અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ વતી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનની વધુ સુનાવણી 21 જુલાઈએ હાથ ધરવામાં આવશે. બીજી તરફ કેજરીવાલ વતી જવાબ દાખલ કરવામાં આવ્યો હતો.
31 માર્ચ 2023ના રોજ હાઈકોર્ટે વડાપ્રધાનની ડિગ્રીના મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે વડાપ્રધાનની ડિગ્રી બતાવવાનું કહ્યું અને અરવિંદ કેજરીવાલ પર 25 હજારનો દંડ ફટકાર્યો. આ મામલામાં અરવિંદ કેજરીવાલે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે કરેલા અવલોકનો ખોટા હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટીએ કહ્યું છે કે વડાપ્રધાનની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર છે, કઈ ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર નથી તેથી આ આદેશ ભૂલભરેલો છે. આ મામલાની વધુ સુનાવણી 21 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.