Author: gujarat

ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ હેઠળ ટ્રાયલ ચલાવવા આદેશ: લાલચ આપી ૧૦૦ હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યાનો આરોપ(એજન્સી) અમદાવાદ, નર્મદા જિલ્લાના આમોદ તાલુકામાં અંદાજે ૩૭ આદિવાસી પરિવારોના ૧૦૦ જેટલા હિન્દુઓને કથિત રીતે લાલચ આપી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવવાના ગંભીર આરોપમાં સંડોવાયેલા બે મૌલવીઓને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગીતા ગોપીની ખંડપીઠે કોઈપણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.હાઈકોર્ટની ખંડપીઠે આ મામલે જણાવ્યું હતું કે, રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો જોતા આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે તેથી તેમને આ તબકકે નિર્દોષ જાહેર કરી શકાય નહી. હાઈકોર્ટે આ કેસના આરોપી મૌલવીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે.આરોપી મૌલવીઓ સરફરાઝ…

Read More

બે મહિનાથી પાણી માટે તરસતા ગ્રામજનો, વાસ્મોની લાઈનમાં ૧૦૦થી વધુ લીકેજનો આક્ષેપદહેગામ, દહેગામ તાલુકાના કાલીપુરા તાબે સાપા ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક બાજુ ચૂંટણીના બ્યુગલ ફુંકાઈ ચૂકયા છે ત્યારે બીજી બાજુ ગામના લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે,જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ સર્જાયો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે.ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત દહેગામ તથા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ‘જળ જીવન…

Read More

કલોલ પંચાયત અને પાંચ સરપંચ તેમજ સભ્યનો પ્રદેશ પ્રમુખને પત્રગાંધીનગર, ગાંધીનગર જિલ્લા પંચાયતની પલિયડ બેઠક ઉપર મુળ કોંગ્રેસના આયાતી ઉમેદવાર પટેલ નીતિનભાઈ નારણદાસ સામે ભાજપમાં વિરોધનો વંટોળ ફૂકાયો છે.કલોલ તાલુકા પંચાયત અને પ ગામના સરપંચ તેમજ સભ્ય સહિત સેંકડો કાર્યકરો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ મોવડીઓને પત્ર લખી આયાતી ઉમેદવારોની પસંદગી સામે વિરોધ ઉઠાવી નારાજગી વ્યકત કરી છે. જો પાયાના કાર્યકરોની લાગણીનો અનાદર કરવામાં આવશે તો પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થશે તેવી પણ ચીમકી પણ આપવામાં આવી છે.કલોલ તાલુકા પંચાયતના સભ્ય કનુજી ચાવડા, ગોવિંદપુરા (વેડા), ખોરજ ડાભી, વેડા ગામ, મોખાસણ ગામ અને નવા ગામ સહિત અન્ય ગામના સરપંચો અને સભ્યોએ પ્રદેશ ભાજપ…

Read More

અમદાવાદ: અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડનારા એકમો સામેના કડક અભિયાન હેઠળ, ગોતા ચાર રસ્તા પાસે આવેલા એક ટી સ્ટોલ પાસેથી રૂ. 1,00,000 (એક લાખ) નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ગોતા ચાર રસ્તા પાસે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ લાખોના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ જાહેર મિલકતની પરવા કર્યા વગર ‘બજરંગ ટી સ્ટોલ’ નામના એકમ દ્વારા રોડના ભાગને તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે આ બાબત સત્તાવાળાઓના ધ્યાને આવી, ત્યારે સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી…

Read More

વકીલો-પક્ષકારોની તબીયત પણ આકરી ગરમીના કારણે લથડતી હોય છે-દરરોજ ૧પ હજાર જેટલા વકીલો, અસીલો, પોલીસ સહિતની અવર-જવર(એજન્સી)અમદાવાદ,ઘીકાંટામાં આવેલી ફોજદારી કોર્ટમાં ર૬ જેટલી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટોમાં એર કન્ડીશનર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ ઉનાળાની બળબળતી ગરમી શરૂ થઈ ગઈ હોવા છતાં ફોજદારી કોર્ટના સાત હજાર જેટલા વકીલો માટે બેઠક વ્યવસ્થામાં વર્ષોથી માંગણી છતાં હજુ સુધીએસીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી.જેને લઈ વકીલોમાં ભારે નારાજગી પ્રવતી રહી છે. ફોજદારી કોર્ટના ચોથા માળ પર વકીલોની બેઠક વ્યવસ્થાના જુદાજુદા બ્લોક આવેલા હોવાથી ત્યાં એર કન્ડીશનરની સુવિધાયુકત બેઠક વ્યવસ્થા આપવાની માંગણી કરતાં બ્રીજ અનીલ કેલ્લાએ જણાવ્યું હતુંકે ફોજદારી કોર્ટના સાત હજાર વકીલોની આ માંગણી…

