રાજ્યમાં મોઢેરા સહિત કુલ પાંચ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત, અન્ય13પ્રોજેક્ટ પાઇપલાઇનમાં,ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશે
ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે,વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે
ગાંધીનગર, ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં આગળ વધતા અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઇ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયું છે. મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં870મેગાવોટની ક્ષમતા સાથે કુલ5સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે.
બેટરી સ્ટોરેજ સ્થાપિત કરવા માટે અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ અને કચ્છ જિલ્લા માટે અન્ય13પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ અને મજબૂત નીતિના લીધે આગામી સમયમાં ગુજરાત ઊર્જા સંગ્રહ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભૂમિકા ભજવશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર વર્ષ2030સુધીમાં ભારતની500 GWબિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.

અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં જ એક બેટરી સ્ટોરેજ પ્રણાલી શરૂ કરવામાં આવી છે. તે સિવાય મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપતમાં કુલ4બેટરી સ્ટોરેજ પ્રણાલી કાર્યરત છે. રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પોલિસી –2025માં અત્યાધુનિક ઊર્જા સંગ્રહ કરતી વ્યવસ્થાઓને મહત્વના ઘટક તરીકે સમાવિષ્ટ કરી છે.
તેના આધારે બેટરી સ્ટોરેજ માટેના સ્વતંત્ર પ્રોજેક્ટ્સ,નવા રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સ સાથેના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને હયાત રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સ સાથે સંકલિત થાય તેવા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવે છે.
આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે.
શા માટે જરૂરી છેBESS ?
બેટરી સ્ટોરેજ સિસ્ટમ વીજળીનો સંગ્રહ કરવા માટે જરૂરી છે. રાજ્યમાં સોલાર તેમજ રિન્યૂએબલ સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન દિવસ દરમિયાન બદલાતું રહે છે. જેમ કે દિવસના સમયે સોલારનું વીજ ઉત્પાદન વધારે હોય છે અને સાંજના સમયે ઉત્પાદન થઇ શકતું નથી.

