ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે, સ્થાનિક લોકોની મદદ પણ લેવામાં આવી રહી છે.
અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઈમારત ધરાશાયી થવાને કારણે 3 લોકો દટાઈ ગયા છે જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે. હજુ એક વ્યક્તિને બચાવવાની કામગીરી ચાલુ છે. ઇમારત જૂની અને જર્જરિત હોવાને કારણે આ ઘટના બની હતી.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુરના સ્વામિનારાયણ મંદિર પાસે આજે બપોરે એક ઈમારત ધરાશાયી થઈ છે.
બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ લોકો નીચે દટાયા હતા, જોકે બેને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ઈમારત ધરાશાયી થવાને કારણે ત્રણ લોકો દટાઈ ગયા હતા, જેના માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
બચાવાયેલા બે વ્યક્તિઓમાંથી એક મહિલા અને એક પુરુષને બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હાલમાં એક વ્યક્તિ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોની મદદ પણ લેવામાં આવી હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભીડને કાબૂમાં લીધી હતી.