રે અને 24 હજાર સીટી સ્કેન સાથે નિદાન ક્ષેત્રે સિવિલની અનોખી સિદ્ધિવર્ષ 2025ના આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ :- ડૉ.રાકેશ જોષી, સિવિલ સુપ્રીટેન્ડેન્ટઅમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે માત્ર એક સરકારી આરોગ્ય સંસ્થા નહીં, પરંતુ લાખો નાગરિકોના વિશ્વાસ અને તેમના આરોગ્યની આશાનું કેન્દ્ર બની છે. રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સૌથી મોટી અને વિશ્વસનીય સંસ્થા તરીકે કાર્યરત સિવિલ હોસ્પિટલ, અમદાવાદની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાના આંકડા તેની સેવાની સાક્ષી પૂરી…

Read More

મોડાસા, અરવલ્લીના ભિલોડાની આર.જી. બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભિલોડા ભાજપના યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર માર્યાે હતો. આ મામલે દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે શુક્રવારે (૧૬મી જાન્યુઆરી) શામળાજી અને ભિલોડાના બજારે સજ્જડ બંધ રહ્યાં હતા.જેના પગલે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરીને ન‹સગ કોલેજમાં અભ્યાસ કરતા ભિલોડાની આર.જી. બારોટ વિદ્યાર્થીને નવમી જાન્યુઆરીના રોજ કોલેજ બસના ડ્રાઇવર સાથે થયેલી બોલાચાલી બાદ ટ્રસ્ટી અને ભિલોડા ભાજપ તાલુકા યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે વિદ્યાર્થીને લાકડી વડે ઢોર મારમારી ગાલ પર લાફા મારી જાતિ પત્યે અપમાનિત શબ્દો કહ્યાં હતા.ટ્રસ્ટીના મારથી ઘવાયેલા વિદ્યાર્થીને માથામાં દુઃખાવો ઉપડતા હિંમતનગર સિવિલમાં સારવાર માટે…

Read More