Author: gujarat

(એજન્સી)છોટાઉદેપુર, જિલ્લાના સરહદી હાંફેશ્વર ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષો સુધી રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ગ્રામજનો હવે ચૂંટણીનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે. “રોડ નહીં તો વોટ નહીં” ના સૂત્ર સાથે ગામના લોકોએ તંત્ર સામે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ હાંફેશ્વર ગામ આજે બે ભાગમાં વહેંચાયેલું છે. ગામની વચ્ચે પસાર થતી નદીના કારણે એક ભાગ વિકાસનો લાભ લઈ રહ્યો છે તો બીજો ભાગ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આ ગામને “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”માં હેરીટેજ…

Read More

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે એક ધાર્મિક આયોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના બની છે. ૮ એપ્રિલની રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રસાદીના નાસ્તા તરીકે સેવ-ખમણી પીરસવામાં આવી હતી. જે ખાધાના ગણતરીના સમયમાં જ ૬૦થી વધુ ગ્રામજનોને ઉલટી, ઉબકા અને ચક્કર આવવાની સમસ્યા શરૂ થઈ હતી.જોતજોતામાં અનેક લોકોની તબિયત લથડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બાળકો અને વૃદ્ધો સહિત ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વયસ્કોનો પણ સમાવેશ થાય છે. અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે કડીની ભાગ્યોદય હોસ્પિટલ તથા અન્ય ખાનગી દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા છે.હાલમાં ડોકટરો દ્વારા તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી…

Read More

અમદાવાદ, અમદાવાદમાં એન્જિનિયરિંગના કોચિંગ ક્લાસ ચલાવતા મૂળ વડોદરાના યુવાનનું નર્મદા પરિક્રમા કર્યા બાદ તબિયત લથડતા મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા માટે પોલીસે પીએમ પણ કરાવ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સિમરાજ એવન્યૂ ખાતે રહેતા દેવલ મહેન્દ્રભાઈ સુથાર(ઉ.વ. ૪૦) ઘાટલોડિયા વિસ્તારમાં જ શ્રીજી એન્જિનિયરિંગ ક્લાસના નામથી કોચિંગ ક્લાસ ચલાવતા હતા. તેઓ ગઈકાલે ત્રણ મિત્રો સાથે નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા.રામપુરા ઘાટ પાસેથી નર્મદા પરિક્રમા શરૂ કરી મોડી રાત્રે પૂર્ણ કર્યા બાદ રામપુરા ઘાટ પાસે જ મિત્રો સાથે બેસી આરામ કરી સવારે નીકળવાનું નક્કી કર્યું હતું. દરમિયાન તેઓ લઘુશંકા જવા માટે નીકળ્યા અને અચાનક ઢળી પડ્યા હતા. તેમને…

Read More

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યાે હતો અને સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક (રહેવાસી)ને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે.જસ્ટિસ એન.એસ.સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આમ, જીંઇ મામલે હાઈકોર્ટએ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક રહેવાસીને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, તેમાં શરત માત્ર એટલી જ છે કે,…

Read More

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આર્યસમાજ રોડને પહોળો કરવાના મ્યુનિસિપલ કોર્પાેરેશનના નિર્ણયને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ ૧,૦૦૦ જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા છે, જેને લઈને રહીશો હવે પાયમાલ થવાના ડરે વિરોધ કરી રહ્યા છે.આગામી ૨૬ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પાેરેશનનું મતદાન યોજાવાનું છે.આ મહત્વની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ કપાતનો મુદ્દો ઉછળતા સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રહીશોનો આરોપ છે કે, તેઓ નગર પંચાયતના સમયથી અહીં વસવાટ કરે છે, અને હવે અચાનક તેમના ઘર છીનવવાની તૈયારી થઈ રહી છે.કોર્પાેરેશન દ્વારા…

Read More

ગાંધીનગર, રાજ્યભરના વાતાવરણમાં મંગળવારે એકાએક પલ્ટો આવ્યો હતો. તેની વ્યાપક અસર ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાવાની સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એકાએક માવઠું થતાં માણસા માર્કેટયાર્ડમાં એરંડાની ૨૦૦થી વધુ બોરીનો જથ્થો તણાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.આ ઉપરાંત માણસા શહેરમાં મંગળવારે વરસાદ દરમિયાન મકાનની દીવાલ ધસી પડતાં એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ બનાવમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર માણસા શહેરમાં એલ.બી.આર.ડી. સ્કૂલ અને કુમારશાળા સામે આવેલા દંતાણી વાસમાં દીવાલ પડતાં તેના કાટમાળ નીચે દંતાણી કરણ અજીતભાઈ (ઉં.૧૨ વર્ષ) દબાઈ જતા…

