IPLની આગામી સિઝનમાં 2 ફેરફાર થઈ શકે છે, આકાશ ચોપરાએ BCCIને કરી અપીલ
આ વખતે આઈપીએલ ખૂબ જ રસપ્રદ બની છે. ગુજરાત ઉપરાંત 6 ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં બાકી છે. આ સમયે CSK અને લખનૌના 15-15 પોઈન્ટ છે. તો ત્યાં RCB, રાજસ્થાન અને મુંબઈના 14 પોઈન્ટ છે. આ સિવાય KKRની ટીમ 12 પોઈન્ટ સાથે રેસમાં યથાવત છે.એટલે કે આ વખતે પ્લેઓફનું સમીકરણ ચોક્કસપણે જટિલ બની ગયું છે.
આ આઈપીએલમાં વાઈડ બોલ અને નો બોલ માટે રિવ્યુ લેવા ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયરના નિયમનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બદલાવ બાદ IPLની એક-એક મેચે ઉત્તેજના ચરમસીમા પર લઈ આવી.આઈપીએલમાં નિયમોમાં ફેરફાર અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે IPLમાં બદલાવ બાદ દરેક મેચ રોમાંચક હતી. પરંતુ તેણે કહ્યું કે આગામી સિઝનમાં પણ IPLમાં 2 ફેરફાર થવા જોઈએ.
ચોપરાએ આઈપીએલમાં થયેલા ફેરફારો અંગે ટ્વીટ કરીને બીસીસીઆઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. પોતાના ટ્વીટમાં તેણે લખ્યું, ‘હું આગામી સિઝનની IPL માટે બે ફેરફારોનો પ્રસ્તાવ મૂકું છું. પ્રથમ, જે ટીમ મોટા માર્જિનથી રમત જીતે છે તેને બોનસ પોઈન્ટ મળવા જોઈએ. NRR પરફેક્ટ છે પરંતુ 14 થી વધુ રમતો સમજવું મુશ્કેલ ગણિત છે. બોનસ પોઈન્ટ સારી રીતે રમવા માટે એક નક્કર પુરસ્કાર છે. તેમજ રસને લાંબા સમય સુધી જીવંત રાખે છે. અંતિમ ચરણમાં એક જ સમયે રમતો શરૂ થવાની જોગવાઈ આજે, LSGને NRR પર CSK પર જઈને ચોક્કસ ગણિત જાણવાનો ફાયદો છે… CSK પ્રથમ રમે છે. આવતીકાલ માટે સમાન આજના પરિણામો પર આધાર રાખે છે.