ગાંધીનગર, સાયબર ચીટરોએ ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસરને રૂપિયા ૧૧.૮૯ લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગઠિયા ટોળકીએ બેંક ખાતું ખાલી કરી પુરાવાનો નાશ કરવા મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો. સરગાસણમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર સાયબર ઠગાઈના હાઈટેક ળોડનો શિકાર બન્યા છે. વડોદરાથી સરગાસણ રહેવા આવેલા નિવૃત્ત પ્રોફેસર ડૉ. નિલાંબર દેવતા (ઉં-૭૦)ને ઇસ્ટાગ્રામ પર પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે.ડૉ. નિલાંબર ગત ૨૪ નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બેંક ઓફ બરોડાના પેન્શનર્સ કાર્ડની જાહેરાત દેખાતા તેમણે તેના પર ક્લિક કર્યું હતું. જેમાં ‘મેન્ડેટરી ફોર ઓલ એમ્પ્લોઈઝ’ લખેલું હોવાથી તેમણે…
Author: gujarat
અમદાવાદ, પશ્ચિમ રેલવેના કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને કારણે ૧૮મી જાન્યુઆરી સુધી બ્લોક લેવામાં આવ્યો હોવાથી આગામી દિવસોમાં અનેક ટ્રેનસેવા પ્રભાવિત થશે. મુસાફરોને નવા શિડ્યૂલને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ૧૦મી જાન્યુઆરીના રોજ વસઇ પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એટલે કે, આ ટ્રેન વસઇ રોડ-બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ જ રીતે ૧૧મી જાન્યુઆરીના રોજ ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઇ રોડથી જ ઓરિજિનેટ થશે.એટલે કે, આ ટ્રેન બોરીવલી-વસઇ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ સિવાય ૧૦મી જાન્યુઆરીએ ટ્રેન નં. ૧૨૯૦૨ અમદાવાદ-દાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૨૦ મિનિટ રિ-શિડ્યૂલ થશે. આ…
અમદાવાદ, શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગે પાણીના કેરબા-જગનો ધંધો કરનારાઓએ તેમનાં ધંધાનાં સ્થળે પાણીને બેક્ટેરીયા મુક્ત બનાવવા માટે ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે, અન્યથા તેમનાં ધંધાનાં સ્થળને સીલ મારી દેવાશે.મ્યુનિ. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઇ દાણીની ઉપસ્થિતિમાં ડે.કમિશનર ભરતભાઇ પરમાર તથા હેલ્થ ઓફિસર ભાવિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણીનાં જગ-કેરબાનાં ધંધાર્થીઓ સાથે ઝોનવાઇઝ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમુક ધંધાર્થીઓએ તેમનાં આરઓ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ હોવાનુ જણાવ્યું હતું.જે જગ્યાએ ક્લોરીનેશન સિસ્ટમ નથી તેમને ક્લોરીન મિક્સ કરતાં ડોઝર મશીન લગાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં ડોઝર નહિ લગાવાય તો ધંધાનાં…
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજી ખાતે ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અંદાજે કુલ ₹168 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ તથા કિશન મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આદિવાસીઓની સંસ્કૃતિ, કલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે.તેમણે શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવ સમગ્ર અરવલ્લી…
અમદાવાદ, દૂષિત પાણીના કારણે ગાંધીનગર શહેરના ૬થી વધુ વિસ્તારોમાં વકરી રહેલા ટાઇફોઇડના રોગચાળામાં ગુરૂવારે વધુ ૧૪ નવા કેસ નોંધાયા છે. તેની સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો છે.દર્દીઓના આ આંકડા મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલો અને નાના મોટા દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ધસારો હોવાની વાસ્તવિક સ્થિતિ પ્રવર્તે છે.જ્યારે હજુ પણ રોગચાળાગ્રસ્ત વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પણ દૂષિત પાણીની ફરિયાદો યથાવત છે. તે ઉપરાંત પાણી અને ગટરની લાઇનના લિકેઝ શોધવામાં તંત્રની ઢીલી નિતી સામે શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં સેકટર-૨૪, -૨૬, -૨૮, આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ ઉપર હજુ સુધી તંત્ર સંપૂર્ણ…
રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્‰જી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે…
ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવાર (પહેલી જાન્યુઆરી) વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જ્યારે એક ટ્રક રોંગ સાઈડથી પૂરઝડપે આવી રહી હતી. રોંગ સાઈડથી આવતી ટ્રકે સામેથી આવતી બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં…
Political Corruption in Gujarat: ચૂંટણી સમયે પ્રજાના દ્વારે જઈને આજીજી કરતા રાજનેતાઓ સત્તા મળતા જ ભ્રષ્ટાચારના માર્ગે વળી જતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. પ્રજાના વિકાસના નામે સત્તામાં આવતા નેતાઓ પોતાની સંપત્તિ વધારવામાં વ્યસ્ત થઈ જાય છે, જ્યારે સામાન્ય નાગરિક પાયાની સુવિધાઓ માટે ઝઝૂમતો રહે છે. દેશની જાહેર સંપત્તિઓને ખાનગી કંપનીઓના હવાલે કરવાની નીતિ અને ભ્રષ્ટાચારની ઉધઈ દેશના અર્થતંત્રને પોલાણ કરી રહી છે. સત્તામાં આવ્યા બાદ નેતાઓ પ્રજાના સેવક બનવાને બદલે શાસક બનીને પોતાની પેઢીઓ તરે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં મશગૂલ બની જાય છે.ગુજરાતના સાંસદોની મિલકતમાં કરોડોનો વધારોએસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં રિપીટ…
ગાંધીનગરમાં ટાઇફોઇડના ૧૪ નવા દર્દી સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો-ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ભારે ધસારો(એજન્સી)અમદાવાદ, દૂષિત પાણીના કારણે ગાંધીનગર શહેરના ૬થી વધુ વિસ્તારોમાં વકરી રહેલા ટાઇફોઇડના રોગચાળામાં ગુરૂવારે વધુ ૧૪ નવા કેસ નોંધાયા છે. તેની સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો છે. દર્દીઓના આ આંકડા મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલો અને નાના મોટા દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ધસારો હોવાની વાસ્તવિક સ્થિતિ પ્રવર્તે છે.જ્યારે હજુ પણ રોગચાળાગ્રસ્ત વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પણ દૂષિત પાણીની ફરિયાદો યથાવત છે. તે ઉપરાંત પાણી અને ગટરની લાઇનના લિકેઝ શોધવામાં તંત્રની ઢીલી નિતી સામે શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યાં છે.…
પાણીપૂરીનાં પાણી-ચટણી વગેરેનાં નમૂના લેવાની ઝુંબેશ પૂરજોશમાંજગ-કેરબામાં પાણી ભરી વેચનારાઓએ ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે -ટૂંક સમયમાં નિયમનો અમલ નહીં કરાય તો ધંધાનાં સ્થળોને સીલ મારવામાં આવશે તેમ સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી(એજન્સી)અમદાવાદ, પાણીપુરી બનાવવામાં સડેલા બટાકા તથા ગંદા પાણીના ઉપયોગથી રાજ્યનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું છે અને આ અંગે સ્થાનિક પ્રશાસન તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. હાલમાં પાણીપુરીની લારીઓ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેરબામાં પાણી ભરીને વેચનારાઓએ કલોરીનેશન સિસ્ટમ લગાવવાની ફરજિયાત કરવામાં આવી છે.શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને…
