ભારતની અગ્રણી પેમેન્ટ સર્વિસ Paytm પર ખતરાના વાદળો છવાઈ રહ્યા છે. આરબીઆઈની કાર્યવાહી બાદ એવા પણ અહેવાલો છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ તેને ખરીદવા જઈ રહી છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંક મોટી સંખ્યામાં KYC ઉલ્લંઘનના કેસોને કારણે નિયમનકારી મુદ્દાઓ અને મની લોન્ડરિંગના આરોપોમાં ફસાઈ ગઈ છે.
RBIએ Paytmની પેમેન્ટ બેંકની મોટાભાગની કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન, છેલ્લા ઘણા દિવસોથી, Paytm વૉલેટ બિઝનેસને લઈને એવા અહેવાલો આવી રહ્યા છે કે અબજોપતિ મુકેશ અંબાણીની કંપની Jio Financial Services Paytm ખરીદી શકે છે.
આ મીડિયા રિપોર્ટ પર મુકેશ અંબાણીની Jio Financial Services એ પ્રતિક્રિયા આપી છે. મુકેશ અંબાણીની Jio ફાયનાન્સિયલ સર્વિસે મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની Paytm વૉલેટ બિઝનેસ ખરીદવાની કોઈ યોજના નથી.
Jio ફાયનાન્સિયલ સર્વિસે કહ્યું કે તે Paytm પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સના વોલેટ બિઝનેસને ખરીદવા માટે વાતચીત કરી રહી નથી. અમે સ્પષ્ટ કરીએ છીએ કે તમે જે પણ સમાચારો જોઈ રહ્યા છો તે માત્ર અટકળો છે અને અમે આ સંબંધમાં કોઈ વાતચીત કરી રહ્યા નથી.
“અમને અમારી સહયોગી કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓએ પણ આ સંદર્ભમાં કોઈ ચર્ચા કરી નથી,” JFSLએ જણાવ્યું હતું.
મુકેશ અંબાણીએ Paytm વૉલેટ બિઝનેસ ખરીદ્યો હોવાની અફવા બાદ Jio ફાઇનાન્શિયલના શેરમાં 14 ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, Paytm શેરમાં તાજેતરનો ઘટાડો ચાલુ રહ્યો હતો. Paytm પેમેન્ટ્સ બેંક પર RBIની કાર્યવાહી બાદ રોકાણકારોની ચાલી રહેલી ચિંતા વચ્ચે આ ઘટાડો આવ્યો છે.