અમદાવાદ, અમદાવાદની સ્પેશિયલ જીપીઆઈડી કોર્ટે રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગંભીર આરોપોમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને ખાસ જજ કે.એમ. સોજીત્રાએ આ કેસના આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ ભાવસારને તેમના વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા ન મળતા તમામ આરોપોમાંથી ડિસ્ચાર્જ (મુક્ત) કર્યા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, શંકાસ્પદ પુરાવાઓના જોરે ટ્રાયલ ચલાવવી અયોગ્ય છે, શૈલેષભાઈ ભાવસાર વિરુદ્ધ જીપીઆઈડી એક્ટની કલમ ૩, આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કોઈ કેસ બનતો નથી.આથી, કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી દીપેન ભાવસાર અને…
Author: gujarat
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી અને કિફાયતી સુવિધા આપવાના હેતુથી અમદાવાદ અને પટણા વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનને હવે નિયમિત કરી ‘અમૃત ભારત એક્સપ્રેસ’ (Amrut Bharat Express) તરીકે સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અમદાવાદ મંડળથી ઉપડનારી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ હશે, જે ગુજરાત અને બિહાર વચ્ચેના રેલ જોડાણને નવી ઊંચાઈ પર લઈ જશે.રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, આ ટ્રેન સાપ્તાહિક ધોરણે નીચે મુજબના સમયપત્રક સાથે દોડશે:આ ટ્રેન તેના લાંબા પ્રવાસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મહત્વના શહેરોને જોડશે. માર્ગમાં આ ટ્રેન આણંદ,…
સરકારી હાઈસ્કૂલ બંધ થયાને વર્ષો થઈ ગયા પણ તેના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા તોતિંગ મકાનનુ શું કરવું એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય સરકાર લઈ શકી નથી.ગાંધીનગર, ગુજરાત સરકારની શિક્ષણનિતિની એ બલિહારી છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ અસ્તિત્વ નથી ધરાવતી.જરાય સાચુ માનવાનું મન ન થાય એવી એક વાત તો એ છે કે સરકારના એક પ્રીતિપાત્ર આઈ.એ.એસ.અધિકારીની પત્નીની સ્કૂલ વધુ સારી રીતે ચાલે અને એ સંસ્થાને સંખ્યા મળી રહે એ માટે ગાંધીનગરની તમામ હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે!એ ઉપરાંત વધુ કમનસીબી શરમજનક વાત તો એવી છે કે બંધ કરેલી હાઈસ્કૂલના સુવિધાયુકત અને તોતિંગ મકાનોનું શું કરવું તે…
તેમની સાદગીની ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યાના બીજા જ દિવસે તેઓ નિયમિત કામે વળગી ગયા હતા. અમદાવાદ, અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં અનેક નવા અને આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ રાજકીય પક્ષો સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા સ્ટાર્સને મેદાનમાં ઉતારી રહ્યા છે, ત્યાં બીજી તરફ અમદાવાદના શાહપુર વોર્ડમાં કોંગ્રેસે એક સામાન્ય શ્રમજીવી મહિલાને ટિકિટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.રવિવારી ગુજરી બજારમાં પાથરણું પાથરીને રોજીરોટી કમાતા આશાબહેન દંતાણીને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આશાબહેન દંતાણી છેલ્લા ૨૦ વર્ષથી સાબરમતી નદીના કિનારે ભરાતી પ્રસિદ્ધ ગુજરી બજારમાં જૂની-નવી વસ્તુઓ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની…
ઉત્તર ગુજરાત અરવલ્લી વન સંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા માઉન્ટ આબુ ખાતે પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યુંપાલનપુર, તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૬, ડીસાના પ્રસિદ્ધ વૈદ્ય શ્રી જીતુભાઈ પટેલ તથા તેમના ૧૦ જેટલા પ્રકૃતિ પ્રેમી સાથીઓના સહયોગથી ઉત્તર ગુજરાત અરવલ્લી વનસંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા “ચાલો પર્વતોની અનમોલ સૃષ્ટિને ઓળખીએ” એવા પ્રેરક સૂત્રને સાર્થક કરતી બે દિવસીય પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિર તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે તા. ૪ અને ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાઈ ગઈ હતી.રાજ્યભરમાંથી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા આશરે ૭૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓએ આ શિબિરમાં હોંશભેર ભાગ લીધો હતો. અરવલ્લી પર્વતમાળાને ધ્યાનમાં રાખીને આ સ્થળને વિશેષ…
