વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતે UAE પહોંચી ગયા છે. આ દરમિયાન તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથેની તેમની મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું, “આ આનંદની વાત પણ છે કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ… હું માનું છું કે જી-20 દેશો માટે આ એક સારા સમાચાર હશે કે ભારત અને UAE આ મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યું છે.
PM મોદી આવતીકાલે મંદિરનું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદીએ કહ્યું, “અહીં BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) મંદિરનું નિર્માણ તમારા સહયોગ વિના શક્ય ન હોત.” તમને જણાવી દઈએ કે PM મોદી આવતીકાલે (બુધવારે) મંદિરનું ઉદ્ઘાટન કરશે.
PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ આપ્યું હતું
પ્રધાનમંત્રીએ કહ્યું, “મારું આમંત્રણ સ્વીકારવા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં આવવા બદલ હું તમારો આભાર માનું છું. તમે આ ઈવેન્ટને નવી ઉંચાઈ પર લઈ ગયા છે અને વિશ્વમાં તેની પ્રતિષ્ઠા વધારી છે.”