Read More

રિક્ષામાં પેસેન્જરના સામાનની ચોરી કરતી ગેંગની નવી મોડસ ઓપરેન્ડી(એજન્સી)અમદાવાદ, શહેરના ઠેકઠેકાણે રીક્ષાના બેસતા પેસેન્જરના કિમતી સામાન સહીતની ચીજવસ્તુઓની ચોરીના કિસ્સાઓ તથા રિક્ષામાં બનતા અન્ય ગુનાઓ પર કાબુ મેળવવા માટે ઈને શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ચાલકે રીક્ષાના આગળના તથા પાછળના ભાગે ચોકકસ નંબર તથા પોલીસ સ્ટેશનનું નામ લખવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.જેના લીધે રીક્ષામાં બનતા ગુનાઓ પર આંશીક અંકુશ યાદી શકાયો છે. પરંતુ પોલીસને આ નવી ટેકનીકને માત આપવા માટે ગુનેગારોએ ચાલકી અપનાવી છે. જયારે પણ ગુનાને અંજામ આપવાનો હોય ત્યારે પોલીસના સ્ટીકર લગાડેલા હોય નહી તેવી જ રીક્ષાનો ઉપયોગ કરે છે. અથવા તો…

Read More

યુએસ-ઈરાન યુદ્ધની અસર ગુજરાતમાં વર્તાઈઃ ઈવીના વેચાણમાં પર%નો વધારો(એજન્સી)અમદાવાદ, ઈરાન-ઈઝરાયેલ અમેરીકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સમગ્ર અખાતી દેશોમાં હુમલા થઈ રહયા છે. આ અસ્થિર પરીસ્થિતીને કારણે દુનિયાભરમાં ફુડના સપલાય પર અસર પડી રહી છે.હવે ગ્રાહકો નવા વાહનને ખરીદી વખતે પેટ્રોલ-ડીઝલને બદલે ઈલેકટ્રીક વાહનો પર ભાર મુકી રહયા છે. જેના કારણે માર્ચ ર૦રપની સરખામણીમાં માર્ચ ર૦ર૬માં ઈવીના વેચાણમાં પર ટકાનો વધારો નોધાયો છે. ગયા વર્ષે માર્ચ મહીનામાં પ,ર૭૧ વાનો વેચાયા હતા. જયારે ચાલુ વર્ષે માર્ચમાં આ આંકડો વધીને ૧૧,૧ર૬ થયો છે. સાથે સાથે ઈવીની ઈન્કવાયરીમાં ર૦૦થી૩૦૦ ટકાનો વધારો નોધાયો છે. જેમાં આગામી દિવસોમાં વધુ વધારો થવાની શકયતા છે.દુનિયાભરમાં લોકો પોતાના…

Read More

તમે જ કહો કોની ભૂલ આમાં? Ahmedabad AMTS Bus Accidentશાહ આલમ ટોલ નાકા પાસે AMTS બસે મોપેડને અડફેટે લીધું, બે યુવતીઓ ઈજાગ્રસ્તરસ્તા પર ઉભા રહીને વાત કરવાની, ગમે ત્યાં વાહન પાર્ક કરવાની લોકોની આદતોને કારણે અમદાવાદમાં એસટી અને એ.એમ.ટી.એસ. ના ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ટુ-વ્હીલર ચાલકો રસ્તાની વચ્ચે વાહનો ચલાવતાં હોય છે જેને કારણે પણ અકસ્માતના બનાવો બને છે.અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહ આલમ ટોલ નાકા પાસે આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી AMTS બસે એક મોપેડને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડ પર સવાર બે…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે. અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્સો માનવામાં આવતો હતો, તેમાં હવે ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા રહસ્ય વધુ ગૂંચવાયું છે.ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીઓના માતા-પિતા, વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ રિપોર્ટમાં બંનેના લોહીમાં ઊંઘની દવાના અંશો અથવા તે પ્રકારનું કન્ટેન્ટ મળી આવ્યું છે. જોકે, પોલીસ હજુ સત્તાવાર રીતે એફએસએલના ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં…

Read More

ઈસનપુરમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવા એંધાણ(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવાસદનની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે પરંતુ માહોલ જામી રહયો નથી તેમ જણાઈ આવે છે. અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. તેમાં પણ ખાડીયા જેવા વોર્ડ તેના કાયમી ગઢ ગણાય છે આવો જ એક ગઢ ઈસનપુર પણ છે જયાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કયારેય પરાજય થયો નથી.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ઈસનપુર વોર્ડનો ૧૯૮પ-૮૬માં સમાવેશ થયો હતો. ૧૯૮૭માં થયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેશના સૌથી નાની વયના સરપંચ તેવા દક્ષેશ મહેતાને ટીકીટ આપી હતી તેમની સાથે રાજકારણમાં બિલકુલ નવા કહેવાય તેવા ગોવિંદભાઈ ઠાકોરને પણ ટિકિટ આપી હતી તેની…

Read More