રાજ્યમાં સેમિકન્ડક્ટર-ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો-EV-રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈનથી પ્રોડક્શન ઈકોસિસ્ટમ સંગીન બનાવતું વધુ એક મહત્વપૂર્ણ કદમસેમિકન્ડક્ટર હબ બનવાની ગુજરાતની યાત્રાને વેગ મળશે -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. સંપન્નભારત-ગુજરાત અને તાઈવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગ મજબૂત બનાવીને રૂ. 1000 કરોડથી વધુનું ડાયરેક્ટ FDI અને અંદાજે 12000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંકઅમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ…
ચૂંટણી પહેલા ભાજપને ઝટકો -જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોન કરી તૈયારી કરવાની સૂચના આપતાં જ ભાજપના જુના કાર્યકર અને પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ પહેરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ માંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે.તેમના આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ…
ઈમલા અને કાળીયો ગેંગના ૯ શખ્સો સામે કાર્યવાહીરાજકોટ, ગોંડલ પંથકમાં આંતક મચાવતી ‘ઈમલા ગેંગ’ અને ચોરી કરતી ‘કાળીયો ગેંગ’ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે. ઈરફાન ઉર્ફે ઈકુ કટારીયાની આનગેવાની હેઠળની ઈમલા ગેંગ છેલ્લા દસ વર્ષથી ખૂની હુમલા, મારામારી, હથિયાર અને દારૂ-જુગાર જેવા ૪૭ જેટલા ગંભીર ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરતી હતી.નિર્લિપ્ત રાય અને એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીની ટીમે ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં આ ગેંગના ૮ શખ્સો સામે ગુનો નોંધી ૬ આરોપીઓની ધરપકડ કરી છે, જયારે અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આ સપાટાથી સ્થાનિક ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુજસીટોક એટલે…
યસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા કરદાતાના બેન્ક ખાતામાં રૂ.૧૧.૮૬ અને ૮ કરોડ જમા કરાયા હતા-ખાતું પોતાનું નહીં હોવાનું યુવકે જણાવ્યું હતું.નડિયાદ, ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વડાબજાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને રમકડાનો ધંધો કરતા નાના વેપારીને ઈન્કમટેકસે રૂ.૧૯ કરોડથી વધુની નોટિસ ફટકારતા ચકચાર મચી છે. જે યસ બેન્કના ખાતાની લેવડ-દેવડને લઈને નોટિસ અપાઈ છે તે ખાતું પોતાનું નહીં હોવાનું યુવકે જણાવ્યું હતું.માંડ ગુજરાન ચલાવતા આ ગરીબ ફેરિયા ચિરાગભાઈ જગદીશભાઈ ભૈયાના બેન્ક ખાતામાં ૧૯ કરોડ ઉપરાંતનો અસ્પષ્ટ નાણાંકીય વ્યવહાર થયો હોવાનું ઈન્કમટેકસ વિભાગના ધ્યાનમાં આવ્યું છે જેથી ઈન્કમટેકસ વિભાગે નોટિસ આપી છે કે યસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા કરદાતાના બેન્ક ખાતામાં રૂ.૧૧.૮૬ અને…
બપોરે આપ પાર્ટીએ ટિકિટ આપી અને સાંજે પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપ્યુંસુરત, પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બપોરે વોર્ડ નં.૧રમાં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપી દીધું હતું.તો એ પૂર્વે પક્ષથી નારાજ પ૦૦થી વધુ કાર્યકર્તાઓએ આપ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટી દ્વારા તેઓની અવગણના કરવામાં આવતી હોવાના લીધે તમામ કાર્યકર્તાઓમાં લાંબા સમયથી નારાજગી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.જે લોકો આપ પાર્ટીમાં જોડાયા તેમાં ર૦ર૧માં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડનારા આહીર સમાજના અગ્રણી નીતાબેન બલદાણિયા તેમજ વોર્ડ નંબર- ૧માંથી ચૂંટણી…
