જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. બેંકે રૂ. 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધીનો વધારો કર્યો છે. નવા દરો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. ચાલો જાણીએ બેંકની FD પરના વ્યાજ દરો.
કયા સમયગાળા માટે વ્યાજ દર?
PNB બેંકે 180 થી 270 દિવસની મુદત માટે વ્યાજ દરોમાં 50 bps નો વધારો કર્યો છે. હવે સામાન્ય નાગરિકોને આ થાપણો પર 6 ટકા વ્યાજ મળશે. PNB એ 271 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે FD દરોમાં 45 bps નો વધારો કર્યો છે. હવે સામાન્ય નાગરિકોને આ FD પર 7.25 ટકા વ્યાજ મળશે. PNBએ 400 દિવસની પાકતી મુદતના વ્યાજદરમાં 45 bpsનો વધારો કર્યો છે. આ વ્યાજ દર 6.80% થી વધારીને 7.25% કરવામાં આવ્યો છે. PNB સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર 3.5% થી 7.25% વ્યાજ ઓફર કરે છે. PNB વરિષ્ઠ નાગરિકો માટે FD પર 4% થી 7.75% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. સુપર વરિષ્ઠ નાગરિકો માટે, વ્યાજની રેન્જ 4.3% થી 8.05% છે.
SBI FD દરો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દર રૂપિયા 2 કરોડથી ઓછીની FD પર લાગુ થાય છે. નવો દર 27 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. આ વધારા પછી, SBI સાત દિવસથી દસ વર્ષમાં પાકતી થાપણો પર 3.5 થી 7% સુધીના દર ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને આ થાપણો પર વધારાના 50 બેસિસ પોઈન્ટ્સ (bps) મળશે.
બેંક ઓફ બરોડા એફડી દરો
બેંક ઓફ બરોડાએ રિટેલ FD પર વ્યાજ દર 10 બેસિસ પોઈન્ટથી વધારીને 125 બેસિસ પોઈન્ટ કર્યા છે. સામાન્ય ગ્રાહકોને 4.25 ટકાથી લઈને 7,255 રૂપિયા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સાત દિવસથી દસ વર્ષમાં પાકતી થાપણો પર 4.75% થી 7.75% વ્યાજ ઓફર કરે છે.