કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર દ્વારા ‘એક દેશ એક ચૂંટણી’ એટલે કે વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલની રજૂઆતને ધ્યાનમાં રાખીને લોકસભાનું આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જો કે સંસદના આ વિશેષ સત્રના એજન્ડા વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બુધવારે ટ્વીટ કર્યું કે વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને આ સમયગાળા દરમિયાન કુલ પાંચ બેઠકો થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મોદી સરકાર વન નેશન વન ઈલેક્શન લાગુ કરવાની દિશામાં પગલાં લઈ શકે છે. એક દેશ અને એક ચૂંટણીનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે સામાન્ય ચૂંટણીઓની સાથે સાથે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવામાં આવશે. જો કે ભલે આ અંગે હાલ વાત થઈ હોય પણ આ કન્સેપ્ટ નવો નથી આ અગાઉ પણ આ રીતની ચૂંટણી યોજાઈ ચૂકી છે. ત્યારે ચાલો જાણીએ તેના વિશે
દેશમાં એક સાથે ચૂંટણી ક્યારે યોજાઈ?.. જે જણાવીએ, આજે ભલે વન નેશન વન ઈલેક્શન યોજવાની વાત કરવામાં આવી રહી હોય પરંતુ આ પહેલા ચાર વખત દેશમાં એક સાથે લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. 1947 માં આઝાદી પછી, ભારતમાં આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. 1967 પછી આ ચૂંટણી પર શા માટે બ્રેક લાગ્યો?.. જે જણાવીએ, દેશમાં સતત ચાર વખત એકસાથે ચૂંટણી યોજાયા બાદ તેની પેટર્ન 1967થી બદલાવા લાગી. યુપીમાં 1967માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને બહુમતી મળી ન હતી. ત્યારે રાજ્યમાં 423 બેઠકો હતી અને કોંગ્રેસને 198 બેઠકો મળી હતી જ્યારે સરકાર બનાવવા માટે 212 બેઠકોની જરૂર હતી. બીજા નંબરે જનસંઘ પાર્ટી હતી જેને 97 બેઠકો મળી હતી, પરંતુ કોંગ્રેસની સાથે 37 અપક્ષ સભ્યો અને કેટલાક નાના પક્ષોએ સરકાર બનાવી અને સીપી ગુપ્તા મુખ્યમંત્રી બન્યા. ચૌધરી ચરણ સિંહના બળવાને કારણે ગુપ્તાની સરકાર એક મહિનામાં પડી ગઈ. આ પછી, ચૌધરી ચરણ સિંહે ભારતીય જનસંઘ અને સંયુક્ત સમાજવાદી સાથે મળીને સરકાર બનાવી, પરંતુ ગઠબંધનમાં તિરાડને કારણે એક વર્ષ પછી, તેમણે પણ રાજીનામું આપી દીધું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી. ધીરે ધીરે આ ટ્રેન્ડ બીજા ઘણા રાજ્યોમાં શરૂ થયો.
ઈન્દિરા ગાંધીએ 1971માં સમય પહેલા ચૂંટણી કરાવી.. જે જણાવીએ, 1967માં દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી, આવી સ્થિતિમાં 1972માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હતી, ત્યારે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે દેશમાં તેમની લોકપ્રિયતા વધી હતી. આવી સ્થિતિમાં ઈન્દિરા ગાંધીએ 1971માં જ સમય પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું. આ રીતે એક દેશ એક ચૂંટણીની જે વ્યવસ્થા ચાલી રહી હતી તેને બ્રેક લાગી ગઈ. ત્યારથી, ઘણા રાજ્યોમાં સરકારો પડતી રહી અને વચ્ચે ચૂંટણીઓ યોજાઈ. તમને જણાવી દઈએ કે 1999માં લો કમિશને લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા માટે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. 2015માં કાયદા અને ન્યાય પરની સંસદીય સમિતિએ પણ વન નેશન વન ઇલેક્શનની ભલામણ કરી હતી. ત્યારથી, સમયાંતરે એક દેશ એક ચૂંટણીની ચર્ચાઓ થતી રહી, પરંતુ સરકાર કોઈ નિર્ણાયક તબક્કે પહોંચી શકી નહીં.
પીએમ મોદીએ 2018માં તેનો ફરી ઉલ્લેખ કર્યો હતો.. જે જણાવીએ, એક દેશ એક ચૂંટણીની ચર્ચાને વધુ હવા મળી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં તેનો ઉલ્લેખ કર્યો. એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે શું દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે તેના પર ચર્ચા થવી જોઈએ? એટલું જ નહીં આ માટે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં એક દેશ, એક ચૂંટણી પર રાજકીય પક્ષોનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચે કહ્યું હતું કે 2019માં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી કારણ કે ત્યાં ઘણી કાયદાકીય પ્રક્રિયાઓ છે જે સરકારે પૂર્ણ કરવી પડશે. જો કે, 2020 માં કોરોના રોગચાળાને કારણે, આ મુદ્દો ફરીથી શાંત થઈ ગયો.