Read More

પાલનપુર, પાલનપુર પંથકની સગીરાને ત્રણ વર્ષ પહેલાં તેના ઘરેથી અપહરણ કરી ભગાડી બે-બે વખત ગર્ભવતી બનાવનાર આરોપી વિરુદ્ધ પાલનપુરમાં બીજા એડિશનલ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદ તથા રૂ. ૧૪ હજારનો દંડ ફટકાર્યાે હતો.પાલનપુર પંથકની ૧૪ વર્ષની સગીરાને રેવાભાઇ રાજાભાઇ કોદારવી (રહે. પેથાપુર, તા. દાંતા) લલચાવી ફોસલાવી જલોત્રા, વડગામ તાલુકાના જૂની નગરી તેમજ પાટણ અને અમદાવાદ એમ અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવાર નવાર દુષ્કૃત્ય આચરી ગર્ભવતી બનાવી બે-બે સંતાનોની માતા બનાવી દીધી હતી.આ અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પેશિયલ (પોક્સો) કેસ નં. ૨૬/૨૦૨૫થી પાલનપુરના સ્પેશિયલ (પોક્સો) અને બીજા એડિશનલ સેશન્સ…

Read More

સુરત: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાના માત્ર ત્રણ મહિનામાં જ દક્ષિણ ગુજરાતના પરિવહન માળખામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાથી ઘેરાયેલા રહેતા નેશનલ હાઈવે-48 (NH-48) પર હવે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે હાઈવે અત્યારે ‘ડી-કન્જેસ્ટેડ’ (ટ્રાફિક મુક્ત) દેખાઈ રહ્યો છે.એક અવલોકન મુજબ, ખાસ કરીને નવસારી (ખારેલ)-સુરત-વડોદરા અને અમદાવાદ તરફ જતો મોટાભાગનો ટ્રાફિક હવે જૂના નેશનલ હાઈવેને બદલે નવા બનેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર શિફ્ટ થઈ ગયો છે. મુસાફરો અને ટ્રાન્સપોર્ટર્સ સમયની બચત અને અવરોધ વગરની મુસાફરી માટે એક્સપ્રેસવેને વધુ પસંદ કરી રહ્યા છે.NH-48 પર સૌથી વધુ અસર ટ્રકો અને ભારે વાહનોની અવરજવર પર પડી છે. અગાઉ…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી થવાનો મોટો બનાવ સામે આવ્યો છે.અજાણ્યા તસ્કરોએ સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખીને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આશરે રૂપિયા ૧૮,૭૨,૯૯૦ની કિંમતના કોપર વાયરના ૧૪૭ બંડલ ચોરી લીધા છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરી અંગે ચાંદખેડામાં રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અમિતકુમાર સવજીભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.તેઓ બોપલમાં ડી.પી.એસ. સ્કૂલ રોડ પર આવેલી નિર્માણાધીન સાઇટ પર ઇલેક્ટ્રિકલ વાયરિંગનું કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં કોપર વાયરના ભાવમાં સતત વધારો થતો હોવાથી તેમણે ડેવલપર દ્વારા…

Read More

કોન્ટ્રાકટરોની જવાબદારી નકકી કરવા એસઓપી બનાવવા આદેશઓક્સિજન પાર્ક અને સુંદરવનના ઝાડ સુકાઈ ગયા. અમદાવાદના બાગ બગીચાઓની માવજતમાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહયું છે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સ્મશાન, હોલ કે બગીચા આપવામાં આવે છે ત્યારબાદ તેની માવજત થાય છે કે કેમ એની કોઈ જ કાળજી લેવામાં આવતી નથી.આ ઉપરાંત આઉટ સો‹સગમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી હોવાથી અધિકારીઓને નાગરિકોની ફરિયાદનો ઝડપથી નિકાલ કરવા તાકીદ કરી હતી તેમજ મીડિયામાં આવતા નેગેટિવ ન્યુઝને લઈને કમિશનરે અધિકારીઓને આડા હાથે લીધા હતાં.મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ મીટીંગમાં છેલ્લા બે સપ્તાહથી મુખ્ય મુદ્દો ‘નો નેગેટિવ ન્યુઝ’ રહયો…

Read More