નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલને 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે.
EDએ કેજરીવાલને 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2 નવેમ્બરના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે તે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.
ખાસ વાત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી વિપશ્યના ધ્યાન પર રહેશે. તેથી તેઓ 19મી ડિસેમ્બરે રવાના થશે. જોકે, એ સ્પષ્ટ નથી કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ વિપશ્યના ક્યાં કરાવશે.
AAPએ તેમના સ્થાન વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. સીએમ કેજરીવાલ ગયા વર્ષે પણ વિપશ્યના માટે ગયા હતા. તે દરમિયાન તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીનું કામ સંભાળ્યું હતું.