(GNS),31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદીએ આજે સવારે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ પીએમ મોદીએ વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં PM મોદી ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
સોમનાથ ટ્રસ્ટની બેઠક રાજભવન ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ PM મોદીને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પુન: નિયુક્ત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.