લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપનું ‘ગાંવ ચલો અભિયાન’ શરૂ થઈ ગયું છે. જેની શરૂઆત ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડગામના જલોત્રા ગામે પહોંચીને કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ વિવિધ સમાજ અને વિવિધ વર્ગો સાથે બેઠક યોજી હતી. જેમાં ગ્રામજનોએ ભાજપની તરફેણમાં 100 ટકા મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ગામ ચલો અભિયાન પૂર્ણ કરીને રવાના થયા હતા.
ગઈકાલે જલોતરા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના વિવિધ મંદિરોની મુલાકાત લીધા બાદ બનાસડેરીના ડાયરેક્ટર અને જલોતરા ગામના ખેડૂત દિનેશભાઈ ભટોળના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે વહેલી સવારે ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. સીએમએ ગામના અલગ-અલગ વિસ્તારોમાં મહોલ્લા બેઠકો પણ કરી હતી. CMએ સવારથી ખેડૂતો સાથે ખાટલા બેઠક કરીને દિવસની શરૂઆત કરી છે. ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા. તેનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.
ગઈકાલે જલોતરા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના વિવિધ મંદિરોની મુલાકાત લીધા બાદ બનાસડેરીના ડાયરેક્ટર અને જલોતરા ગામના ખેડૂત દિનેશભાઈ ભટોળના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે વહેલી સવારે ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. સીએમએ ગામના અલગ-અલગ વિસ્તારોમાં મહોલ્લા બેઠકો પણ કરી હતી. CMએ સવારથી ખેડૂતો સાથે ખાટલા બેઠક કરીને દિવસની શરૂઆત કરી છે. ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા. તેનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.