આ કારણે રશ્મિકા મંદન્ના એનિમલમાં કામ કરી રહી છે
આ દરમિયાન રશ્મિકા મંદન્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે શા માટે એનિમલમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રશ્મિકાના કહેવા પ્રમાણે, તેને વિશ્વાસ હતો કે દર્શકોને આ પ્રોજેક્ટમાં તેનું અલગ પાત્ર ગમશે. ફિલ્મમાં કામ કરીને રશ્મિકા ખૂબ જ ખુશ છે. તેમના મતે આ ફિલ્મની વાર્તા અને કલાકારો અદ્દભૂત છે. પુષ્પા અભિનેત્રીએ કહ્યું કે તે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. ફિલ્મમાં રશ્મિકા ઉપરાંત રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, સૌરભ શુક્લા અને અન્ય કલાકારો છે.