જયપુર.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખનન કૌભાંડને લઈને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના નજીકના આઈએએસ અધિકારીઓના સ્થળો પર ઈડી દરોડા પાડી રહી છે. સાંસદ કિરોરી મીણાએ રાજસ્થાનના ખાણ કૌભાંડનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. તેને 50 હજાર કરોડથી વધુનું મોટું કૌભાંડ ગણાવાયું હતું. જેમાં ખાણ વિભાગમાં તૈનાત મુખ્યમંત્રીની નજીકના અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.