PM મોદી આજે કરશે વીર સાવરકર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન, વડાપ્રધાને શેર કરી શાનદાર તસવીરો…જુઓ PHOTOS
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. જ્યારે આ પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગની શાનદાર તસવીરો શેર કરી છે.
આશરે રૂ. 710 કરોડના ખર્ચે બનેલ નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગના કમિશનિંગથી કેન્દ્રશાસિત પ્રદેશમાં કનેક્ટિવિટીને વેગ મળશે.
અંદાજે 40,800 ચોરસ મીટરના કુલ બિલ્ટ-અપ વિસ્તાર સાથે, નવી ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક અંદાજે 5 મિલિયન મુસાફરોને હેન્ડલ કરી શકશે.
પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચે બે બોઇંગ-767-400 અને બે એરબસ-321 પ્રકારના એરક્રાફ્ટ માટે યોગ્ય એપ્રોન પણ બનાવવામાં આવ્યા છે. જેના કારણે એરપોર્ટ હવે એક સાથે 10 એરક્રાફ્ટ પાર્ક કરી શકશે.
નવી સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ હવાઈ ટ્રાફિકને વેગ આપશે અને પ્રદેશમાં પ્રવાસન વધારવામાં મદદ કરશે. આનાથી સ્થાનિક સમુદાય માટે રોજગારીની તકો વધારવામાં અને વિસ્તારની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં પણ મદદ મળશે.